ETV Bharat / city

Rathyatra 2021 : રથયાત્રા માટે હરિભક્તો આશાસ્પદ, સરકારની પરવાનગીની જોઈ રહ્યા છે રાહ - Surat Isckon Temple

સુરત ઇસ્કોન મંદિર (Surat Isckon Temple) દ્વારા દર વર્ષે 12 કિલોમીટર સુધીની રથયાત્રા અષાઢી બીજના દિવસે કાઢવામાં આવતી હોય છે. જેમાં 6 થી 7 લાખ હરિભક્તો દર્શન કરતા હોય છે. ગત વર્ષે અષાઢી બીજના દિવસે પ્રથમ વખત જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી નહોતી. આ વર્ષે હરિભક્તોને આશા છે કે ભગવાનની યાત્રા નીકળશે અને સરકાર પરવાનગી પણ આપશે.

Surat Isckon Temple
Surat Isckon Temple
author img

By

Published : Jun 29, 2021, 9:52 PM IST

  • અમદાવાદ બાદ સુરતમાં પણ રથયાત્રાનું ખૂબ જ છે મહત્વ
  • આ વખતે હરિભક્તોએ સરકાર પાસે પરવાનગીની આશા રાખી
  • સુરત ઇસ્કોન મંદિરમાં જગન્નાથની યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ

સુરત : દેશભરમાં અષાઢી બીજનો દિવસ હરિભક્તો માટે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. આ દિવસની રાહ હરિભક્તો એક વર્ષ સુધી જોતા હોય છે. આ દિવસે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. ઓરિસ્સા બાદ રથયાત્રા સૌથી મહત્વ ગુજરાતમાં ધરાવે છે. ગુજરાતમાં પણ અમદાવાદ બાદ સુરતમાં રથયાત્રાનું ખૂબ જ વધુ મહત્વ છે, પરંતુ સુરતના હરિભક્તોની નજર આ વખતે સરકારની ઉપર છે . ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રા કાઢવામાં આવી ન હતી. આ વખતે હરિભક્તોએ સરકાર પાસે આશા રાખી છે કે, તેમને પરવાનગી આપવામાં આવે. જેથી સરકારના તમામ નીતિ-નિયમો અનુસાર તેઓ આ વર્ષે રથયાત્રા (Rathyatra 2021) કાઢી શકે.

RTE Act અંતર્ગત એડમિશન મેળવવાની આવશ્યકતાઓ

તમામ તૈયારીઓ પૂર્ણ

સુરત ઇસ્કોન મંદિર (Surat Isckon Temple) માં જગન્નાથની યાત્રાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન માટેના વાઘા પણ વૃંદાવનથી આવી ગયા છે. એટલું જ નહીં જે રથ પર ભગવાનને વિરાજમાન કરીને નગર ભ્રમણ કરાવવામાં આવતા હોય છે, તેનું પણ રંગરોગાન કરી દેવામાં આવ્યું છે.

વૃંદાવનથી આવેલા ભગવાનના વાઘા
વૃંદાવનથી આવેલા ભગવાનના વાઘા

અમે તમામ નિયમોનું પાલન કરી રથયાત્રા કાઢીશું

Rathyatra 2021 અંગે ઈસ્કોન મંદિરના સંચાલક સચિ સુત કુમાર દાસે કહ્યું કે, જો સરકાર અમને પરવાનગી આપશે તો અમે રથયાત્રા કાઢવા માટે તૈયાર છીએ. સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન અમારા દ્વારા કરવામાં આવશે. અમે તમામ તૈયારીઓ કરી લીધી છે. સુરતના લોકો પ્રસન્ન થઈ જશે. રથમાં ભગવાન જગન્નાથ ,સુભદ્રાજી અને બલરામને જોવાનો અર્થ છે કે તમામ પાપોથી વ્યક્તિને મુક્તિ માટે દ્વાર મળી જતું હોય છે. ઇસ્કોન સાથે ખૂબ જ શિક્ષિત લોકો જોડાયેલા છે. અમે સરકાર ઉપર કોઈપણ પ્રકારનું દબાણ નાંખવા ઈચ્છતા નથી પરંતુ જો સરકાર અમને શરતોના આધીન પરવાનગી આપશે તો અમે તમામ નિયમોનું પાલન કરી રથયાત્રા કાઢીશું

