ETV Bharat / city

મોરારીબાપુ પર હુમલાના પ્રયાસને લઇ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને અપાયું આવેદનપત્ર

author img

By

Published : Jun 22, 2020, 5:51 PM IST

કથાકાર મોરારી બાપુ પર થોડા દિવસ પહેલા દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ સોમવારે જૂનાગઢમાં સાધુ સમાજ, આહિર સમાજ, ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ સર્વે સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને પબુભા માણેક વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માગ કરાઇ હતી.

attempted attack on Moraribapu
મોરારીબાપુ પર હુમલાના પ્રયાસને લઇ જૂનાગઢમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર

જૂનાગઢઃ કથાકાર મોરારી બાપુ પર થોડા દિવસ પહેલા દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ સોમવારે જૂનાગઢમાં સાધુ સમાજ, આહિર સમાજ, ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ સર્વે સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, અને પબુભા માણેક વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માગ કરાઇ હતી.

attempted attack on Moraribapu
મોરારીબાપુ પર હુમલાના પ્રયાસને લઇ જૂનાગઢમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

આવેદનપત્ર આપતી વખતે મહામંડલેશ્વર ભારતીબાપુ, અંબાજી જગ્યાના મહંત તનસુખ ગીરી બાપુ, જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી, મેયર ધીરુ ગોહિલ સહિત ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની સાથે સાથે સર્વે સમાજના આગેવાનો પણ જોડાયા હતા.

મોરારીબાપુ પર હુમલાના પ્રયાસને લઇ જૂનાગઢમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર

આ તબક્કે આહીર સમાજ દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, અને તેઓએ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક આહિર સમાજની સાથે મોરારીબાપુની માફી માંગે તેવી માગ કરી હતી. તેમજ જો પબુભા માણેક માફી નહી માગે તો આગામી દિવસોમાં આહીર સમાજ પબુભા માણેક વિરુદ્ધ આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

જૂનાગઢઃ કથાકાર મોરારી બાપુ પર થોડા દિવસ પહેલા દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેને લઇ સોમવારે જૂનાગઢમાં સાધુ સમાજ, આહિર સમાજ, ભાજપ-કોંગ્રેસના આગેવાનો તેમજ સર્વે સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, અને પબુભા માણેક વિરુદ્ધ આકરી કાર્યવાહી થાય તેવી માગ કરાઇ હતી.

attempted attack on Moraribapu
મોરારીબાપુ પર હુમલાના પ્રયાસને લઇ જૂનાગઢમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

આવેદનપત્ર આપતી વખતે મહામંડલેશ્વર ભારતીબાપુ, અંબાજી જગ્યાના મહંત તનસુખ ગીરી બાપુ, જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી, મેયર ધીરુ ગોહિલ સહિત ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની સાથે સાથે સર્વે સમાજના આગેવાનો પણ જોડાયા હતા.

મોરારીબાપુ પર હુમલાના પ્રયાસને લઇ જૂનાગઢમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર

આ તબક્કે આહીર સમાજ દ્વારા પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, અને તેઓએ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક આહિર સમાજની સાથે મોરારીબાપુની માફી માંગે તેવી માગ કરી હતી. તેમજ જો પબુભા માણેક માફી નહી માગે તો આગામી દિવસોમાં આહીર સમાજ પબુભા માણેક વિરુદ્ધ આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.