- જામનગર જિલ્લા કલેક્ટરે શહેરીજનોને મતદાન કરવા કરી આપીલ
- લોકો વધુમાં વધુ મતદાન કરે અને દેશની લોકશાહીને મજબુત કરે
- જિલ્લા કલેક્ટરે ડિસ્પેસિવ એન્ડ સિવિક સેન્ટરની મુલાકાત લીધી
જામનગર: જિલ્લામાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ઓસવાળ સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર એસ. રવિ શંકરે ડિસ્પેસિવ એન્ડ સિવિક સેન્ટરની મુલાકાત લીધી હતી. Etv ભારત સાથે વાત કરતા કલેક્ટરે અપીલ કરી છે કે, જામનગર વાસીઓ મોટી સંખ્યામાં લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરે અને દેશની લોકશાહીને મજબુત કરે તેવી અપીલ કરી હતી.