ETV Bharat / city

જામનગરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ, મજબૂતી સાથે મેદાનમાં ઉતરશે

author img

By

Published : Jan 6, 2021, 10:13 PM IST

Updated : Jan 6, 2021, 10:36 PM IST

ટુક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. ત્યારે શહેરમાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જામનગરમાં બુધવારે 12 વાગ્યે ચેમ્બર ઓફ કોંગ્રેસ ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્યો તેમજ સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી જીતેન્દ્ર બધેલ, પ્રભારી રાજુ પરમાર, ખુરશીદ સેયદ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ
જામનગરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ
  • જામનગરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ
  • કોંગ્રેસ કયા મુદ્દા લઈને ચૂંટણીમાં ઝંપલાવશે તે વિશે ચર્ચા કરવામાં આવી

જામનગર: ટુક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. ત્યારે શહેરમાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જામનગરમાં બુધવારે 12 વાગ્યે ચેમ્બર ઓફ કોંગ્રેસ ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. કારોબારી બેઠકમાં કોંગ્રેસ કયા મુદ્દા લઈને ચૂંટણીમાં ઝંપલાવશે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતોના મુદ્દા તેમજ શહેરમાં સાફ સફાઈ અને લોકોને પીવાનું પાણી તેમજ કોરોના બાદ હોસ્પિટલમાં લોકોને પડી રહી તકલીફો જેવા મુદ્દાઓ આ ચૂંટણીમાં લઈને મેદાનમાં ઉતરશે.

વિક્રમ માડમ
વિક્રમ માડમ

કેન્દ્ર અને કોર્ટ કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી રાજ્ય સરકાર નિર્ણય લેતી નથી

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલી કોંગ્રેસની કારોબારી બેઠકમાં વિવિધ વક્તાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. જ્યાં સુધી કેન્દ્ર કોઈ નિર્ણય ન લ્યે અને કોર્ટ દ્વારા નિર્ણય ન આવે ત્યાં સુધી રાજ્ય સરકાર કોઇપણ જાતનો નિર્ણય લઈ શકતી નથી. જે રાજ્ય સરકારની સૌથી મોટી નિષ્ફળતા કોંગ્રેસે ગણાવી છે.

પૂજા વંશ
પૂજા વંશ

કોંગ્રેસ ખેડૂતોના મુદાઓને લઈ ચૂંટણીમાં કરશે પ્રચાર

દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ત્રણ કાયદાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ રાજ્ય સરકારની નીતિથી પરેશાન છે. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે તેમ છતા હજુ સુધી એક પણ ખેડૂતને સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસ ખેડૂતોના મુદાઓને લઈ ચૂંટણીમાં પ્રચાર કરશે.

જામનગરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ
  • જામનગરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ
  • કોંગ્રેસ કયા મુદ્દા લઈને ચૂંટણીમાં ઝંપલાવશે તે વિશે ચર્ચા કરવામાં આવી

જામનગર: ટુક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની છે. ત્યારે શહેરમાં કોંગ્રેસ દ્વારા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જામનગરમાં બુધવારે 12 વાગ્યે ચેમ્બર ઓફ કોંગ્રેસ ખાતે કોંગ્રેસની કારોબારી બેઠક યોજવામાં આવી હતી. કારોબારી બેઠકમાં કોંગ્રેસ કયા મુદ્દા લઈને ચૂંટણીમાં ઝંપલાવશે તે વિશે ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખેડૂતોના મુદ્દા તેમજ શહેરમાં સાફ સફાઈ અને લોકોને પીવાનું પાણી તેમજ કોરોના બાદ હોસ્પિટલમાં લોકોને પડી રહી તકલીફો જેવા મુદ્દાઓ આ ચૂંટણીમાં લઈને મેદાનમાં ઉતરશે.

વિક્રમ માડમ
વિક્રમ માડમ

કેન્દ્ર અને કોર્ટ કોઈ નિર્ણય ન લે ત્યાં સુધી રાજ્ય સરકાર નિર્ણય લેતી નથી

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલી કોંગ્રેસની કારોબારી બેઠકમાં વિવિધ વક્તાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. જ્યાં સુધી કેન્દ્ર કોઈ નિર્ણય ન લ્યે અને કોર્ટ દ્વારા નિર્ણય ન આવે ત્યાં સુધી રાજ્ય સરકાર કોઇપણ જાતનો નિર્ણય લઈ શકતી નથી. જે રાજ્ય સરકારની સૌથી મોટી નિષ્ફળતા કોંગ્રેસે ગણાવી છે.

પૂજા વંશ
પૂજા વંશ

કોંગ્રેસ ખેડૂતોના મુદાઓને લઈ ચૂંટણીમાં કરશે પ્રચાર

દેશની રાજધાની દિલ્હીમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ત્રણ કાયદાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ રાજ્ય સરકારની નીતિથી પરેશાન છે. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદથી ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે તેમ છતા હજુ સુધી એક પણ ખેડૂતને સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી નથી. ત્યારે કોંગ્રેસ ખેડૂતોના મુદાઓને લઈ ચૂંટણીમાં પ્રચાર કરશે.

જામનગરમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઇ
Last Updated : Jan 6, 2021, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.