  • અમદાવાદ બાદ સુરતમાં પણ રથયાત્રાનું ખૂબ જ છે મહત્વ
  • આ વખતે હરિભક્તોએ સરકાર પાસે પરવાનગીની આશા રાખી
  • સુરત ઇસ્કોન મંદિરમાં જગન્નાથની યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ

સુરત : દેશભરમાં અષાઢી બીજનો દિવસ હરિભક્તો માટે ખૂબ જ મહત્વનો દિવસ હોય છે. આ દિવસની રાહ હરિભક્તો એક વર્ષ સુધી જોતા હોય છે. આ દિવસે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવતી હોય છે. ઓરિસ્સા બાદ રથયાત્રા સૌથી મહત્વ ગુજરાતમાં ધરાવે છે. ગુજરાતમાં પણ અમદાવાદ બાદ સુરતમાં રથયાત્રાનું ખૂબ જ વધુ મહત્વ છે, પરંતુ સુરતના હરિભક્તોની નજર આ વખતે સરકારની ઉપર છે . ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રા કાઢવામાં આવી ન હતી. આ વખતે હરિભક્તોએ સરકાર પાસે આશા રાખી છે કે, તેમને પરવાનગી આપવામાં આવે. જેથી સરકારના તમામ નીતિ-નિયમો અનુસાર તેઓ આ વર્ષે રથયાત્રા (Rathyatra 2021) કાઢી શકે.

RTE Act અંતર્ગત એડમિશન મેળવવાની આવશ્યકતાઓ

તમામ તૈયારીઓ પૂર્ણ

સુરત ઇસ્કોન મંદિર (Surat Isckon Temple) માં જગન્નાથની યાત્રાને લઇને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભગવાન માટેના વાઘા પણ વૃંદાવનથી આવી ગયા છે. એટલું જ નહીં જે રથ પર ભગવાનને વિરાજમાન કરીને નગર ભ્રમણ કરાવવામાં આવતા હોય છે, તેનું પણ રંગરોગાન કરી દેવામાં આવ્યું છે.

વૃંદાવનથી આવેલા ભગવાનના વાઘા
વૃંદાવનથી આવેલા ભગવાનના વાઘા

અમે તમામ નિયમોનું પાલન કરી રથયાત્રા કાઢીશું

Rathyatra 2021 અંગે ઈસ્કોન મંદિરના સંચાલક સચિ સુત કુમાર દાસે કહ્યું કે, જો સરકાર અમને પરવાનગી આપશે તો અમે રથયાત્રા કાઢવા માટે તૈયાર છીએ. સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન અમારા દ્વારા કરવામાં આવશે. અમે તમામ તૈયારીઓ કરી લીધી છે. સુરતના લોકો પ્રસન્ન થઈ જશે. રથમાં ભગવાન જગન્નાથ ,સુભદ્રાજી અને બલરામને જોવાનો અર્થ છે કે તમામ પાપોથી વ્યક્તિને મુક્તિ માટે દ્વાર મળી જતું હોય છે. ઇસ્કોન સાથે ખૂબ જ શિક્ષિત લોકો જોડાયેલા છે. અમે સરકાર ઉપર કોઈપણ પ્રકારનું દબાણ નાંખવા ઈચ્છતા નથી પરંતુ જો સરકાર અમને શરતોના આધીન પરવાનગી આપશે તો અમે તમામ નિયમોનું પાલન કરી રથયાત્રા કાઢીશું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.