ETV Bharat / city

સુરતમાં Corona Cases વધતા આરોગ્ય વિભાગે 3 દિવસમાં 2 એપાર્ટમેન્ટ સીલ કર્યા

author img

By

Published : Sep 28, 2021, 11:56 AM IST

સુરત શહેરમાં કોરોનાના કેસમાં (Corona Cases) ધરખમ ઘટાડો થઈ રહ્યો હતો. તેવામાં સુરતમાં ત્રણ બાળકો સહિત કોરોનાના નવા 5 કેસ (Corona Cases) નોંધાતા તંત્ર દોડતું થયું છે. શહેરમાં છેલ્લા 2 અઠવાડિયામાં 10થી 14 વર્ષના ત્રણ બાળક સહિત 5 કેસ નોંધાયા છે. આના કારણે આ એપાર્ટમેન્ટ સીલ (Apartment seal) કરી દેવાયું છે. આમ, આરોગ્ય વિભાગે (Health Department) ત્રણ દિવસમાં 2 એપાર્ટમેન્ટ સીલ કરી દીધા છે.

સુરતમાં Corona Cases વધતા આરોગ્ય વિભાગે 3 દિવસમાં 2 એપાર્ટમેન્ટ સીલ કર્યા
સુરતમાં Corona Cases વધતા આરોગ્ય વિભાગે 3 દિવસમાં 2 એપાર્ટમેન્ટ સીલ કર્યા
  • સુરતમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો બાદ કોરોનાના કેસમાં (Corona Cases) આંશિક વધારો
  • કોરોનાની વેક્સિન (Corona Vaccine) મુકાવી ચૂક્યા હોય તેવા લોકોને પણ ચેપ લાગી રહ્યો છે
  • લોકો બેદરકાર બની ને ગાઇડ લાઇનને કોરાણે મૂકવા માંડ્યા

સુરતઃ શહેરમાં પર્યુષણ અને ગણેશોત્સવના તહેવાર પછી કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. ત્યારે આગામી તહેવારોની ઉજવણી માટે આ લાલબત્તી સમાન સાબિત થઈ શકે છે. શહેરના પાલ રોડના સુમેરુ સિલ્વર લિફ એપાર્ટમેન્ટમાં 3 બાળકો સહિત 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. છેલ્લા અઠવાડિયામાં 10થી 14 વર્ષના 3 બાળક સહિત પાંચ કેસ નોંધાતા આ એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. ત્રણ દિવસમાં સુરત મહાનગરપાલિકાએ 2 એપાર્ટમેન્ટને કોરોના કેસ વધતા સીલ કરવામાં આવ્યા છે.

લોકો કોરોનાની ગાઈડલાઈન નથી અનુસરતા

એક તરફ કોરોનાની વેક્સિન મુકાવી ચૂક્યા હોય તેવા લોકોને પણ ચેપ લાગી રહ્યો છે. તો બીજી તરફ લોકો બેદરકાર બનીને કોરોનાની ગાઈડલાઈનને અનુસરતા નથી. પર્યુષણ અને ગણપતિ ઉત્સવ ભુજ વાયા જેમાં લોકો ભીડમાં જોવા મળ્યા ને કોરોના ની ગાઇડ લાઇનનો પણ પાલન થયું ન હતું તેથી રોજના જે બે-ત્રણ કેસ નોંધાતા તે હવે રોજ સાત આઠ થવા માંડયા છે..

રહીશોને ક્વોરન્ટાઈનમાં રહેવા સૂચના

પાલ રોડ સુમેરુ સિલ્વર લિફ એપાર્ટમેન્ટમાં 3 બાળકો સહિત કોરોના પોઝિટિવના 5 કેસ નોંધાયા છે. ત્યારે એપાર્ટમેન્ટના એ વિભાગના 44 અને વિભાગના 44 મળી કુલ અહીં 88 ફ્લેટ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફ્લેટમાં રહેતા 18 વર્ષથી નીચેના 77 બાળકોના રેપિડ ટેસ્ટ કરવામાં હતા. કોરોનાના 5 કેસ મળતાં એપાર્ટમેન્ટના રહીશોને ક્વોરન્ટાઈનમાં રહેવા સૂચના આપી છે. આ અગાઉ સુરતના અઠવા ઝોનના ખાતે આવેલા મેઘ મયુર એપાર્ટમેન્ટમાં કેસ નોંધાતા તેને ક્લસ્ટર કરવામાં આવ્યું હતું. અઠવા ઝોનમાં ભટાર તડકેશ્વર વસાહત આઝાદ નગર પાસે એક કેસ નોંધાયો છે. જ્યારે રાંદેર ઝોનમાં પણ વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો- Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા, 30 દર્દીઓએ આપી કોરોનાને માત

