જૂનાગઢ: આજે સતયુગના સંદેશાવાહક તેમજ પ્રિય પ્રહલાદ અને ધ્રુવને વિષ્ણુ ભક્ત બનાવનાર તથા વેદ વ્યાસ વાલ્મિકી, મહાન જ્ઞાની શુક્રદેવના ગુરુ દેવર્ઋર્ષી નારદની આજે જયંતી (Narad Jayanti in Hindu Religion) છે. સતયુગમાં નારદ સંદેશા વ્યવહારનું કામ કરતા હતા. તેથી તેને સતયુગના પત્રકાર (Journalist in Satyug) તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. આવા મહાન ઋષિની (Narad Jayanti in Hindu Religion) આજે જન્મ જયંતિ છે
આ પણ વાંચો:સંકટચોથના દિવસે કરો આ કામ, જીવનમાં પણ શાંતિ સાથે આર્થિક રીતે પણ થઈ જશો માલામાલ
ધર્મગ્રંથમાં ખાસ ઉલ્લેખ: સતત નારાયણ નારાયણનું સ્મરણ એક હાથમાં વીણા અને બીજા હાથમાં કરતાર એમની ઓળખ છે. સતયુગમાં દેવર્ઋર્ષિ નારદને મહાન સંદેશાવાહક તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. આપણા હિન્દુ ધર્મ ગ્રંથોમાં એનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઋષિ નારદને તમામ યુગો સમસ્ત વિદ્યા અને સકળ વિશ્વના લોકોએ એમને માન-સન્માન આપ્યું હતું. દેવોથી લઈને દૈત્ય પણ દેવર્ઋર્ષિ નારદનો સદાય આદર કરતા હતા. દેવથી લઈને દૈત્યો મૂંઝવણભરી સ્થિતિમાં દેવર્ઋર્ષિ નારદ પાસે અચૂક માર્ગદર્શન પણ મેળવતા હતા. એક પત્રકાર તરીકે પણ વર્તમાન જગતમાં ઋષિ નારદને યાદ રાખવામાં આવ્યા છે.
વિષ્ણું અને લક્ષ્મીના વિવાહ કરાવ્યાની માન્યતા: દેવર્ઋર્ષિ નારદનો પ્રભાવ સતયુગમાં દેવો અને દૈત્યો સુધી પહોંચ્યો હતો. લક્ષ્મી અને વિષ્ણુના વિવાહ કરાવ્યા હોવાનું પણ નારદ સાથે સંકળાયેલા ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. બીજી તરફ જલંધરનો રાક્ષસી પ્રતાપ પૃથ્વી પર વધતા તેનો વિનાશ કરવા માટે મહાદેવને તૈયાર કરવા પાછળ પણ દેવ ઋષિ નારદનું યોગદાન છે. ઋષિ નારદ શાસ્ત્રોના ખૂબ અભ્યાસુ હતા. જેના કારણે તેમણે કંસને આકાશવાણીનો અર્થ પણ સમજાવ્યો હતો.
આ પણ વાંચો: કોરોનામાં બંધ રહેલી ઉત્તરાખંડ યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ પહોંચ્યા, જાણો સત્તાવાર આંકડો
વાલ્મિકીને મંત્ર આપ્યો: હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ તેમના શિષ્ય વાલ્મીકિને રામાયણ રચવાની પ્રેરણા પણ ઋષિ નારદમાંથી મળી હોવાનુ ધર્મગ્રંથોમાં નોંધવામાં છે. પ્રહલાદ અને ધ્રુવને પરમ વિષ્ણુ ભક્ત બનાવવા પાછળ પણ ઋષિ નારદનું યોગદાન હતુ. સતયુગમાં ઋષિ નારદનું કામ ભક્તિનો પ્રચાર અને પ્રસાર કરવાનું હતું. જેથી તેને સતયુગના સંદેશાવાહક તરીકે પણ ઓળખવામાં આવતા હતા.
