ETV Bharat / city

રાણકદેવીના મહેલની દુર્દશા જોઇ પ્રવાસી બન્યા ચિંતાગ્રસ્ત - રાણકદેવી મહેલ

જૂનાગઢ: શહેરના ઉપરકોટમાં 800 વર્ષ પહેલા બનાવવામાં આવેલ રાણકદેવીનો મહેલ તંત્રની બેદરકારીને કારણે દયજનક બન્યો છે. અહીં આવતા પ્રવાસીઓ પણ સરકારને મહેલના રીનોવેશનના પગલા ભરવા માટે માગ કરી રહ્યાં છે.

ETV BHARAT
author img

By

Published : Nov 25, 2019, 10:38 PM IST

ઉપરકોટ કિલ્લો જૂનાગઢની એક વિશેષ ઓળખ બની ગયો છે. જૂનાગઢની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઉપરકોટની મુલાકાત લેવાનું ચુકતા નથી. પરંતુએ જ ઉપરકોટમાં આજથી 800 વર્ષ પહેલા બનાવવામાં આવેલો રાણકદેવીનો મહેલ સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો છે. જેને લઇ પ્રવીસીઓ પણ હવે સરકાર અને તંત્રને આ સ્થાપત્ય બચાવવાની માગ કરી રહ્યાં છે.

આ કિલ્લો માત્ર જૂનાગઢ નહીં પરંતુ સમગ્ર ભારતના રાજા રજવાડાનો ઈતિહાસ સમેટી અડીખમ ઉભો છે. સમગ્ર ભારતમાંથી લોકો જૂનાગઢના ઐતિહાસિક સાહિત્ય નિહાળવા માટે આવતા નજરે ચડે છે. એવામાં તંત્રની બેદરકારીના કારણે આ મહેલની હાલત અતિ દયજનક જોવા મળે છે. જે જૂનાગઢની સાથે સાથે સમગ્ર ગુજરાતને શર્મશાર કરે છે.

રાણકદેવીના મહેલની દુર્દશા જોઇ પ્રવાસી બન્યા ચિંતાગ્રસ્ત

રા ખેંગારે પત્ની રાણકદેવીના રહેવા માટે કિલ્લામાં તેમના નામ પરથી જ મહેલ બનાવ્યો હતો. જેમાં તેમનો પરિવાર પણ સાથે રહેતો હતો. આજે 800 વર્ષ સમય વીતવાની સાથે આ મહેલ હવે જીર્ણતા અનુભવી રહ્યો છે. સમયની માર સામે ઝઝૂમીને 800 વર્ષ સુધી તેનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયેલો રાણકદેવીનો મહેલ હવે સરકારી ઉદાસીનતા સામે જાણે કે નતમસ્તક હોય તે રીતે અંતિમ જીર્ણતા તરફ આગળ વધી રહ્યો છે.

મહેલ તેની ભવ્યતા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે, એવું માનીને પ્રવાસી મુલાકાત લેવા માટે ઉપરકોટ આવતા હોય છે. પરંતુ જ્યારે પ્રવાસી મહેલની હાલત જૂએ ત્યારે એવું લાગે કે, મહેલ પત્તાની માફક ખખડીને અંધારાની ગર્તમાં ધકેલાઈ રહ્યો છે.

ઉપરકોટ કિલ્લો જૂનાગઢની એક વિશેષ ઓળખ બની ગયો છે. જૂનાગઢની મુલાકાતે આવતા પ્રવાસીઓ ઉપરકોટની મુલાકાત લેવાનું ચુકતા નથી. પરંતુએ જ ઉપરકોટમાં આજથી 800 વર્ષ પહેલા બનાવવામાં આવેલો રાણકદેવીનો મહેલ સરકારની ઉદાસીનતાનો ભોગ બન્યો છે. જેને લઇ પ્રવીસીઓ પણ હવે સરકાર અને તંત્રને આ સ્થાપત્ય બચાવવાની માગ કરી રહ્યાં છે.

આ કિલ્લો માત્ર જૂનાગઢ નહીં પરંતુ સમગ્ર ભારતના રાજા રજવાડાનો ઈતિહાસ સમેટી અડીખમ ઉભો છે. સમગ્ર ભારતમાંથી લોકો જૂનાગઢના ઐતિહાસિક સાહિત્ય નિહાળવા માટે આવતા નજરે ચડે છે. એવામાં તંત્રની બેદરકારીના કારણે આ મહેલની હાલત અતિ દયજનક જોવા મળે છે. જે જૂનાગઢની સાથે સાથે સમગ્ર ગુજરાતને શર્મશાર કરે છે.

રાણકદેવીના મહેલની દુર્દશા જોઇ પ્રવાસી બન્યા ચિંતાગ્રસ્ત

રા ખેંગારે પત્ની રાણકદેવીના રહેવા માટે કિલ્લામાં તેમના નામ પરથી જ મહેલ બનાવ્યો હતો. જેમાં તેમનો પરિવાર પણ સાથે રહેતો હતો. આજે 800 વર્ષ સમય વીતવાની સાથે આ મહેલ હવે જીર્ણતા અનુભવી રહ્યો છે. સમયની માર સામે ઝઝૂમીને 800 વર્ષ સુધી તેનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયેલો રાણકદેવીનો મહેલ હવે સરકારી ઉદાસીનતા સામે જાણે કે નતમસ્તક હોય તે રીતે અંતિમ જીર્ણતા તરફ આગળ વધી રહ્યો છે.

