ETV Bharat / city

રાજકોટમાં 13 એપ્રિલે 59 કોરોનાના દર્દીના સારવાર દરમિયાન મોત

author img

By

Published : Apr 13, 2021, 3:36 PM IST

Updated : Apr 13, 2021, 5:06 PM IST

દેશભરમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે રાજકોટમાંથી ખૂબ જ ચિંતાજનક આંકડાઓ સામે આવી રહ્યા છે. આજે 13 એપ્રિલના રોજ 59 કોરોનાના દર્દીઓના સારવાર દરમ્યાન મોત નિપજ્યા છે.

રાજકોટ
રાજકોટ
  • રાજકોટમાં કોરોનાથી થયેલા મૃત્યુઆંકે તોડ્યો રેકોર્ડ
  • છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના સારવાર દરમિયાન મોત
  • રાજકોટમાં દરરોજ 400ની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાય છે

રાજકોટઃ રાજકોટમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે મંગળવારે 59 જેટલા દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટમાં 13 એપ્રિલે સૌથી વધુ મોતનો આંકડો જોવા મળી રહ્યો છે. જે રેકોર્ડ બ્રેક માનવામાં આવી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જેને લઇને સમગ્ર જિલ્લામાં હાહાકાર જોવા મળી રહ્યો છે. જ્યારે આ મોતને લઈને આખરી રિપોર્ટ કોવિડ ડેથ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. ત્યારે કોરોનાના સાચો આંકડો બહાર આવશે.

રાજકોટ

આ પણ વાંચો:રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના થયા મોત

59 દર્દીઓના કોરોનાના કારણે થયા મોત

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે રાજકોટમાં દરરોજ 400ની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. 12 એપ્રિલની વાત કરવામાં આવે તો કોરોનાની સારવાર દરમિયાન 42 જેટલા દર્દીઓના મોત થયા હતા. જેમાંથી કોવિડ ડેથ કમિટી દ્વારા 11 દર્દીઓના કોરોનાના કારણે મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટમાં દરરોજ કોરોનાના દર્દીઓના મોતના આંકમાં નવો રેકોર્ડ જોવા મળી રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતિત જોવા મળી રહ્યું છે.

  • રાજકોટમાં કોરોનાથી થયેલા મૃત્યુઆંકે તોડ્યો રેકોર્ડ
  • છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના સારવાર દરમિયાન મોત
  • રાજકોટમાં દરરોજ 400ની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાય છે

રાજકોટઃ રાજકોટમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આજે મંગળવારે 59 જેટલા દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટમાં 13 એપ્રિલે સૌથી વધુ મોતનો આંકડો જોવા મળી રહ્યો છે. જે રેકોર્ડ બ્રેક માનવામાં આવી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. જેને લઇને સમગ્ર જિલ્લામાં હાહાકાર જોવા મળી રહ્યો છે. જ્યારે આ મોતને લઈને આખરી રિપોર્ટ કોવિડ ડેથ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. ત્યારે કોરોનાના સાચો આંકડો બહાર આવશે.

રાજકોટ

આ પણ વાંચો:રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 પોઝિટિવ દર્દીઓના થયા મોત

59 દર્દીઓના કોરોનાના કારણે થયા મોત

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 59 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે રાજકોટમાં દરરોજ 400ની આસપાસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. 12 એપ્રિલની વાત કરવામાં આવે તો કોરોનાની સારવાર દરમિયાન 42 જેટલા દર્દીઓના મોત થયા હતા. જેમાંથી કોવિડ ડેથ કમિટી દ્વારા 11 દર્દીઓના કોરોનાના કારણે મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ રાજકોટમાં દરરોજ કોરોનાના દર્દીઓના મોતના આંકમાં નવો રેકોર્ડ જોવા મળી રહ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ ચિંતિત જોવા મળી રહ્યું છે.

Last Updated : Apr 13, 2021, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.