ETV Bharat / city

100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે

શહેર અને જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને લઈ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સુરત મુલાકાતે આવ્યાં હતા. સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં તેમણેે અધિકારીઓ, ધારાસભ્ય, સાંસદ અને સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને આઈએમએફના સભ્યો સાથે તેઓએ સમીક્ષા બેઠક યોજી હતી..સુરતમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યાં છે, તેને ધ્યાનમાં રાખી 100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની હોસ્પિટલ અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવવા અંગેની જાહેરાત કરી હતી.

author img

By

Published : Jul 4, 2020, 6:04 PM IST

100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે
100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે

સુરત : સીએમ રુપાણીએ આ સાથે જે રીતે હીરાઉદ્યોગમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે તેને લઇ ચેતવણી આપી હતી કે જો ગાઇડલાઇન પ્રમાણે ઉપયોગ નહીં કરવામાં આવે તો ફરીથી ઉદ્યોગ શરૂ નહીં કરાય. કોરોના કેસોની સંખ્યા અંગે સતત પાંચ કલાક સુધી ચાલેલી સમીક્ષા બેઠક પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે થોડા દિવસથી સુરત સહિત જિલ્લામાં પોઝિટિવ કેસો વધ્યાં છે. જૂન માસમાં કોરોનાના સંક્રમણને પ્રમાણમાં રોકી શકાયું છે. ધન્વંતરી રથનો ઉપયોગ થતાં અમદાવાદમાં મોતનો આંક ઘટાડી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સરકારે સુરતની સંપૂર્ણ ચિંતા એક એક મિનિટે કરી રહી છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓની ટીમને છેલ્લા ત્રણ દિવસથી સુરત મોકલવામાં આવી છે. કોરોનાના સંક્રમણ કઈ રીતે નિયંત્રિત કરી શકાય તેની ચિંતા કરી છે.

100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે
સીએમે આજે ધારાસભ્યો,સાંસદ સહિત અધિકારીઓ વચ્ચે બેઠક કરી છે. સુરતની કિડની અને સ્ટેમસેલ હોસ્પિટલ પાછળ 100 કરોડના ખર્ચે કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે..સ્ટેમસેલ અનેં કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા 6 થી 7 એજન્સીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે.
100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે
100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું, સરકારની જવાબદારી છે કે કોરોનાના દર્દીને યોગ્ય સારવાર અને દવા સહિતની સુવિધાઓ મળી રહે. જેને લઈ આજે મહત્વના નિર્ણય કરવામાં આવ્યાં છે.આઠથી દસ દિવસમાં સ્ટેમ્સ સેલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા રાજ્ય સરકાર અને 50 ટકા ખાનગી હોસ્પિટલના ખર્ચે કોવિડ સારવારની કામગીરી કરવામાં આવી રહી છે.સરકારે કોરોના પોઝિટિવ દર્દીઓને મોબાઈલ પાસે રાખવા માટે પરવાનગી આપી છે. જેથી તેઓ પોતાના પરિજનો સાથે વાત -વ્યવહાર કરી શકે. પરંતુ જે દર્દીઓ પાસે મોબાઇલ નથી તેઓની માટે હોસ્પિટલમાં કાઉન્ટર શરૂ કરવામાં આવશે, જ્યાં હેલ્થ વર્કરના મોબાઈલથી પણ દર્દી સ્વજનો સાથે વાત કરી શકશે.રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે 200 વેન્ટિલેટર આજે અથવા કાલે સુરતને ફાળવી દેવામાં આવશે. કોરોનાની લડાઈ લાંબી લડાઈ છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કેસો વધ્યાં છે. હાલ સંપૂર્ણ ડાયમંડ ઉધોગને બંધ કરી દેવામાં આવ્યો છે. જો ઉદ્યોગો શરૂ કરવાના હોય તો તમામ ગાઈડલાઈનનું પાલન ચુસ્તપણે કરવું પડશે. મોતના સરકારી આંકડા સ્પષ્ટ જ છે.કોરોના પોઝિટિવ દર્દીઓ અને કેટલાક મૃત્યુઆંકના આંકડાઓને લઈ વિસંગતતા અંગે તેઓએ જણાવ્યું હતું કે આવી કોઈ પણ આંકડાકીય ભૂલ થઈ નથી. શંકાસ્પદ દર્દીઓના મોત બાદ કોરોના પ્રોટોકોલ મુજબ જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક પહેરવું અને સેનિટાઇઝર ફરજિયાત કરવું પડશે.તેને જીવનનો હિસ્સો બનાવવો પડશે. હાથ જોડીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જો લોકો માસ્ક નહીં પહેરે તો તેઓને દંડ ફટકારવામાં આવશે અને વધુ ચેકિંગ હાથ ધરવામાં આવશે.સુરત હોસ્પિટલમાં બેદરકારી અને અવ્યવસ્થા અંગે મળેલી ફરિયાદો માટે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ફરિયાદનું ચોક્કસથી વિશ્લેષણ કરી પગલાં ભરવામાં આવશે. નાની મોટી ફરિયાદ હોઈ શકે, તેમ છતાં સરકાર તેને ગંભીરતા લે છે. એક એક વસ્તુનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરે છે.ફરીથી લોક ડાઉન લાવવાની કોઈ જરૂરિયાત નથી. વધુ કેસ હોય તે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.લોકોને એક પણ બેડની અછત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. જોકે હાલમાં જ ધમણ ત્રણ વેન્ટિલેટર લોન્ચ કરવામાં આવ્યાં છે. તેના પ્રશ્નનો જવાબ મુખ્યપ્રધાને આપ્યો ન હતો.

