ETV Bharat / city

લો બોલો, સુરતની 100 વર્ષની વૃદ્ધાના આંખમાંથી ઈયળો કાઢવામાં આવી

author img

By

Published : Feb 1, 2022, 9:55 PM IST

સાગબારા તાલુકાના ચોપડવાવ ગામની 100 વર્ષની વૃદ્ધાની આંખમાંથી માંડવીની તેજસ હોસ્પિટલના તબીબ દ્વારા 35થી 40 ઈયળો (caterpillar in eyes) કાઢી વૃદ્ધાને પીડાથી રાહત આપી હતી.

લો બોલો, સુરતની 100 વર્ષની વૃદ્ધાના આંખમાંથી ઈયળો કાઢવામાં આવી
લો બોલો, સુરતની 100 વર્ષની વૃદ્ધાના આંખમાંથી ઈયળો કાઢવામાં આવી

સુરત: સાગબારા તાલુકાના ચોપાડવાવ ગામના 100 વર્ષની વૃદ્ધા દિતુંબહેન સુરજીભાઈ વસાવા જેઓ હાલ પોતાના નાના દીકરા સાથે રહે છે, દીતુંબહેનને 6 મહિના પહેલા આંખમાં ફોલ્લી થઈ હતી, તેઓ સ્થાનિક ડોકટર પાસે જઈ દવા લીધી અને આંખમાં ખજવાળ આવતા તેઓ આંખમાં ખજવાળી નાખતા અને આંખમાંથી લોહી નીકળતું ત્યારે તેઓ આંખમાં કપડું દબાવી રાખતા અને તડકામાં જઈ બેસી જતા. તડકામાં સારું લાગતા તેઓ બપોરના સમયે તડકામાં જ સુઇ જતા.

આંખમાં પુષ્કળ ઈયળો હોવાનું જણાય આવ્યું

વૃદ્ધાની પીડા પરિવારજનોને ધ્યાને આવતા તેઓ તાત્કાલિક સ્થાનિક તબીબ પાસે લઈ ગયા હતા. જ્યાં સ્થાનિક તબીબ દ્વારા તેઓને સુરત (surat incident) જિલ્લાના માંડવી તેજસ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપાઈ હતી. પરિવારજનો તાત્કાલિક વૃદ્ધાને તેજસ હોસ્પિટલમાં લાવ્યા હતા. તેજસ હોસ્પિટલના તબીબ દ્વારા વૃદ્ધાના આંખની તપાસ કરતા આંખમાં પુષ્કળ ઈયળો હોવાનું જણાય આવ્યું હતું. તબીબે તાત્કાલિક ઓપરેશન કરીને વૃદ્ધાની આંખમાંથી 35થી 40 ઈયળો (caterpillar in eyes) કાઢી હતી, ત્યારે છેલ્લા છ મહિનાથી પીડાતી મહિલાને રાહત થઈ હતી.

આ પણ વાંચો: Junagadh samuh lagna: જૂનાગઢમાં યોજાયા ધાર્મિક એકતા શમા લગ્ન અને નિકાહ

સદનસીબે સડો મગજ સુધી ન લાગ્યો

માંડવી તેજસ હોસ્પિટલના તબીબ ઉદય ગજીવાલાએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ વૃદ્ધાની આંખમાં ઈયળ હોવાનું માલુમ પડતા અમે પણ ચોંકી ગયા હતા, સડો ક્યાં ક્યાં સુધી પ્રસર્યો છે એ માટે સીટી સ્કેન કરાવ્યું હતું. જો કે, સદનસીબે સડો મગજ સુધી પહોંચ્યો ન હતો. સતત ચાર દિવસ પાંચ વાર દવા મૂકીને ઈયળો બહાર કાઢવામાં આવી છે, હાલ તેઓના ઘા સાફ કરીને તેઓને રજા પણ આપી દેવામાં આવી છે, તેજસ હોસ્પિટલ દ્વારા વૃદ્ધાની તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક કરવામાં આવી છે.

આ પણ વાંચો: Illegal Foreign Tour: ગેરકાનૂની રીતે વિદેશ જવું એટલે કુહાડી પર પગ મારવો

સુરત: સાગબારા તાલુકાના ચોપાડવાવ ગામના 100 વર્ષની વૃદ્ધા દિતુંબહેન સુરજીભાઈ વસાવા જેઓ હાલ પોતાના નાના દીકરા સાથે રહે છે, દીતુંબહેનને 6 મહિના પહેલા આંખમાં ફોલ્લી થઈ હતી, તેઓ સ્થાનિક ડોકટર પાસે જઈ દવા લીધી અને આંખમાં ખજવાળ આવતા તેઓ આંખમાં ખજવાળી નાખતા અને આંખમાંથી લોહી નીકળતું ત્યારે તેઓ આંખમાં કપડું દબાવી રાખતા અને તડકામાં જઈ બેસી જતા. તડકામાં સારું લાગતા તેઓ બપોરના સમયે તડકામાં જ સુઇ જતા.

આંખમાં પુષ્કળ ઈયળો હોવાનું જણાય આવ્યું

વૃદ્ધાની પીડા પરિવારજનોને ધ્યાને આવતા તેઓ તાત્કાલિક સ્થાનિક તબીબ પાસે લઈ ગયા હતા. જ્યાં સ્થાનિક તબીબ દ્વારા તેઓને સુરત (surat incident) જિલ્લાના માંડવી તેજસ હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપાઈ હતી. પરિવારજનો તાત્કાલિક વૃદ્ધાને તેજસ હોસ્પિટલમાં લાવ્યા હતા. તેજસ હોસ્પિટલના તબીબ દ્વારા વૃદ્ધાના આંખની તપાસ કરતા આંખમાં પુષ્કળ ઈયળો હોવાનું જણાય આવ્યું હતું. તબીબે તાત્કાલિક ઓપરેશન કરીને વૃદ્ધાની આંખમાંથી 35થી 40 ઈયળો (caterpillar in eyes) કાઢી હતી, ત્યારે છેલ્લા છ મહિનાથી પીડાતી મહિલાને રાહત થઈ હતી.

આ પણ વાંચો: Junagadh samuh lagna: જૂનાગઢમાં યોજાયા ધાર્મિક એકતા શમા લગ્ન અને નિકાહ

સદનસીબે સડો મગજ સુધી ન લાગ્યો

માંડવી તેજસ હોસ્પિટલના તબીબ ઉદય ગજીવાલાએ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ વૃદ્ધાની આંખમાં ઈયળ હોવાનું માલુમ પડતા અમે પણ ચોંકી ગયા હતા, સડો ક્યાં ક્યાં સુધી પ્રસર્યો છે એ માટે સીટી સ્કેન કરાવ્યું હતું. જો કે, સદનસીબે સડો મગજ સુધી પહોંચ્યો ન હતો. સતત ચાર દિવસ પાંચ વાર દવા મૂકીને ઈયળો બહાર કાઢવામાં આવી છે, હાલ તેઓના ઘા સાફ કરીને તેઓને રજા પણ આપી દેવામાં આવી છે, તેજસ હોસ્પિટલ દ્વારા વૃદ્ધાની તમામ પ્રકારની સારવાર નિઃશુલ્ક કરવામાં આવી છે.

આ પણ વાંચો: Illegal Foreign Tour: ગેરકાનૂની રીતે વિદેશ જવું એટલે કુહાડી પર પગ મારવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.