જામનગર : આ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી મુખ્યપ્રધાને(CM Bhupendra Patel's persuasive presence) જણાવ્યું હતું કે, ઉમિયાધામ સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સહિતના ક્ષેત્રે સેવાનો યજ્ઞ શરૂ કરાયો છે, ત્યારે રાજ્ય સરકારે પણ આ સંસ્થાને વિકાસની રાહમાં મદદરૂપ થવા યાત્રાધામ વિકાસ માટે પહેલા 3 કરોડ અને હવે 18.25 કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ તકે, જિલ્લાવાસીઓના આરોગ્યની સુખાકારી માટે 3 નવી એમ્બ્યુલન્સને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પણ વાંચો - આજથી 12 થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ, CM ભુપેન્દ્ર પટેલે રાજ્યકક્ષાના વેક્સિનેશનની કરાવી શરૂઆત
દશાબ્દી મહોત્સવની ઉજવણી - આ તકે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતાં મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, અનેક રોગોના મૂળમાં રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા ખેત પેદાશ જવાબદાર છે. આરોગ્યપ્રદ સમાજ ઉભો કરવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ આવશ્યક છે. રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે અને તે ઉત્પાદનને ખરીદનાર યોગ્ય બજાર પણ ગુજરાતમાં ઉપલબ્ધ બની રહ્યું છે.
![મુખ્યપ્રધાનની પ્રેરક ઉપસ્થિતમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની કરવામા આવી ભવ્ય ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-01-cm-umiyadham-10069-mansukh_03042022171434_0304f_1648986274_178.jpg)
આ પણ વાંચો - Uttarakhand CM Oath : ઉત્તરાખંડના મુખ્યપ્રધાનની શપથવિધિમાં ગુજરાતના CM આપશે હાજરી
મુખ્યપ્રધાનની 1.50 લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે કરાઇ તુલા - બ્રિજેશ મેરજાએ ઉમિયા માતાજી મંદિરના ભવ્ય ઐતિહાસિકને વાગોળ્યો હતો તેમજ ઉમિયાધામ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ રીતે મદદરૂપ થવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યપ્રધાનને 1.50 લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે તુલા કરી આરોગ્યપ્રદ સમાજના નિર્માણ માટે એક નવતર પહેલ કરી હતી.
![મુખ્યપ્રધાનની પ્રેરક ઉપસ્થિતમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની કરવામા આવી ભવ્ય ઉજવણી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-01-cm-umiyadham-10069-mansukh_03042022171434_0304f_1648986274_1051.jpg)