સુરત : સીએમ રુપાણીએ આ સાથે જે રીતે હીરાઉદ્યોગમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે તેને લઇ ચેતવણી આપી હતી કે જો ગાઇડલાઇન પ્રમાણે ઉપયોગ નહીં કરવામાં આવે તો ફરીથી ઉદ્યોગ શરૂ નહીં કરાય. કોરોના કેસોની સંખ્યા અંગે સતત પાંચ કલાક સુધી ચાલેલી સમીક્ષા બેઠક પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે થોડા દિવસથી સુરત સહિત જિલ્લામાં પોઝિટિવ કેસો વધ્યાં છે. જૂન માસમાં કોરોનાના સંક્રમણને પ્રમાણમાં રોકી શકાયું છે. ધન્વંતરી રથનો ઉપયોગ થતાં અમદાવાદમાં મોતનો આંક ઘટાડી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સરકારે સુરતની સંપૂર્ણ ચિંતા એક એક મિનિટે કરી રહી છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓની ટીમને છેલ્લા ત્રણ દિવસથી સુરત મોકલવામાં આવી છે. કોરોનાના સંક્રમણ કઈ રીતે નિયંત્રિત કરી શકાય તેની ચિંતા કરી છે.

100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે
સીએમે આજે ધારાસભ્યો,સાંસદ સહિત અધિકારીઓ વચ્ચે બેઠક કરી છે. સુરતની કિડની અને સ્ટેમસેલ હોસ્પિટલ પાછળ 100 કરોડના ખર્ચે કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે..સ્ટેમસેલ અનેં કિડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવા 6 થી 7 એજન્સીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે.
100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે
100 કરોડના ખર્ચે સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કિડની અને સ્ટેમ્સસેલ બિલ્ડીંગને કોવિડ હોસ્પિટલ બનાવાશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું, સરકારની જવાબદારી છે કે કોરોનાના દર્દીને યોગ્ય સારવાર અને દવા સહિતની સુવિધાઓ મળી રહે. જેને લઈ આજે મહત્વના નિર્ણય કરવામાં આવ્યાં છે.આઠથી દસ દિવસમાં સ્ટેમ્સ સેલ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા રાજ્ય સરકાર અને 50 ટકા ખાનગી હોસ્પિટલના ખર્ચે કોવિડ સારવારની કામગીરી કરવામાં આવી રહી છે.સરકારે કોરોના પોઝિટિવ દર્દીઓને મોબાઈલ પાસે રાખવા માટે પરવાનગી આપી છે. જેથી તેઓ પોતાના પરિજનો સાથે વાત -વ્યવહાર કરી શકે. પરંતુ જે દર્દીઓ પાસે મોબાઇલ નથી તેઓની માટે હોસ્પિટલમાં કાઉન્ટર શરૂ કરવામાં આવશે, જ્યાં હેલ્થ વર્કરના મોબાઈલથી પણ દર્દી સ્વજનો સાથે વાત કરી શકશે.રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે 200 વેન્ટિલેટર આજે અથવા કાલે સુરતને ફાળવી દેવામાં આવશે. કોરોનાની લડાઈ લાંબી લડાઈ છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કેસો વધ્યાં છે. હાલ સંપૂર્ણ ડાયમંડ ઉધોગને બંધ કરી દેવામાં આવ્યો છે. જો ઉદ્યોગો શરૂ કરવાના હોય તો તમામ ગાઈડલાઈનનું પાલન ચુસ્તપણે કરવું પડશે. મોતના સરકારી આંકડા સ્પષ્ટ જ છે.કોરોના પોઝિટિવ દર્દીઓ અને કેટલાક મૃત્યુઆંકના આંકડાઓને લઈ વિસંગતતા અંગે તેઓએ જણાવ્યું હતું કે આવી કોઈ પણ આંકડાકીય ભૂલ થઈ નથી. શંકાસ્પદ દર્દીઓના મોત બાદ કોરોના પ્રોટોકોલ મુજબ જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. સોશિયલ ડિસ્ટનસિંગ, માસ્ક પહેરવું અને સેનિટાઇઝર ફરજિયાત કરવું પડશે.તેને જીવનનો હિસ્સો બનાવવો પડશે. હાથ જોડીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જો લોકો માસ્ક નહીં પહેરે તો તેઓને દંડ ફટકારવામાં આવશે અને વધુ ચેકિંગ હાથ ધરવામાં આવશે.સુરત હોસ્પિટલમાં બેદરકારી અને અવ્યવસ્થા અંગે મળેલી ફરિયાદો માટે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ફરિયાદનું ચોક્કસથી વિશ્લેષણ કરી પગલાં ભરવામાં આવશે. નાની મોટી ફરિયાદ હોઈ શકે, તેમ છતાં સરકાર તેને ગંભીરતા લે છે. એક એક વસ્તુનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરે છે.ફરીથી લોક ડાઉન લાવવાની કોઈ જરૂરિયાત નથી. વધુ કેસ હોય તે વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે.લોકોને એક પણ બેડની અછત ન રહે તે માટે સરકાર કટિબદ્ધ છે. જોકે હાલમાં જ ધમણ ત્રણ વેન્ટિલેટર લોન્ચ કરવામાં આવ્યાં છે. તેના પ્રશ્નનો જવાબ મુખ્યપ્રધાને આપ્યો ન હતો.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.