ETV Bharat / city

Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

author img

By

Published : Dec 23, 2021, 4:10 PM IST

રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે (Jitu Vaghani on Rajkot Visit) હતા. મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં ધોરણ 1થી 5માં જે કોરોનાના પોઝિટિવ કેસ (Rajkot School Corona) સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગની સાથે સંકલનમાં છે. જ્યારે જે બાળકોને ઓફલાઇન અથવા ઓનલાઈન ભણવું હોય તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વાઘણીએ જામનગર રેગીંગ ઘટના અંગે પણ જણાવ્યું હતું કે રાજ્યમાં રેગીંગની ઘટના હવે ભૂતકાળ બની ગઈ છે.

Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે
Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

રાજકોટઃ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે (Jitu Vaghani on Rajkot Visit) હતા. અહીં તેમને રાજકોટ જિલ્લા કલેક્ટર, મનપા કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. જ્યારે હાલ શાળાઓમાં કોરોના (Rajkot School Corona)ના કેસ વધવા મંડ્યા છે ત્યારે જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, ફરી વાર વાલીઓના સંમતિ પત્ર લેવામાં આવશે. તેમજ જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણધિકારી દ્વારા શહેર અને જિલ્લાઓની શાળામાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાત તે માટે સમયાંતરે ડ્રાઇવ (Corona drive in school) યોજશે અને ચેકિંગ પણ કરશે.

Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

વાલીઓમાં બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં ધોરણ 1થી 5માં જે કોરોના (Jitu vaghani on corona)ના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગની સાથે સંકલનમાં છે. જ્યારે જે બાળકોને ઓફલાઇન અથવા ઓનલાઈન ભણવું હોય તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ વાલીઓ પાસે એક વખત અગાઉ પણ ઓફલાઇન માટે સંમતિ પત્ર લેવામાં આવ્યા છે, જરુર પડશે તો બીજી વખત પણ સંમતિ પત્ર લેવામાં આવશે. શાળાઓમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાય તે ખૂબ જ જરૂરી છે.

તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠક

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ જિલ્લાનો પ્રભારી મંત્રી છું. જ્યારે હવે ગ્રામપંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે તમામ વિભાગો દ્વારા અલગ અલગ બેઠક યોજિશ અને જે પણ કામ શરૂ છે તેને પૂર્ણ કરવાં, જ્યારે લોકોને મુશ્કેલીઓ ઉભી ન થાય તે તમામ બાબતોને લઈને ચર્ચા કરીશ. જ્યારે વાઘણીએ જામનગર રેગીંગ ઘટના અંગે પણ જણાવ્યું હતું કે રાજ્યમાં રેગીંગની ઘટના હવે ભૂતકાળ બની ગઈ છે.

આ પણ વાંચો: GSSSB Paper Leak 2021: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા

આ પણ વાંચો: સમયદાન એક દાન પણ ફરજીયાત કેમ? શુ કહે છે શિક્ષણ તંત્ર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાણો..

રાજકોટઃ રાજ્યના શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી આજે રાજકોટની મુલાકાતે (Jitu Vaghani on Rajkot Visit) હતા. અહીં તેમને રાજકોટ જિલ્લા કલેક્ટર, મનપા કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. જ્યારે હાલ શાળાઓમાં કોરોના (Rajkot School Corona)ના કેસ વધવા મંડ્યા છે ત્યારે જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે, ફરી વાર વાલીઓના સંમતિ પત્ર લેવામાં આવશે. તેમજ જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણધિકારી દ્વારા શહેર અને જિલ્લાઓની શાળામાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાત તે માટે સમયાંતરે ડ્રાઇવ (Corona drive in school) યોજશે અને ચેકિંગ પણ કરશે.

Jitu Vaghani on Rajkot Visit: શાળાઓમાં વાલીઓના બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

વાલીઓમાં બીજી વખત સંમતિ પત્ર લેવામાં આવશે

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં ધોરણ 1થી 5માં જે કોરોના (Jitu vaghani on corona)ના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગની સાથે સંકલનમાં છે. જ્યારે જે બાળકોને ઓફલાઇન અથવા ઓનલાઈન ભણવું હોય તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સાથે જ વાલીઓ પાસે એક વખત અગાઉ પણ ઓફલાઇન માટે સંમતિ પત્ર લેવામાં આવ્યા છે, જરુર પડશે તો બીજી વખત પણ સંમતિ પત્ર લેવામાં આવશે. શાળાઓમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન થાય તે ખૂબ જ જરૂરી છે.

તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠક

જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું રાજકોટ જિલ્લાનો પ્રભારી મંત્રી છું. જ્યારે હવે ગ્રામપંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે તમામ વિભાગો દ્વારા અલગ અલગ બેઠક યોજિશ અને જે પણ કામ શરૂ છે તેને પૂર્ણ કરવાં, જ્યારે લોકોને મુશ્કેલીઓ ઉભી ન થાય તે તમામ બાબતોને લઈને ચર્ચા કરીશ. જ્યારે વાઘણીએ જામનગર રેગીંગ ઘટના અંગે પણ જણાવ્યું હતું કે રાજ્યમાં રેગીંગની ઘટના હવે ભૂતકાળ બની ગઈ છે.

આ પણ વાંચો: GSSSB Paper Leak 2021: હેડ ક્લાર્ક પરીક્ષા પેપર લીક મામલે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા

આ પણ વાંચો: સમયદાન એક દાન પણ ફરજીયાત કેમ? શુ કહે છે શિક્ષણ તંત્ર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જાણો..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.