ETV Bharat / city

સુરતમાં હોસ્પિટલની બહાર રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાગી લાંબી કતાર

author img

By

Published : Apr 10, 2021, 8:00 PM IST

સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે અને રેમડેસીવીર ઇન્જેક્શનની અછત સર્જાઈ છે ત્યારે કિરણ હોસ્પિટલ બહાર આ ઇન્જેક્શન લેવા માટે વહેલી સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી. આ દરમ્યાન પોલીસ પણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે કામમાં લાગી ગઇ હતી.

સુરતમાં હોસ્પિટલની બહાર રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાગી લાંબી કતાર
સુરતમાં હોસ્પિટલની બહાર રેમડેસીવીર ઇન્જેક્શન માટે લાગી લાંબી કતાર

  • રેમડેસીવીર ઇન્જેક્શન માટે હોસ્પિટલની બહાર લાંબીકતાર
  • સુરતમાં સર્જાઇ હતી રેમડેસીવીર ઇન્જેક્શન અછત
  • લગભગ 3 કિલોમીટર લાંબી કતાર જોવા મળી

સુરત: સુરતમાં કોરોનાના દર્દીઓના ઈલાજ માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે શનિવારે લોકો લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતાં. સી.એમ વિજય રૂપાણીએ જાહેરાત કરી દીધી હતી કે ઈન્જેકશની અછત નહીં સર્જાઈ પરંતુ ત્યારબાદ પણ સુરતની સ્થિતિ સુધરી નથી. સિવિલ હોસ્પિટલ બહાર પણ બે દિવસ પહેલા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તરફ ભાજપે કાર્યાલયથી પણ ઈજેક્શનનું વિતરણ શરુ કર્યું હતું. જો કે ભાજપે 1,000 ઈજેક્શનની વહેંચણી કર્યા બાદ બંધ કરી દીધું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુરતની કિરણ હોસ્પિટલને 10,000 નંગ રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી

એરલિફ્ટ કરીને સુરત પહોંચાડાશે રસી

સુરતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેમડેસીવીર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા આસામના ગૌહાટીથી એર લિફ્ટ કરીને પહોચાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેકટરને 2,500 રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આ સમાચાર મળતા જ લોકો ઇન્જેક્શન આવી પહોંચ્યા હતાં અને હોસ્પિટલની બહાર સવારથી જ લાંબી કતારો લગાવી હતી.

વધુ વાંચો: કોરોના કાળમાં ડૉક્ટર્સની માનવતા, સ્ટાફે દિકરાની જેમ વૃદ્ધાની સેવા કરી

ત્રણ કિલોમીટર લાઈન

એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અમે ત્રણ કિલોમીટર લાઈનમાં સવારથી ઊભા છે. ખુદ સીએમ અને કલેકટરે જાહેરાત કરી હતી કે દર્દીઓના પરિવારજનોએ લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી પણ લોકોની સ્થિતિ શું છે તે અહીં જોઈ શકાય છે. ડિઝીટલ ગુજરાતની વાત કરો છો તો એક વેબસાઈટ બનાવો જેમાં તમામ માહિતી ઉપલબ્ધ કરાવો. આવી રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો

વધુ વાંચો: ઝાયડ્સે રેમડેસીવીર ઈન્જેકશનનું વેચાણ કર્યું બંધ, માંડવીયાએ કહ્યું: ફરીથી વેચાણ થશે શરૂ

પોલીસ પણ કામગીરીમાં લાગી

હોસ્પિટલ બહાર લાંબી કતારો જોવા મળી હતી. અંદાજીત 1,000 થી વધુ લોકો ઇન્જેક્શન મેળવવા માટે કતારમાં ઉભા હતા તો બીજી તરફ અફરાતફરી ન સર્જાય અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ પણ કામગીરીમાં જોડાય છે. પોલીસ દ્વારા અહી સોશિયલ ડિસટન્સ જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  • રેમડેસીવીર ઇન્જેક્શન માટે હોસ્પિટલની બહાર લાંબીકતાર
  • સુરતમાં સર્જાઇ હતી રેમડેસીવીર ઇન્જેક્શન અછત
  • લગભગ 3 કિલોમીટર લાંબી કતાર જોવા મળી

સુરત: સુરતમાં કોરોનાના દર્દીઓના ઈલાજ માટે જરૂરી એવા રેમડેસીવીર ઇન્જેક્શન માટે શનિવારે લોકો લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતાં. સી.એમ વિજય રૂપાણીએ જાહેરાત કરી દીધી હતી કે ઈન્જેકશની અછત નહીં સર્જાઈ પરંતુ ત્યારબાદ પણ સુરતની સ્થિતિ સુધરી નથી. સિવિલ હોસ્પિટલ બહાર પણ બે દિવસ પહેલા લોકોની લાંબી કતારો જોવા મળી હતી. તો બીજી તરફ ભાજપે કાર્યાલયથી પણ ઈજેક્શનનું વિતરણ શરુ કર્યું હતું. જો કે ભાજપે 1,000 ઈજેક્શનની વહેંચણી કર્યા બાદ બંધ કરી દીધું હતું પરંતુ રાજ્ય સરકાર દ્વારા સુરતની કિરણ હોસ્પિટલને 10,000 નંગ રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી

એરલિફ્ટ કરીને સુરત પહોંચાડાશે રસી

સુરતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેમડેસીવીર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા આસામના ગૌહાટીથી એર લિફ્ટ કરીને પહોચાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેકટરને 2,500 રેમડીસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે. આ સમાચાર મળતા જ લોકો ઇન્જેક્શન આવી પહોંચ્યા હતાં અને હોસ્પિટલની બહાર સવારથી જ લાંબી કતારો લગાવી હતી.

વધુ વાંચો: કોરોના કાળમાં ડૉક્ટર્સની માનવતા, સ્ટાફે દિકરાની જેમ વૃદ્ધાની સેવા કરી

ત્રણ કિલોમીટર લાઈન

એક વ્યક્તિએ જણાવ્યું હતું કે અમે ત્રણ કિલોમીટર લાઈનમાં સવારથી ઊભા છે. ખુદ સીએમ અને કલેકટરે જાહેરાત કરી હતી કે દર્દીઓના પરિવારજનોએ લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી પણ લોકોની સ્થિતિ શું છે તે અહીં જોઈ શકાય છે. ડિઝીટલ ગુજરાતની વાત કરો છો તો એક વેબસાઈટ બનાવો જેમાં તમામ માહિતી ઉપલબ્ધ કરાવો. આવી રીતે લોકોને હેરાન કરવાનું બંધ કરો

વધુ વાંચો: ઝાયડ્સે રેમડેસીવીર ઈન્જેકશનનું વેચાણ કર્યું બંધ, માંડવીયાએ કહ્યું: ફરીથી વેચાણ થશે શરૂ

પોલીસ પણ કામગીરીમાં લાગી

હોસ્પિટલ બહાર લાંબી કતારો જોવા મળી હતી. અંદાજીત 1,000 થી વધુ લોકો ઇન્જેક્શન મેળવવા માટે કતારમાં ઉભા હતા તો બીજી તરફ અફરાતફરી ન સર્જાય અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસ પણ કામગીરીમાં જોડાય છે. પોલીસ દ્વારા અહી સોશિયલ ડિસટન્સ જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.