- હોસ્પિટલ પોતાના એક કરોડ રૂપિયાના ફંડમાંથી કરશે સહાય
- મ્યુકોરમાઇકોસિસ રોગથી પીડાતા દર્દીઓને હોસ્પિટલે કરી આર્થિક સહાય
- કિરણ હોસ્પિટલના સંચાલકોની અનોખી પહેલ
સુરતઃ કોરોનાની બિમારીના ભોગ બનેલા દર્દીઓ પૈકી અમુક દર્દીઓને મ્યુકોરમાઇકોસિસની બીમારી થાય છે. આ બીમારીમાં 180 ઇન્જેક્શન 45 દિવસમાં આપવા પડે છે. તેનો ખર્ચ વધારે હોવાથી કિરણ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી ઓછી આવક ધરાવતા દર્દીઓને દવા પેટે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવાનો પહેલો કાર્યક્રમ આજે બુધવારે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અઠવાડિયામાં પ્રથમ 25 દર્દીઓને એક-એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી, કે ન તો ચેપી રોગ.. જાણો વિગતે…
ઇન્જેક્શનની કિંમત 4,000થી લઇ 7000 સુધી છે
હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવી જ રીતે દર અઠવાડીએ ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવશે. કોરોના સંક્રમણના કારણે શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ રોગ દેશના તમામ એવા શહેરોમાં જોવા મળે છે કે જ્યાં કોરોના સંક્રમણની સંખ્યા સૌથી વધારે છે. આ રોગમાં સર્જરી સાડા પાંચ લાખથી લઈને સાડા સાત લાખ સુધીની થાય છે. એક દિવસમાં ચારથી પાંચ ઇન્જેક્શન દર્દીઓને લગાડવામાં આવતું હોય છે. આ રીતે દોઢ મહિના સુધી દર્દીને ઇન્જેક્શન લગાડવામાં આવતા હોય છે અને એક ઈન્જેક્શનની કિંમત કંપની પ્રમાણે 4000થી લઇને 7000 સુધી છે. હાલ ઇન્જેક્શનની અછત ડિમાન્ડના કારણે સર્જાઈ છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસનો કહેર