આવું પણ યોગદાન: સતયુગમાં દેવો દ્વારા જે લીલાઓ રચવામાં આવતી હતી. તેની પાછળ પણ ઋષિ નારદનું યોગદાન હોવાનું ધર્મશાસ્ત્રમાં છે. દેવર્ઋર્ષિ નારદ વિષ્ણુના પરમ ભક્ત હતા અને બ્રહ્માજીના સાત માનસ પુત્રો પૈકી એક પુત્ર હતા. ઋષિના હાથમાં જે વિણા હતી તેને સતયુગમાં મહતીના નામથી ઓળખવામાં આવતી હતી. પૂર્વ કલ્પમા નારદજી ઉપબર્હણ નામના ગંધર્વ હતા. તેના કારણે તેને તેના રૂપ પર ખૂબ અભિમાન હતું.
આ પણ વાંચો: ચારધામ યાત્રા સિવાય ઉત્તરાખંડમાં અન્ય પણ ખૂબ જ સુંદર પર્યટન સ્થળો છે, જાણો તેમના વિશે
આવી પણ કથા છે: બ્રહ્માજીની સેવામાં અપ્સરાઓ અને ગંધર્વ ગીત અને નૃત્ય દ્વારા બ્રહ્માજીની આરાધના કરી રહ્યા હતા ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓ સાથે શણગાર ભાવથી ત્યાં આવ્યા હતા. નારદનું આ અશિષ્ટ આચરણ જોઈને બ્રહ્માજી ક્રોધિત થયા હતા. તેને ક્રોધમાં નારદને શુદ્ર યોનિમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો હતો. બ્રહ્માજીના શ્રાપના ફળ સ્વરૂપે નારદજી શુદ્ર દાસીના ઘરે પુત્ર રૂપે અવતર્યા હતા. નારદજી માતા-પુત્ર સાધુ-સંતોની નિષ્ઠાપૂર્વક સેવાભાવ કરતા હતા.
આ રીતે પાપમુક્ત થયા: બાલ્યાવસ્થામાં નારદજી સાધુ-સંતો અને અન્ય વ્યક્તિઓ દ્વારા એઠું મુકવામાં આવેલું ભોજન ગ્રહણ કરતા હતા. જેને કારણે પૂર્વ કલ્પમાં નારદજી દ્વારા કરવામાં આવેલા તમામ પાપોનો નાશ થયો હતો. બાળકોની સેવા કરવાથી પ્રસન્ન થયેલા સાધુ-સંતોએ નારદજીને નામ જાપ અને ધ્યાનનો ઉપદેશ આપ્યો. નારદજીની માતાનું સર્પદંશથી અચાનક મૃત્યુ થતા નારદજી સંસારમાં એકલા રહી ગયા હતા. માતાના મૃત્યુ બાદ તેમના વિયોગને પણ ભગવાન દ્વારા આપવામાં આવેલા આશીર્વાદ માનીને નારદજીએ ભગવાનનું ભજન કરવા લાગ્યા હતા.
આ પણ વાંચો: Chardham Yatra 2022:19 મેના રોજ ખુલશે બીજા કેદાર ભગવાન મદમહેશ્વરના દ્વાર
મહાદેવના દર્શન થયા: એક દિવસ પીપળાના ઝાડ નીચે ભજનમાં મગ્ન બનેલા નારદજી અચાનક થયેલી વીજળીના ચમકારાની જેમ તેને દેવાધિદેવના દર્શન થયા હતા. પરંતુ આ દર્શન પલભરના હોય જેને કારણે નારદજીના મનમાં ભગવાનના દર્શન કરવાને લઈને વ્યાકુળતા વધી ગઈ હતી. ત્યારબાદ આકાશવાણી થઇ અને નારદજીને સંભળાયું કે હે દાસીપુત્ર તને આ જન્મમાં મારા દર્શનનો લ્હાવો નહીં મળે. પરંતુ આગળના જન્મમાં તું મારા પાર્ષદ રૂપે ફરીથી મને પ્રાપ્ત કરીશ. સમય રહેતા બાળકનું શરીર અને આત્મા અલગ થયા અને બ્રહ્મમાં લીન થઈ ગયા હતા. ત્યારબાદ વૈશાખ વદ એકમના દિવસે તેઓ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે ફરી અવતરણ પામ્યા હતા.