- જામનગરના દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં NDRFના જવાનોએ કરી રેકી
- તૌકતે વાવાઝોડાની અસર થાય તેવા વિસ્તારોમાં રેકી
- ભટીંડા NDRFની ટીમે દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં લોકોને સમજાવ્યાં
જામનગરઃ જામનગરના દરિયા કિનારે તૌકતે વાવાઝોડું ત્રાટકે તેવી પૂરી સંભાવના છે અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને જાનમાલને નુકસાન ન થાય તે માટે વધુ બે NDRFની ટીમ બોલાવવામાં આવી છે. માછીમારોના વિસ્તારમાં NDRFની ટીમ દ્વારા માર્ચ કરવામાં આવી હતી.NDRFના જવાનો દ્વારા લાઉડ સ્પીકરમાં વાવાઝોડા અંગે લોકોને માહિતી આપવામાં આવી છે અને સાવધાનીના ભાગરૂપે દિગ્વિજય સોલ્ટ વિસ્તારમાં રેકી પણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ જામનગરમાં સાંજ સુધીમાં તૌકતે ત્રાટકે તેવી શકયતા, વહીવટીતંત્ર સજ્જ
જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ
જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાનું સંકટ પાર પાડવા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. ખાસ કરીને આર્મી, નેવી અને એરફોર્સની મદદ પણ લેવામાં આવી રહી છે. સીમા સુરક્ષા દળના 200 જવાનોને પણ મદદ માટે સ્ટેન્ડબાય રહેવાની સૂચના અપાઇ છે.
જામનગરનો દરિયા કિનારો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો છે. અહીં તૌકતે ત્રાટકે તો ભારે નુકશાન થાય તેવી શકયતા છે.