ETV Bharat / city

રાજકોટની સોની બજારમાં BIS દ્વારા ચકાસણી હાથ ધરાઈ, સોની વેપારીઓમાં ભયનો માહોલ

રાજકોટની સોની બજારમાં BIS ( Bureau of Indian Standards ) દ્વારા હોલમાર્કના કેન્દ્રો પર અચાનક ચકાસણીની કરવામાં આવી હતી. આ કાર્યવાહીના કારણે સોની વેપારીઓમાં પણ થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

author img

By

Published : Jul 4, 2021, 6:47 PM IST

રાજકોટની સોની બજારમાં BIS દ્વારા ચકાસણી હાથ ધરાઈ
રાજકોટની સોની બજારમાં BIS દ્વારા ચકાસણી હાથ ધરાઈ
  • BIS દ્વારા રાજકોટની સોની બજારમાં હોલમાર્ક ચકાસણી હાથ ધરાઈ
  • માર્ગદર્શન સાથે તેમના દસ્તાવેજોની ચકાસણી કરી
  • સરકાર દ્વારા દાગીના પર હોલમાર્કને ફરજિયાત કરાયો હતો

રાજકોટ: દેશમાં સોનાના દાગીનાનાં વેચાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર હોલમાર્કને ફરજિયાત કરવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ BIS ( Bureau of Indian Standards ) ની કચેરી દ્વારા શહેરની સોની બજારમાં આવેલા અલગ અલગ હોલમાર્કના કેન્દ્રો પર અચાનક ચકાસણીની કરવામાં આવી હતી. તેમજ મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જોકે BISની ટિમ દ્વારા સોની બજારમાં આવેલા કેન્દ્રોની અચાનક મુલાકાત લેવામાં આવતા સોની વેપારીઓમાં પણ થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: રાજકોટ સહિતના જિલ્લામાં 46 સસ્તા અનાજની દુકાનોને ફટકારાઇ નોટિસ

સોની બજારમાં આવેલ હોલમાર્ક કેન્દ્રની કરી ચકાસણી

BISની ટિમ દ્વારા રાજકોટ સોની બજારમાં આવેલા હોલમાર્કિંગ કેન્દ્ર ચલાવતા સંચાલકોની મુલાકાત દરમિયાન યોગ્ય અને જરૂરી માર્ગદર્શન સાથે તેમના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આ સાથે જ આ મામલે આગામી દિવસોમાં સોની વેપારીઓને પડનાર મુશ્કેલી અંગે વાકેફ કર્યા હતા. હાલમાં રાજકોટમાં 5 જેટલા સોનાના દાગીનાને હોલમાર્ક કરતા કેન્દ્રો આવેલા છે અને તેની 2 સભ્યોની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

તમામ હોલમાર્ક કેન્દ્રોની થશે ચકાસણી

આગામી દિવસોમાં BISની ટિમ દ્વારા ધીમે-ધીમે તમામ હોલમાર્ક કેન્દ્રોની ચકાસણીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જ્યારે તાજેતરમાં સોની બજારમાં ચકાસણી કરવા માટે આવેલા BISના સ્ટાફ દ્વારા હોલમાર્કના કાયદાના અમલના કારણે વેપારીઓને કેવી મુશ્કેલી સહન કરવી પડશે તેનાથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. જ્યારે, રાજકોટ સોની બજારના વેપારીઓએ પણ પોતાને હાલ આ મામલે પડતી સમસ્યાઓ અંગે અધિકારીઓને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: હવે ચપટી વગાડતા રાજકોટની પ્રજાના પ્રશ્નો થશે સોલ્વ જાણો કઇ રીતે...

2 અધિકારીઓની ટિમ દ્વારા કરાઈ ચકાસણી

રાજકોટની સોની બજારમાં શનિવારે સવારથી 2 અધિકારીઓ તેમના હોલમાર્ક સેન્ટરમાં આવ્યા હતા. તેમજ અહીં તેઓ દ્વારા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં હતી. આ તકે તેમને હોલમાર્કના કાયદાને કારણે વેપારીઓને પડનારી અગવડતા અંગે વિસ્તાર પૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. તે સામે તેઓએ આ બાબતે ઉચ્ચસ્તરે ધ્યાન દોરવા માટે આશ્વાસન આપ્યું હતું.