આ પણ વાંચો- કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRR સહિત 96 ફિલ્મોના શૂટિંગ થયા: પ્રવાસન પ્રધાન

  • સુરતમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો બાદ કોરોનાના કેસમાં (Corona Cases) આંશિક વધારો
  • કોરોનાની વેક્સિન (Corona Vaccine) મુકાવી ચૂક્યા હોય તેવા લોકોને પણ ચેપ લાગી રહ્યો છે
  • લોકો બેદરકાર બની ને ગાઇડ લાઇનને કોરાણે મૂકવા માંડ્યા

સુરતઃ શહેરમાં પર્યુષણ અને ગણેશોત્સવના તહેવાર પછી કોરોનાના કેસમાં આંશિક વધારો થયો છે. ત્યારે આગામી તહેવારોની ઉજવણી માટે આ લાલબત્તી સમાન સાબિત થઈ શકે છે. શહેરના પાલ રોડના સુમેરુ સિલ્વર લિફ એપાર્ટમેન્ટમાં 3 બાળકો સહિત 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. છેલ્લા અઠવાડિયામાં 10થી 14 વર્ષના 3 બાળક સહિત પાંચ કેસ નોંધાતા આ એપાર્ટમેન્ટ સીલ કરાયું છે. શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. ત્રણ દિવસમાં સુરત મહાનગરપાલિકાએ 2 એપાર્ટમેન્ટને કોરોના કેસ વધતા સીલ કરવામાં આવ્યા છે.

લોકો કોરોનાની ગાઈડલાઈન નથી અનુસરતા

એક તરફ કોરોનાની વેક્સિન મુકાવી ચૂક્યા હોય તેવા લોકોને પણ ચેપ લાગી રહ્યો છે. તો બીજી તરફ લોકો બેદરકાર બનીને કોરોનાની ગાઈડલાઈનને અનુસરતા નથી. પર્યુષણ અને ગણપતિ ઉત્સવ ભુજ વાયા જેમાં લોકો ભીડમાં જોવા મળ્યા ને કોરોના ની ગાઇડ લાઇનનો પણ પાલન થયું ન હતું તેથી રોજના જે બે-ત્રણ કેસ નોંધાતા તે હવે રોજ સાત આઠ થવા માંડયા છે..

રહીશોને ક્વોરન્ટાઈનમાં રહેવા સૂચના

પાલ રોડ સુમેરુ સિલ્વર લિફ એપાર્ટમેન્ટમાં 3 બાળકો સહિત કોરોના પોઝિટિવના 5 કેસ નોંધાયા છે. ત્યારે એપાર્ટમેન્ટના એ વિભાગના 44 અને વિભાગના 44 મળી કુલ અહીં 88 ફ્લેટ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફ્લેટમાં રહેતા 18 વર્ષથી નીચેના 77 બાળકોના રેપિડ ટેસ્ટ કરવામાં હતા. કોરોનાના 5 કેસ મળતાં એપાર્ટમેન્ટના રહીશોને ક્વોરન્ટાઈનમાં રહેવા સૂચના આપી છે. આ અગાઉ સુરતના અઠવા ઝોનના ખાતે આવેલા મેઘ મયુર એપાર્ટમેન્ટમાં કેસ નોંધાતા તેને ક્લસ્ટર કરવામાં આવ્યું હતું. અઠવા ઝોનમાં ભટાર તડકેશ્વર વસાહત આઝાદ નગર પાસે એક કેસ નોંધાયો છે. જ્યારે રાંદેર ઝોનમાં પણ વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે.

આ પણ વાંચો- Gujarat Corona Update: રાજ્યમાં 24 કલાકમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા, 30 દર્દીઓએ આપી કોરોનાને માત

આ પણ વાંચો- કોરોના મહામારી દરમિયાન ગુજરાતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મ RRR સહિત 96 ફિલ્મોના શૂટિંગ થયા: પ્રવાસન પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.