જામનગરઃ શહેરમાં લાલબંગલા સર્કલ ખાતે આવેલા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને સમાજના લોકોએ ફુલહાર કરી બાબાસાહેબની 129મી જન્મ જયંતીની સાદાઈથી ઊજવણી કરી હતી. લોકડાઉનની સ્થિતિમાંં ખૂબ જ ઓછા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બાબાસાહેબ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તેમજ અન્ય પદાધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ તે માટે ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યો હતો. દલિત સમાજના આગેવાનો પણ વહેલી સવારથી કોરોનાથી બચવાના ઉપાયોને ધ્યાનમાં રાખી ફુલહાર કરી બાબાસાહેબની 129મી જન્મ જયંતીની સાદાઈથી ઉજવણી કરી રહ્યાં છે.
આ ઉપરાંત અનેક દલિત સમાજના લોકોએ પોતાના ઘરે જ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી જન્મ જ્યંતીની ઉજવણી કરી છે.