મહેલ તેની ભવ્યતા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે, એવું માનીને પ્રવાસી મુલાકાત લેવા માટે ઉપરકોટ આવતા હોય છે. પરંતુ જ્યારે પ્રવાસી મહેલની હાલત જૂએ ત્યારે એવું લાગે કે, મહેલ પત્તાની માફક ખખડીને અંધારાની ગર્તમાં ધકેલાઈ રહ્યો છે.

Intro:ઉપરકોટમાં આવેલા રાણકદેવીના મહેલ ને જોઈને પ્રવાસીઓ પણ બન્યા ચિંતાગ્રસ્ત


Body:ઉપરકોટમાં આવેલો રાણકદેવીનો મહેલ સમય ની સાથે તંત્રની માર સામે બન્યો લાચાર જૂનાગઢના રાજા રા ખેંગાર એ તેમની પત્ની રાણકદેવી માટે આજથી 800 વર્ષ પહેલા બનાવેલો આ ઐતિહાસિક સ્થાપત્ય આજે સમયની સાથે સરકારની ઉદાસીનતાનો ભોગ બની રહ્યો છે જેને લઇને અહીં આવતા પ્રવાસીઓ પણ આ સ્થાપત્યની ભવ્યતા કેવી હશે તે જોઈને આજે પણ અચંબિત બની જાય છે પરંતુ વર્તમાન સમયમાં રાણકદેવીના મહેલ ની હાલત અતિ દયાજનક બનતા પ્રવાસીઓ પણ હવે સરકાર અને તંત્ર સામે ભારતના ઇતિહાસ સમા આ સ્થાપત્યને બચાવવા માટે આગળ આવે તેવી માંગ કરી રહ્યા છે

જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો માત્ર જુનાગઢ નો ઈતિહાસ નહીં પરંતુ ભારતના કેટલાક રાજા રજવાડા નો ઇતિહાસ પણ સમેટીને આજે અડીખમ ઉભેલો જોવા મળી રહ્યો છે આજથી 800 વર્ષ પહેલાં જૂનાગઢમાં રાખેંગાર નુ રાજ હતું તેના સમયમાં આ ઉપરકોટનો કિલ્લો બનાવવામાં આવ્યો હોવાનું ઇતિહાસવિદો કહી રહ્યા છે રા ખેંગાર એ તેમની પત્ની રાણકદેવીના રહેવા માટે કિલ્લામાં રાણકદેવીનો મહેલ બનાવ્યો હતો જેમાં રાખેંગાર નો પરિવાર રહેતો હતો આજે 800 વર્ષ સમય વીતવાની સાથે આ મહેલ હવે જીર્ણતા અનુભવી રહ્યો છે સમયની માર સામે ઝઝૂમીને 800 વર્ષ સુધી તેનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયેલો રાણકદેવીનો મહેલ હવે સરકારી ઉદાસીનતા સામે જાણે કે નતમસ્તક હોય તે રીતે હવે અંતિમ જીર્ણતા તરફ આગળ વધી રહ્યો છે

જૂનાગઢમાં આવતો દરેક પ્રવાસી અચૂક પણે ઉપરકોટના કિલ્લાની મુલાકાત લીધી હોય છે પરંતુ જ્યારે તે રાણકદેવીના મહેલની અંદર પ્રવેશે છે ત્યારે આ મહેલ તેની ભવ્યતા માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ જ હશે તેવું માન્યા વગર ના રહે પરંતુ છેલ્લા 800 વર્ષથી સમયની સામે ઝઝૂમી રહેલા રાણકદેવીનો મહેલ સરકારની ઉદાસીનતાને કારણે હવે પત્તાના મહેલની માફક ખખડીને અંધારાની ગર્તમાં ધકેલાતો જોવા મળી રહ્યો છે અહીં આવતો દરેક પ્રવાસી આ મહેલ ભૂતકાળમાં કેટલું ભવ્ય હશે તેનો વિચાર કરીને મોંમાં આંગળા નાખી જતો હશે પરંતુ વર્તમાન સમયમાં જે પ્રકારે આ મહેલની દુર્દશા થઇ છે તેને જોઇને દરેક પ્રવાસી નું અંતર મન કકળી ઉઠતું હશે અહીં આવતો પ્રવાસી ભારતની શાન સમા અને ભારતનાં ઇતિહાસની ધરોહર એવા રાણકદેવીના મહેલને સરકાર ફરીથી તેનો ભવ્યા ભૂતકાળ પરત અપાવી ના શકે તો કંઈ નહીં પરંતુ ભવ્ય સ્મારક ને ભૂતકાળ થતું અટકાવી અને મહેલને બચાવવા માટે સરકાર બને તેટલી વહેલી આગળ આવે તેવી માગ કરી રહ્યા છે

bite આપનાર ત્રણે વ્યક્તિઓ તેમનો નામ બોલે છે







Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.