  • BIS દ્વારા રાજકોટની સોની બજારમાં હોલમાર્ક ચકાસણી હાથ ધરાઈ
  • માર્ગદર્શન સાથે તેમના દસ્તાવેજોની ચકાસણી કરી
  • સરકાર દ્વારા દાગીના પર હોલમાર્કને ફરજિયાત કરાયો હતો

રાજકોટ: દેશમાં સોનાના દાગીનાનાં વેચાણ માટે કેન્દ્ર સરકાર દ્વારા દાગીના પર હોલમાર્કને ફરજિયાત કરવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ BIS ( Bureau of Indian Standards ) ની કચેરી દ્વારા શહેરની સોની બજારમાં આવેલા અલગ અલગ હોલમાર્કના કેન્દ્રો પર અચાનક ચકાસણીની કરવામાં આવી હતી. તેમજ મામલે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જોકે BISની ટિમ દ્વારા સોની બજારમાં આવેલા કેન્દ્રોની અચાનક મુલાકાત લેવામાં આવતા સોની વેપારીઓમાં પણ થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: રાજકોટ સહિતના જિલ્લામાં 46 સસ્તા અનાજની દુકાનોને ફટકારાઇ નોટિસ

સોની બજારમાં આવેલ હોલમાર્ક કેન્દ્રની કરી ચકાસણી

BISની ટિમ દ્વારા રાજકોટ સોની બજારમાં આવેલા હોલમાર્કિંગ કેન્દ્ર ચલાવતા સંચાલકોની મુલાકાત દરમિયાન યોગ્ય અને જરૂરી માર્ગદર્શન સાથે તેમના દસ્તાવેજોની ચકાસણી કરી હતી. આ સાથે જ આ મામલે આગામી દિવસોમાં સોની વેપારીઓને પડનાર મુશ્કેલી અંગે વાકેફ કર્યા હતા. હાલમાં રાજકોટમાં 5 જેટલા સોનાના દાગીનાને હોલમાર્ક કરતા કેન્દ્રો આવેલા છે અને તેની 2 સભ્યોની ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

તમામ હોલમાર્ક કેન્દ્રોની થશે ચકાસણી

આગામી દિવસોમાં BISની ટિમ દ્વારા ધીમે-ધીમે તમામ હોલમાર્ક કેન્દ્રોની ચકાસણીની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. જ્યારે તાજેતરમાં સોની બજારમાં ચકાસણી કરવા માટે આવેલા BISના સ્ટાફ દ્વારા હોલમાર્કના કાયદાના અમલના કારણે વેપારીઓને કેવી મુશ્કેલી સહન કરવી પડશે તેનાથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. જ્યારે, રાજકોટ સોની બજારના વેપારીઓએ પણ પોતાને હાલ આ મામલે પડતી સમસ્યાઓ અંગે અધિકારીઓને રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: હવે ચપટી વગાડતા રાજકોટની પ્રજાના પ્રશ્નો થશે સોલ્વ જાણો કઇ રીતે...

2 અધિકારીઓની ટિમ દ્વારા કરાઈ ચકાસણી

રાજકોટની સોની બજારમાં શનિવારે સવારથી 2 અધિકારીઓ તેમના હોલમાર્ક સેન્ટરમાં આવ્યા હતા. તેમજ અહીં તેઓ દ્વારા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં હતી. આ તકે તેમને હોલમાર્કના કાયદાને કારણે વેપારીઓને પડનારી અગવડતા અંગે વિસ્તાર પૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. તે સામે તેઓએ આ બાબતે ઉચ્ચસ્તરે ધ્યાન દોરવા માટે આશ્વાસન આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.