ETV Bharat / city

જૂનાગઢમાં કૃષિપ્રધાને આધુનિક પ્રયોગશાળાનું લોકાર્પણ કર્યું - r c faldu visits agriculture university

જૂનાગઢ: કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કૃષિ યુનિવર્સિટીમાં આધુનિક લેબોરેટરીનું લોકાર્પણ કર્યું. દરમ્યાન વિદ્યાર્થીઓએ કરેલ સંશોધનોનું નિરીક્ષણ કર્યું અને ખેડૂતોને વરસાદના કારણે થયેલા નુકસાનનું વળતર ચૂકવવા માટે આશ્વાસન આપ્યું છે.

પ્રયોગશાળાનું લોકાર્પણ
author img

By

Published : Oct 4, 2019, 9:16 PM IST

રાજ્યના કૃષિપ્રધાન શુક્રવારે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં આધુનિક સંશોધનો કરવાના હેતુસર બનાવવામાં આવેલી પ્રયોગશાળાનું લોકાર્પણ કર્યું હતું. કૃષિપ્રધાને રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકશાન નહીં થાય તથા સરકાર તેમના તરફી નિર્ણય કરશે તેવી હૈયાધારણા આપી હતી.

આધુનિક પ્રયોગશાળાનું કૃષિપ્રધાન R.C.ફળદુ દ્વારા લોકાર્પણ

દરમિયાન એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં સંશોધન કરવા બનાવવામાં આવેલી આધુનિક પ્રયોગશાળાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રયોગશાળામાં કૃષિને લગતી ટેકનોલોજી અને સંશોધનાત્મક ઓજારોનું અધ્યયન કરવામાં આવશે. આ પ્રસંગે આર.સી.ફળદુએ વિદ્યાર્થીઓએ કરેલા સંશોધનો અને પ્રયોગાત્મક સાધનોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સમગ્ર પ્રક્રિયા અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી.

ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન અંગે કૃષિપ્રધાને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની હૈયાધારણા આપી હતી કે દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકશાની અંગે સર્વે કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ખેડૂતોને વડતર ચૂકવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર આગળ આવશે.

રાજ્યના કૃષિપ્રધાન શુક્રવારે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં આધુનિક સંશોધનો કરવાના હેતુસર બનાવવામાં આવેલી પ્રયોગશાળાનું લોકાર્પણ કર્યું હતું. કૃષિપ્રધાને રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકશાન નહીં થાય તથા સરકાર તેમના તરફી નિર્ણય કરશે તેવી હૈયાધારણા આપી હતી.

આધુનિક પ્રયોગશાળાનું કૃષિપ્રધાન R.C.ફળદુ દ્વારા લોકાર્પણ

દરમિયાન એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં સંશોધન કરવા બનાવવામાં આવેલી આધુનિક પ્રયોગશાળાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રયોગશાળામાં કૃષિને લગતી ટેકનોલોજી અને સંશોધનાત્મક ઓજારોનું અધ્યયન કરવામાં આવશે. આ પ્રસંગે આર.સી.ફળદુએ વિદ્યાર્થીઓએ કરેલા સંશોધનો અને પ્રયોગાત્મક સાધનોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી સમગ્ર પ્રક્રિયા અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી.

ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન અંગે કૃષિપ્રધાને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાની હૈયાધારણા આપી હતી કે દરેક જિલ્લામાં કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકશાની અંગે સર્વે કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ખેડૂતોને વડતર ચૂકવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર આગળ આવશે.

Intro:કૃષિપ્રધાન આર.સી.ફળદુ એ ખેતીવાડી યુનિવર્સિટીમાં કર્યું આધુનિક લેબોરેટરી નું લોકાર્પણ


Body:રાજ્યના કૃષિ પ્રધાન આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા તેમની આ મુલાકાત દરમિયાન એગ્રીકલ્ચર યુનિવર્સીટી માં આધુનિક સંશોધનો થઈ શકે તેના માટે બનાવવામાં આવેલી એક પ્રયોગશાળા નું આજે લોકાર્પણ કર્યું હતું કૃષિ પ્રધાન એ રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન નહીં જાય અને સરકાર તેમના તરફી ચોક્કસ નિર્ણય કરશે તેવી હૈયાધારણા આપી હતી

કૃષિપ્રધાન આર.સી.ફળદુ આજે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટી ની મુલાકાતે આવ્યા હતા તેમની આ મુલાકાત દરમિયાન એગ્રીકલ્ચર યુનિવર્સીટી માં બનાવવામાં આવેલી આધુનિક સંશોધન કરી શકાય તેવી પ્રયોગશાળાનો આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રયોગશાળામાં ખેતીને લગતી ટેકનોલોજી અને સંશોધનાત્મક ઓજારોનું સંસ્કરણ બનાવી શકાય તેને લઈને અધ્યયન કરવામાં આવશે.આ તકે વિદ્યાર્થીઓએ કરેલા કેટલાક સંશોધનો અને પ્રયોગાત્મક સાધનોનું પ્રધાન આર.સી.ફળદુ એ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી અને સમગ્ર પ્રક્રિયા વિશે તલસ્પર્શી જાણકારી પ્રાપ્ત કરી હતી

તેમજ તાજેતરમાં સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોને ચોમાસુ પાકો માં જે પ્રકારે નુકસાન થયું છે તેને લઈને કૃષિ પ્રધાને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવાની હૈયાધારણા આપી હતી અને વધુમાં જણાવ્યું હતું કે દરેક જિલ્લાના કલેક્ટર અને જિલ્લા ખેતીવાડી અધિકારીઓને નુકસાનીનો સર્વે કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જિલ્લા કક્ષાએથી આવેલા રિપોર્ટના આધારે ખેડૂતોને નુકસાની સહિતનું વળતર ચૂકવવાની દિશામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર આગળ આવશે તેમ જણાવ્યું હતું

બાઈટ 1 આર.સી.ફળદુ કૃષિપ્રધાન ગુજરાત


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.