ETV Bharat / city

AAPના કાર્યકર્તાઓએ સરકારના વિરુદ્ધ પ્રદર્શન કરી રોડ પર ભીખ માંગી

સુરતમાં રાત્રિ કર્ફ્યુ અને રાજ્ય સરકાર તેમજ કોર્પોરેશન દ્વારા લેવાયેલા નિર્ણયોના કારણે લોકોને હેરાનગતિ થઇ રહી છે. તેના વિરોધમાં સુરત મહાનગર પાલિકાના વિરોધ પક્ષ આમ આદમી પાર્ટી આક્રમક બની છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોર્પોરેટરો દ્વારા સુરતના રસ્તા પર ઉતરી ભીખ માંગવામાં આવી રહી છે. કોરોનાના નામે ધંધા-રોજગાર પડી ભાંગતા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

author img

By

Published : Mar 25, 2021, 1:18 PM IST

Updated : Mar 25, 2021, 2:13 PM IST

કાર્યકર્તાઓએ સરકારના વિરોધ પ્રદર્શન કરવા રોડ પર ભીખ માંગી
કાર્યકર્તાઓએ સરકારના વિરોધ પ્રદર્શન કરવા રોડ પર ભીખ માંગી
  • ઘોડદોડ વિસ્તારમાં આમ-આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન
  • કોરોનાના કારણે અનેક નિયમો બહાર આવ્યા
  • કાર્યકર્તાઓ રોડ પર ભીખ માંગતા જોઇ લોકો પણ આશ્ચર્યમાં

સુરત : શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા રામ ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ગોધર રોડ વિસ્તારમાં ભીખ માંગતા દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

કાર્યકર્તાઓએ સરકારના વિરોધ પ્રદર્શન કરવા રોડ પર ભીખ માંગી

આ પણ વાંચો : મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જર માટે RT- PCR ટેસ્ટ ફરજીયાત કરાયો


સરકારના નિર્ણયોના કારણે સામાન્ય પ્રજાને હેરાનગતિ


આમ આદમી પાર્ટીના નેતાઓના જણાવ્યા મુજબ, સરકારના નિયમો અને નિર્ણયોના કારણે સામાન્ય પ્રજા ખાસ કરીને વેપારીઓ અને દુકાનદારો સહિત લોકોને હેરાનગતિ થઈ રહી છે. કેટલાક લોકોની રોજગારી છીનવાઈ ગઇ છે. આ સમગ્ર બાબત સરકારના ધ્યાનમાં આવે આ માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. લોકો પોતાનું ઘર કેવી રીતે ચલાવે તે એક મોટો પ્રશ્ન છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓએ લોકો પાસે માસિકના નામે એક હજાર રૂપિયાનો મસમોટો દંડ ઉઘરાવીને હેરાનગતિ કરી રહી છે તેવો આક્ષેપ કોર્પોરેશન સામે કર્યા છે.

આ પણ વાંચો : હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી

  • ઘોડદોડ વિસ્તારમાં આમ-આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન
  • કોરોનાના કારણે અનેક નિયમો બહાર આવ્યા
  • કાર્યકર્તાઓ રોડ પર ભીખ માંગતા જોઇ લોકો પણ આશ્ચર્યમાં

સુરત : શહેરના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોડ રોડ પર આવેલા રામ ચોક ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. સુરતમાં વધી રહેલા કોરોના સંક્રમણને નાથવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ગોધર રોડ વિસ્તારમાં ભીખ માંગતા દેખાતા લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા.

કાર્યકર્તાઓએ સરકારના વિરોધ પ્રદર્શન કરવા રોડ પર ભીખ માંગી

આ પણ વાંચો : મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જર માટે RT- PCR ટેસ્ટ ફરજીયાત કરાયો


સરકારના નિર્ણયોના કારણે સામાન્ય પ્રજાને હેરાનગતિ


આમ આદમી પાર્ટીના નેતાઓના જણાવ્યા મુજબ, સરકારના નિયમો અને નિર્ણયોના કારણે સામાન્ય પ્રજા ખાસ કરીને વેપારીઓ અને દુકાનદારો સહિત લોકોને હેરાનગતિ થઈ રહી છે. કેટલાક લોકોની રોજગારી છીનવાઈ ગઇ છે. આ સમગ્ર બાબત સરકારના ધ્યાનમાં આવે આ માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. લોકો પોતાનું ઘર કેવી રીતે ચલાવે તે એક મોટો પ્રશ્ન છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓએ લોકો પાસે માસિકના નામે એક હજાર રૂપિયાનો મસમોટો દંડ ઉઘરાવીને હેરાનગતિ કરી રહી છે તેવો આક્ષેપ કોર્પોરેશન સામે કર્યા છે.

આ પણ વાંચો : હોળી ધૂળેટી પર્વને કોરોનાનું ગ્રહણ, વેપારીઓમાં જોવા મળી નારાજગી

Last Updated : Mar 25, 2021, 2:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.