ETV Bharat / city

નાઈટ વિઝન કેમેરા અને 90 વ્યક્તિઓ દ્વારા દીપડાની થઇ રહી છે શોધખોળ: ગણપત વસાવા

સુરત: વન અને પર્યાવરણ પ્રધાન ગણપતસિંહ વસાવાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે દીપડાથી અસરગ્રસ્ત લોકોને સહાય આપવાની વાત કરી હતી. આ ઉપરાંત દીપડાને પકડવા માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજના અંગે માહિતી આપી હતી.

author img

By

Published : Jan 4, 2020, 8:20 PM IST

ETV BHARAT
નાઈટ વિઝન કેમેરા અને સુરત જિલ્લામાં 90 વ્યક્તિઓ દ્વારા દીપડાની શોધખોળ

દીપડાના આતંકને લઈ વન અને પર્યાવરણ પ્રધાન ગણપતસિંહ વસાવાની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં 7 વર્ષના બાળક પર દીપડાનો હુમલો થયો હતો. જે ઘટનામાં બાળક હાલ સ્વસ્થ છે. જ્યારે પાટોલમાં થયેલા દીપડાના હુમલામાં 1 બાળકનું મોત થયું છે.

વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાંથી 25 જેટલા દીપડા પકડી લેવામાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી 60 જેટલા દીપડાને પકડવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાનાને અટકાવવા માટે સોમવારે એક બેઠક રાખવામાં આવી છે.

વસાવાએ કહ્યું કે, લોકોને ખુલ્લામાં ન ઉંઘવા જેવી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકજાગૃતિ માટે પેમ્પ્લેટ પણ છપાવવામાં આવ્યા છે, જેનાથી લોકોને જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત માંડવી અને ડાંગ જિલ્લામાં રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવશે. જે માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વસાવાએ કહ્યું હતું કે, જિલ્લામાં 90 વ્યક્તિઓ દ્વારા દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત નાઈટ વિઝન કેમેરા અને પાંજરા પણ મુકવામાં આવ્યા છે.

દીપડાના હુમલાનો ભોગ બનેલા પરિવાર અંગે પ્રધાને જણાવ્યું હતું કે, હાલ માંડવીમાં રાજ્ય સરકારની યોજના પ્રમાણે મૃતક બાળકોના પરિવારને સહાય આપવામાં આવી રહી છે.

દીપડાના આતંકને લઈ વન અને પર્યાવરણ પ્રધાન ગણપતસિંહ વસાવાની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, માંડવી તાલુકામાં 7 વર્ષના બાળક પર દીપડાનો હુમલો થયો હતો. જે ઘટનામાં બાળક હાલ સ્વસ્થ છે. જ્યારે પાટોલમાં થયેલા દીપડાના હુમલામાં 1 બાળકનું મોત થયું છે.

વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાંથી 25 જેટલા દીપડા પકડી લેવામાં આવ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાંથી 60 જેટલા દીપડાને પકડવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં આવી ઘટનાનાને અટકાવવા માટે સોમવારે એક બેઠક રાખવામાં આવી છે.

વસાવાએ કહ્યું કે, લોકોને ખુલ્લામાં ન ઉંઘવા જેવી અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકજાગૃતિ માટે પેમ્પ્લેટ પણ છપાવવામાં આવ્યા છે, જેનાથી લોકોને જાગૃત કરવામાં આવશે. આ ઉપરાંત માંડવી અને ડાંગ જિલ્લામાં રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવશે. જે માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

વસાવાએ કહ્યું હતું કે, જિલ્લામાં 90 વ્યક્તિઓ દ્વારા દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત નાઈટ વિઝન કેમેરા અને પાંજરા પણ મુકવામાં આવ્યા છે.

દીપડાના હુમલાનો ભોગ બનેલા પરિવાર અંગે પ્રધાને જણાવ્યું હતું કે, હાલ માંડવીમાં રાજ્ય સરકારની યોજના પ્રમાણે મૃતક બાળકોના પરિવારને સહાય આપવામાં આવી રહી છે.

Intro:Feed by LIVE

સુરત : દીપડા ના આતંક ને લઈ વન પર્યાવરણ મંત્રી ગણપતસિંહ વસાવા ની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વસાવાએ જણાવ્યું હતું કે,માંડવી તાલુકામાં સાત વર્ષના બાળક પર દીપડાનો હુમલો થયો હતો ,જે ઘટનામાં બાળક હાલ સ્વસ્થ છે.જ્યારે પાટોલ માં થયેલ દીપડાનો હુમલામાં એક બાળક નું મોત થયું છે.2016 ની ગણતરી ના સામે 1400 કરતા વધારે દીપડાની સંખ્યા વધી છે.

Body:તેઓએ વધુમાં જણાવ્યું હતું કે,હાલ માંડવીમાં રાજ્ય સરકાર ની યોજના પ્રમાણે મૃતક બાળકોના પરિવાર ને સહાય પોહચાડવામાં આવી રહી છે..સુરત જીલ્લામાં થી 25 જેટલા દીપડા હમણાં સુધી પકડી પાડવામાં આવ્યા છે..જ્યારે સૌરાષ્ટ્ર માંથી 60 જેટલા દીપડા પકડવામાં આવ્યા છે...લદીપડાનું ખેતરો માં નિવાસસ્થાન હોયછે,જેના કારણે દિપડાઓ હુમલો કરતા હોય છે..હુમલાને લઈ એક બેઠક કરવામાં આવી છે..આવનારા દિવસોમાં આવી ઘટના ના બને તે માટે સોમવારે એક બેઠક રાખવામાં આવી છે.

વસાવા એ કહ્યું હતું કે સુરત જીલ્લામાં 90 વ્યક્તિઓ દ્વારા દીપડા ની શોધખોળ શરૂ કરવામાં આવી છે.નાઈટ વિઝન વાળા કેમેરા અને પાંજરા પણ મુકવામાં આવ્યા છે..ખેતરમાં શેરડી કાપવા જતા લોકો ખુલ્લામાં ના જવા અપીલ છે.સિંહ ની ગણતરી હવે 2020 થી શરૂ થશે.સૌરાષ્ટ્ર માં દિપડાના 11 જેટલા લોકો પર હુમલાની ઘટના બાદ શૂટ ના ઓર્ડર આપ્યા હતા.માંડવી જિલ્લામાં હાલ દીપડા ને પકડવાના પ્રયાસ શરૂ કર્યા છે...દીપડો પણ રક્ષિત પ્રાણીમાં આવે છે જેથી ના પકડાય અને જરૂરપડે તો શૂટ ના ઓર્ડર આપવામા આવશે...


Conclusion:વસાવાએ સ્થાનિકો ને અપીલ કરી હતી કે લેબર કોન્ટ્રાક્ટરો અને વર્કરો ખેતરો માં ખુલ્લામાં ના સુવે તેની સૂચના સોમવારની બેઠકમાં જનજાગૃતિ માટે આપવામા આવશે.જનજાગૃતિ માટે પેમ્પ્લેટ પણ છપાવવામાં આવ્યા છે.માંડવી અને ડાંગ જિલ્લામાં
રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવશે..જે માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવી છે..જ્યાં પકડાયેલ દિપડાઓ ને ત્યા રાખવામાં આવશે.રાત્રી દરમ્યાન વધેલો ખોરાક ખેતર માં ના નાખવો જોઈએ.,કારણ કે તેની સુગંધ થી દીપડો ત્યાં આવી જતો હોય છે..

બાઈટ : ગણપત વસાવા (વન પર્યાવરણ મંત્રી)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.