ETV Bharat / city

જૂનાગઢના ઉપરકોટમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું - ઉપરકોટનો કિલ્લો

જૂનાગઢ: તહેવાર અને વેકેશનના સમયમાં ઐતિહાસિક અને સ્થાપત્યની ધરોહર ધરાવતા જૂનાગઢમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની મુલાકાત લઈ અભિભૂત થયા હતાં. પરંતુ, ઉપરકોટની ગંદકીના કારણે પ્રવાસીઓએ નારાજગી દર્શાવી હતી.

ઉપરકોટ
author img

By

Published : Oct 29, 2019, 4:38 PM IST

અત્યારના સમયમાં તહેવારોની સાથે વેકેશનનો પણ સુમેળ જોવા મળી રહ્યો છે. જેને લઇને જૂનાગઢમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહીં છે. ઐતિહાસિક અને સ્થાપત્યના નમૂનાઓનો સંગ્રહ કરીને જૂનાગઢ શહેર આજે પણ અડીખમ ઉભૂં છે. ઉપરકોટમાં ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના સ્થળો જોવા મળે છે.

જૂનાગઢના ઉપરકોટમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું

ઉપરકોટનો કિલ્લો પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં યુદ્ધમાં વપરાયેલી 'નિલમ તોપ' પ્રવાસીઓનું સ્વાગત કરતી હોય તે રીતે જોવા મળે છે. ઉપરાંત કિલ્લામાં રાણકદેવીનો મહેલ, બૌદ્ધ ગુફાઓ, અડી કડી વાવ અને નવઘણ કૂવો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સ્થાપત્યના બેનમુન અને અજોડ કહી શકાય તેવા સ્મારકો નિહાળવા માટે પ્રવાસીઓ દુર-દુરથી અહીંયા આવતા હોય છે. પરંતુ, લોકો દ્વારા ફેલાવાયેલી ગંદકીના કારણે ઘણા પ્રવાસીઓએ નારાજ થતા જોવા મળે છે.

અત્યારના સમયમાં તહેવારોની સાથે વેકેશનનો પણ સુમેળ જોવા મળી રહ્યો છે. જેને લઇને જૂનાગઢમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહીં છે. ઐતિહાસિક અને સ્થાપત્યના નમૂનાઓનો સંગ્રહ કરીને જૂનાગઢ શહેર આજે પણ અડીખમ ઉભૂં છે. ઉપરકોટમાં ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના સ્થળો જોવા મળે છે.

જૂનાગઢના ઉપરકોટમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું

ઉપરકોટનો કિલ્લો પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં યુદ્ધમાં વપરાયેલી 'નિલમ તોપ' પ્રવાસીઓનું સ્વાગત કરતી હોય તે રીતે જોવા મળે છે. ઉપરાંત કિલ્લામાં રાણકદેવીનો મહેલ, બૌદ્ધ ગુફાઓ, અડી કડી વાવ અને નવઘણ કૂવો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

સ્થાપત્યના બેનમુન અને અજોડ કહી શકાય તેવા સ્મારકો નિહાળવા માટે પ્રવાસીઓ દુર-દુરથી અહીંયા આવતા હોય છે. પરંતુ, લોકો દ્વારા ફેલાવાયેલી ગંદકીના કારણે ઘણા પ્રવાસીઓએ નારાજ થતા જોવા મળે છે.

Intro:સ્થાપત્ય અને ઐતિહાસિક ધરોહર ધરાવતા જૂનાગઢમાં પ્રવાસીઓનું ઘોડાપુર


Body:તહેવાર અને વેકેશનના સમયમાં ઐતિહાસિક અને સ્થાપત્યની ધરોહર ધરાવતા જૂનાગઢમાં પ્રવાસીઓનું ઘોડાપુર જૂનાગઢમાં આવેલા ઉપરકોટ કિલ્લાની હજારો પ્રવાસીઓએ મુલાકાત લઈ અહીં આવેલી ઐતિહાસિક અને સ્થાપત્યની ધરોહરોને નજરે નિહાળી ને અભિભૂત થયા હતા તો બીજી તરફ અહીં જોવા મળતી ગંદકીને લઇને કેટલાક પ્રવાસીઓ એ નારાજગી પણ વ્યક્ત કરી હતી

હાલ તહેવારોની સાથે વેકેશનનો પણ સુમેળ જોવા મળી રહ્યો છે જેને લઇને જૂનાગઢમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ઐતિહાસિક અને સ્થાપત્યના બેનમૂન નમૂનાઓનો સંગ્રહ કરીને જૂનાગઢ શહેર આજે પણ અડીખમ જોવા મળે છે ઐતિહાસિક અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના સ્થળો જૂનાગઢમાં આવેલા ઉપરકોટમાં જોવા મળે છે જેને લઇને દેશ અને દુનિયાના પ્રવાસીઓ જૂનાગઢ ના ઉપરકોટ માં પ્રવાહિત થઇ ને આવી રહ્યા છે હાલ વેકેશનની સાથે તહેવારોનો પણ સમય છે ત્યારે જુનાગઢના ઉપરકોટના કિલ્લામાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટ્યું હતું અને અહીં આવેલા સ્થાપત્યો અને ઐતિહાસિક ઇમારતો ને જોઈને અભિભૂત થયા હતા

ઉપરકોટ નો કિલ્લો પ્રાચીન અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.અહીં યુદ્ધમાં વપરાયેલી નિલમ તોપ પ્રવાસીઓનું પ્રવેશ દ્વારે જાણે કે સ્વાગત કરતી હોય તે રીતે આજે પણ જોવા મળે છે ઉપરકોટના કિલ્લામાં રાણકદેવીનો મહેલ આજે પણ અહીં આવતા પ્રવાસીઓની પસંદગીનું સ્થળ બની રહે છે તો બીજી તરફ બૌદ્ધકાલીન સમયની બૌદ્ધ ગુફાઓ પણ સ્થાપત્ય પ્રત્યે રસ ધરાવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે આજ ઉપરકોટના કિલ્લામાં અડી કડી વાવ ને નવઘણ કૂવો પ્રાચીન સમયમાં પાણીના સંગ્રહ અને પાણીના બચાવ ના સ્થાપત્ય ના રૂપ માં આજે પણ લોકોને વિચારતા કરી મૂકે તેવી શૈલીના બંધારણો ધરાવે છે

અહીં આવતા યાત્રિકો ઉપરકોટ કિલ્લામા જોવા મળતી ગંદકીથી ખૂબ જ નિરાશ થયા હતા સ્થાપત્યના બેનમૂન અને અજોડ કહી શકાય તેવા સ્મારકો આજે ગંદકીથી ખદબદી રહ્યા છે જેને લઇને અહીં આવતા યાત્રિકો આ સ્મારકો પ્રત્યે આદર અને ઉત્સાહ ધરાવે છે પરંતુ ગંદકીને લઇને પ્રવાસીઓ થોડો ક્ષોભ પણ અનુભવી રહ્યા છે વર્ષો પુરાણા અને પ્રાચીનતમ કહી શકાય તેવા આપણા આ સ્મારકો ગંદકીનો ભોગ બની રહ્યા છે જેને લઈને કેટલાક યાત્રિકોએ નારાજગી પણ તેમના શબ્દોમાં વ્યક્ત કરી હતી

કુલ છ બાઈટ છે તમામ બાઈટ ના નામ બાઈટ આપનાર વ્યક્તિ પોતે જ બોલે છે


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.