ETV Bharat / city

જામનગરમાં મિલીટરી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ - Latest news of Jamnagar

પાકિસ્તાનને યુદ્ધના રણમેદાનમાં ભારતીય જવાનો દ્વારા માત્ર 13 જ દિવસમાં ધૂળચાટ કરીને તિરંગો લહેરાવ્યો હતો. આ જીતની 50 વર્ષની સ્વર્ણિમ વિજય વર્ષ” તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર (Jamnagar) માં પણ સેનાના જવાનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજય મશાલ લાખોટા તળાવ અને નેવી મથક વાલસુરા બાદમાં શનિવારે આર્મી એરિયામાં ખાતે પહોંચી હતી.

Gujarat News
Gujarat News
author img

By

Published : Aug 7, 2021, 10:29 PM IST

  • જામનગરમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ
  • વિવિધ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન
  • શેરદિલ સ્ટેડિયમ દેશ ભકિતના રંગે રંગાયું

જામનગર: પાકિસ્તાન (Pakistan) ને યુદ્ધના રણમેદાનમાં ભારતીય જવાનો દ્વારા માત્ર 13 જ દિવસમાં ધૂળચાટ કરીને તિરંગો લહેરાવ્યો હતો. આ જીતની 50 વર્ષની સ્વર્ણિમ વિજય વર્ષ” તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર (Jamnagar) માં પણ સેનાના જવાનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજય મશાલ લાખોટા તળાવ અને નેવી મથક વાલસુરા બાદમાં શનિવારે આર્મી એરિયામાં ખાતે પહોંચી હતી અને એક તબક્કે દેશભક્તિનું પ્રચંડ મોજુ છવાયેલું હતું.

જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ

આ પણ વાંચો: જી.જી. હોસ્પિટલના બોન્ડેડ તેમજ રેસિડેન્ટ તબીબોએ આજે જાહેર કર્યો 'બ્લેક ડે'

સાંસદ પૂનમ માડમ કાર્યક્રમ રહ્યા ઉપસ્થિત

પાકિસ્તાન (Pakistan) ના જ એક ભાગ એવા હાલના બાંગ્લાદેશ (Bangladesh) ના વિસ્તાર પર પાકિસ્તાની આર્મીએ અત્યાચાર શરૂ કર્યા હતો. બાંગ્લાદેશી મહિલાઓ ઉપર એટલાં બધાં બળાત્કાર કરવામાં આવ્યા હતાં કે, જુલ્મ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને મદદ કરવા માટે ભારતીય સૈનાને લીલી ઝંડી આપી હતી. આ સાથે જ ભારતીયની ત્રણેય પાંખ એરફોર્સ, આર્મી અને નેવીએ એવો જબરદસ્ત હુમલો કર્યો હતો કે, 13 દિવસની અંદર જ પાકિસ્તાની સેના ઘુંટણ પર આવી ગઈ હતી અને 92 હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈના સામે આત્મસમર્પણ કરીને હથિયાર નીચે મૂકી દીધાં હતાં. આ સાથે જ બાંગ્લાદેશનો ઉદય થયો હતો. પાકિસ્તાનથી જુદા પડીને બાંગ્લાદેશની અલગ રચના થઈ હતી અને તેમાં ભારતની મદદ જ મહત્ત્વની બની રહી હતી. જો એ સમયે ભારને બાંગ્લાદેશની મદદ કરી ન હોત તો આજે એક દેશ તરીકે બાગ્લાદેશનું અસ્તિત્વ ન હોત.

જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ
જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ

આ પણ વાંચો: જામનગરમાં ફૂડ શાખાની પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ, 10 દુકાનોમાં ચેકિંગ

આર્મી, નેવી, એરફોર્સ અને NCC કેડેટ્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા

ભારતની મદદથી બાંગ્લાદેશ (Bangladesh) તો બન્યું જ હતું અને સાથે-સાથે 1962 બાદ વધુ એક વખત પાકિસ્તાન (Pakistan) ને યુદ્ધના મેદાનમાં પરાસ્ત કરવામાં અને ધુળચાટતું કરવામાં ભારતીય સેના સફળ થઇ હતી. 50 વર્ષમાં હોવાથી દેશભરમાં ‘સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી ચાલી રહી છે અને તેના અનુસંધાને વિજય મશાલ જામનગર ખાતે પહોંચી હતી અને આમીના હેડકવાર્ટરથી નીકળીને લાખોટા તળાવ ખાતે વિજય મશાલ લાવવામાં આવી હતી. ત્યાં પણ 71 ના યુદ્ધની જીતને યાદ કરવામાં આવી હતી.

જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ
જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ

જામનગર મિલટ્રી સ્ટેશન પર પહોંચી વિજય વર્ષ મશાલ

જામનગરમાં શનિવારે આર્મી એરિયામાં સોમનાથ ગેટમાં મશાલ લાવવામાં આવી છે. 1 ડિસેમ્બર 1971 ના રોજ પાકિસ્તાનની આર્મીના વડા જનરલ એ.કે.નિયાઝીએ પરાજયનો સ્વિકાર કર્યો હતો. સ્વર્ણિમ વિજય નિમિતે મશાલ દેશભરમાં ફેરવવા આવી રહી છે. 92 હજાર સૈનિકોએ શરણાગતિ સ્વિકારી હતી. કોઈ યુદ્ધમાં કોઈ દેશના જવાનોએ આટલી મોટી સંખ્યામાં શરણાગતિ સ્વિકારી હોવાની પ્રથમ ઐતિહાસિક ઘટના નોંધાઈ હતી. વિજય મશાલ લાખોટા તળાવ પર પહોંચી ત્યારે 71 ના યુદ્ધની જીતનો યાદ તાજી થઈ હતી. સાથે સાથે દેશભક્તિભર્યો માહોલ પણ સર્જાયો છે.

  • જામનગરમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ
  • વિવિધ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન
  • શેરદિલ સ્ટેડિયમ દેશ ભકિતના રંગે રંગાયું

જામનગર: પાકિસ્તાન (Pakistan) ને યુદ્ધના રણમેદાનમાં ભારતીય જવાનો દ્વારા માત્ર 13 જ દિવસમાં ધૂળચાટ કરીને તિરંગો લહેરાવ્યો હતો. આ જીતની 50 વર્ષની સ્વર્ણિમ વિજય વર્ષ” તરીકે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગર (Jamnagar) માં પણ સેનાના જવાનો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજય મશાલ લાખોટા તળાવ અને નેવી મથક વાલસુરા બાદમાં શનિવારે આર્મી એરિયામાં ખાતે પહોંચી હતી અને એક તબક્કે દેશભક્તિનું પ્રચંડ મોજુ છવાયેલું હતું.

જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ

આ પણ વાંચો: જી.જી. હોસ્પિટલના બોન્ડેડ તેમજ રેસિડેન્ટ તબીબોએ આજે જાહેર કર્યો 'બ્લેક ડે'

સાંસદ પૂનમ માડમ કાર્યક્રમ રહ્યા ઉપસ્થિત

પાકિસ્તાન (Pakistan) ના જ એક ભાગ એવા હાલના બાંગ્લાદેશ (Bangladesh) ના વિસ્તાર પર પાકિસ્તાની આર્મીએ અત્યાચાર શરૂ કર્યા હતો. બાંગ્લાદેશી મહિલાઓ ઉપર એટલાં બધાં બળાત્કાર કરવામાં આવ્યા હતાં કે, જુલ્મ પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશને મદદ કરવા માટે ભારતીય સૈનાને લીલી ઝંડી આપી હતી. આ સાથે જ ભારતીયની ત્રણેય પાંખ એરફોર્સ, આર્મી અને નેવીએ એવો જબરદસ્ત હુમલો કર્યો હતો કે, 13 દિવસની અંદર જ પાકિસ્તાની સેના ઘુંટણ પર આવી ગઈ હતી અને 92 હજાર પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈના સામે આત્મસમર્પણ કરીને હથિયાર નીચે મૂકી દીધાં હતાં. આ સાથે જ બાંગ્લાદેશનો ઉદય થયો હતો. પાકિસ્તાનથી જુદા પડીને બાંગ્લાદેશની અલગ રચના થઈ હતી અને તેમાં ભારતની મદદ જ મહત્ત્વની બની રહી હતી. જો એ સમયે ભારને બાંગ્લાદેશની મદદ કરી ન હોત તો આજે એક દેશ તરીકે બાગ્લાદેશનું અસ્તિત્વ ન હોત.

જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ
જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ

આ પણ વાંચો: જામનગરમાં ફૂડ શાખાની પાણીપુરીના વિક્રેતાઓ પર તવાઈ, 10 દુકાનોમાં ચેકિંગ

આર્મી, નેવી, એરફોર્સ અને NCC કેડેટ્સ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા

ભારતની મદદથી બાંગ્લાદેશ (Bangladesh) તો બન્યું જ હતું અને સાથે-સાથે 1962 બાદ વધુ એક વખત પાકિસ્તાન (Pakistan) ને યુદ્ધના મેદાનમાં પરાસ્ત કરવામાં અને ધુળચાટતું કરવામાં ભારતીય સેના સફળ થઇ હતી. 50 વર્ષમાં હોવાથી દેશભરમાં ‘સ્વર્ણિમ વિજય વર્ષની ઉજવણી ચાલી રહી છે અને તેના અનુસંધાને વિજય મશાલ જામનગર ખાતે પહોંચી હતી અને આમીના હેડકવાર્ટરથી નીકળીને લાખોટા તળાવ ખાતે વિજય મશાલ લાવવામાં આવી હતી. ત્યાં પણ 71 ના યુદ્ધની જીતને યાદ કરવામાં આવી હતી.

જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ
જામનગરમાં મિલ્ટ્રી સ્ટેશનમાં યોજાયો સ્વર્ણિમ વિજય વર્ષ મશાલ સમારોહ

જામનગર મિલટ્રી સ્ટેશન પર પહોંચી વિજય વર્ષ મશાલ

જામનગરમાં શનિવારે આર્મી એરિયામાં સોમનાથ ગેટમાં મશાલ લાવવામાં આવી છે. 1 ડિસેમ્બર 1971 ના રોજ પાકિસ્તાનની આર્મીના વડા જનરલ એ.કે.નિયાઝીએ પરાજયનો સ્વિકાર કર્યો હતો. સ્વર્ણિમ વિજય નિમિતે મશાલ દેશભરમાં ફેરવવા આવી રહી છે. 92 હજાર સૈનિકોએ શરણાગતિ સ્વિકારી હતી. કોઈ યુદ્ધમાં કોઈ દેશના જવાનોએ આટલી મોટી સંખ્યામાં શરણાગતિ સ્વિકારી હોવાની પ્રથમ ઐતિહાસિક ઘટના નોંધાઈ હતી. વિજય મશાલ લાખોટા તળાવ પર પહોંચી ત્યારે 71 ના યુદ્ધની જીતનો યાદ તાજી થઈ હતી. સાથે સાથે દેશભક્તિભર્યો માહોલ પણ સર્જાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.