સુરત : ઉમરપાડા તાલુકાના વાડી ગામના વતની (student wrote 'The End' on black board) અમનકુમાર રાજુ વસાવાએ ઝંખવાવ ખાતેની આદિવાસી હોસ્ટેલમાં કોઈક અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી (Student committed suicide by hanging himself) લીધી હતી. આ યુવકે હોસ્ટેલમાં બ્લેક બોર્ડ ઉપર એક કુદરતી સૌંદર્ય દોર્યું હતું અને સાથે THE/END લખી પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા (Student committed suicide In Surat Zankhwav) કરી લીધી હતી.
આ પણ વાંચો: Murder in Ahmedabad: 400 રૂપિયાની લેતીદેતીમાં ભિક્ષુકની હત્યા
પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઘટનાની જાણ વાલી વારસોને કરવામાં આવતા યુવકના ઘરના સભ્યો તેમજ વાડી ગામના સરપંચ ભુપેન્દ્ર વસાવા દોડી આવ્યા હતા. સાથે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ સહિત કાયદેસરની કાર્યવાહી કરી છે.
અભ્યાસના ભારણને લઈને આત્મહત્યા કરી હોવાનું અનુમાન
ધોરણમાં 12 સાયન્સમાં અભ્યાસ કરતા યુવકે ક્યાં કારણોસર આત્મહત્યા કરી એ હજી સુધી જાણવા મળ્યું નથી, પણ અભ્યાસના ભારણના લીધે આત્મહત્યા કરી હોવાનું આ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે.