- જન્મથી જ થેલેસીમિયાથી પીડિત છે ડો. રવિ ધાનાણી
- હાલ આસિસ્ટ પ્રોફેસર તરીકે બજાવી રહ્યા છે ફરજ
- ડોકટરે કહ્યું જન્મ બાદ માત્ર 15 વર્ષ જીવીશ
રાજકોટઃ રાજકોટમાં થેલેસીમિયા ગ્રસ્ત યુવાનની રાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદગી (selected for National Award) કરવામાં આવી છે. ડો. રવિ ધાનાણીને આગામી 3 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં નેશનલ એવોર્ડ ઉપરાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરવામાં આવશે. જ્યારે રવીએ આ જ વિષય પર પીએચડી પણ કર્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેઓ થેલેસીમિયા ગ્રસ્ત બાળકો અને લોકોની સેવા માટે અનેક પ્રવૃતિ પણ કરી રહ્યા છે. જ્યારે તેમની નેશનલ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવતા તેમના મિત્રો-સ્વજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જ્યારે રવીને જન્મથી જ થેલેસીમિયાની બીમારી છે.
જન્મથી જ થેલેસીમિયાથી પીડિત છે ડો. રવિ ધાનાણી
ડો. રવિ ધાનાણી જન્મથી જ થેલેસીમિયા ગ્રસ્ત (A young man suffering from thalassemia) છે. જ્યારે તેમને દર બે અઠવાડિયા બાદ બે બોટલ નવા લોહીની જરૂર હોય છે. એવામાં તેઓ હાલ 38 વર્ષના છે અને તેમને ડાયાબિટીસની પણ બીમારી છે. રવિ રાજકોટના સૌથી મોટી ઉંમરના થેલેસીમિયા ગ્રસ્ત યુવાન છે. થેલેસેમિયા ગ્રસ્ત વ્યક્તિનું આયુષ્ય અંદાજીત 20થી 25 વર્ષનું જ હોય છે. જ્યારે હાલ રાજકોટમાં અંદાજીત 600 જેટલા લોકો થેલેસીમિયાની સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં અંદાજીત 8થી 10 હજાર બાળકો થેલેસીમિયાનો શિકાર છે.
ડોકટરે કહ્યું જન્મ બાદ માત્ર 15 વર્ષ જીવીશ
રવીનો જન્મ 30 ઓગસ્ટ 1984માં અમરેલીમાં થયો હતો. જ્યારે તેનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો પરંતુ જન્મના 4 મહિના બાદ તેના માતા પિતા અને પરિવારજનોને થેલેસીમિયા હોવાની જાણ થઈ હતી. જ્યારે માતાપિતાએ કોઈ દિવસ આ બીમારી અંગે સાંભળ્યું પણ નહોતું. ડોક્ટર દ્વારા માતાપિતાને કહેવામાં આવ્યું હતું કે હું થેલેસીમિયા નામની ગંભીર બીમારીનો સમનો કરી રહ્યો છું અને આગામી 15 વર્ષ સુધી જ જીવી શકીશ. ત્યારે રવીના માતાપિતાને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જ્યારે તે સમયમાં થેલેસીમિયા રોગ અંગેના યોગ્ય માર્ગદર્શન અને સારવારનો અભાવ હતો.
શાળામાં પણ ખૂબ જ ભેદભાવ કરાતો
રવીએ વધુમાં જણાવ્યું હતું કે તેઓએ જ્યારે આ બીમારી સાથે જીવવાનું નક્કી કર્યું અને માતાપિતા સાથે રાજકોટ આવીને વસ્યા હતા. ત્યારે તેમની બીનારીના કારણે માતાપિતાને સામાજિક ભેદભાવનો સામનો કરવો પડતો હતો. જ્યારે રવીને શાળામાં પણ અભ્યાસ દરમિયાન ભેદભાવનો સામનો કરવો પડતો હતો પરંતુ આ બધામાં ધ્યાન આપ્યા વગર તેઓ અભ્યાસમાં આગળ વધતા ગયા અને પીએચડી કર્યું. જ્યારે રવીએ પીએચડી પણ થેલેસીમિયા મેજર દર્દીના માતા પિતાને થતી સમસ્યા પર કર્યું છે. જેના અભ્યાસ દરમિયાન રવીએ વિવિધ જિલ્લાઓના 200 જેટલા થેલેસીમિયા ગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી.
થેલેસીમિયાના દર્દીઓને યોગ્ય સારવાર નહિ
રવીએ પીએચડીના અભ્યાસ દરમિયાન 200 જેટલા થેલેસીમિયા ગ્રસ્ત પરિવારોની મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે થેલેસીમિયા ગ્રસ્ત વ્યક્તિ અને પરિવારના સભ્યોની નાનામાં નાની સમસ્યાઓથી પણ વાકેફ થયા. દર્દીઓ અને તેમના પરિવારની શારીરિક, સામાજિક, આર્થીક, માનસિક અને સારવાર સંબંધિત સમસ્યાઓ તેમને નજીકથી જોઈ હતી. જે દરમિયાન સામે આવ્યું કે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના 5 હજાર જેટલા દર્દીઓ એવા પણ છે જેમને યોગ્ય સારવાર પણ નથી મળી રહી.
હાલ આસિસ્ટ પ્રોફેસર તરીકે બજાવી રહ્યા છે ફરજ
થેલેસીમિયા રોગની સાથે ડો. રવિએ ઘણો જ સંઘર્ષ કર્યો છે અને જીવનમાં આગળ વધ્યા છે. તેમને પીએચડી પૂર્ણ કર્યા બાદ વર્ષ 2008થી રાજકોટની કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છે. જ્યારે તેઓ છેલ્લા ઘણા વર્ષીથી થેલેસીમિયા ગ્રસ્ત બાળકોને તેમના પરિવારના લોકો સાથે કામ કરી રહ્યા છે. જેથી કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ હેઠળના દિવ્યાંગજન કલ્યાણ વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ નિમિત્તે વિકલાંગ કલ્યાણ ક્ષેત્રે સારી કામગીરી કરનાર દિવ્યાંગ વ્યક્તિઓ તરીકે ઉપરાષ્ટ્રપતિના હસ્તે આગામી 3 ડિસેમ્બરના રોજ દિલ્હીમાં નેશનલ એવોર્ડ અપાશે.