ETV Bharat / city

સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા

author img

By

Published : Nov 28, 2019, 11:47 PM IST

ગાંધીનગર: સાહિત્યકાર મોહમ્મદ માંકડને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત રમત-ગમત સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન દ્વારા મોહમ્મદ માંકડને 1 લાખ રૂપિયાની ધનરાષી, શાલ અને સ્મૃતિ ચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મિસ્ટ્રી ઓફ ટાઇમ પુસ્તકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

Writer Mohammed Mankad was honored with the prestigious award
સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા

ગુજરાતી સાહિત્યમાં વિશેષ યોગદાન આપનાર મહમ્મદ માંકડનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગૌરવ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારના પુરસ્કાર દ્વારા જે સાહિત્યકારો શારીરિક રીતે અસક્ષમ છે તેમને મદદ મળે છે.

સન્માન કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડસમાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન આ રીતે સાહિત્યકારનું સન્માન ઘરે આવીને કરે તે ગુજરાતના સંસ્કાર છે. આ પ્રકારનો વારસો જળવાવો જોઈએ અને આ અમારી ફરજ પણ છે.

સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા

મોહમ્મદ માંકડનો જન્મ પલિયડમાં 13 ફેબ્રુઆરી 1928ના રોજ થયો હતો. 2008માં તેમને મોરારી બાપુએ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો હતો. ઉપરાંત તેઓ કાકા સાહેબ કાલેલકર પારિતોષિક, કન્હૈયાલાલ મુનશી એવોર્ડ, ગુજરાત સાહિત્ય, નરસિંહ મહેતા એવોર્ડ, ગુજરાત પત્રકાર સંઘમાં લાઈફટાઇમ એચિવમેન્ટ, તેમજ આવકાર ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી મેળવી ચુક્યા છે.

મોહમ્મદ માંકડ પત્રકારત્વ ક્ષેત્રમાં પણ પોતાની કલમ અજમાવી અલગ રીતે ઉભરી આવ્યા છે. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર અને ફૂલછાબમાં કટાર લેખક તરીકે કાર્ય કરી ચૂક્યા છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોહમ્મદ માકડનું ગુજરાતી સાહિત્યમાં વિશેષ યોગદાન છે. 92 વર્ષની ઉંમરે તેમને હેરાન ના કરાય તે માટે સરકારે ઘરે આવીને સન્માન કરવાનું નકકી કર્યુ. 12 કરોડના ખર્ચે રાજ્ય સરકાર અકાદમી ભવનનુ નિર્માણ કરશે. જેનાથી ભવિષ્યની પેઢીને પ્રેરણા મળે તેમાટે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં પણ ગુજરાતી ભાષાને ફરજિયાત કરી છે.

ગુજરાતી સાહિત્યમાં વિશેષ યોગદાન આપનાર મહમ્મદ માંકડનું સન્માન કરવામાં આવ્યું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગૌરવ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રકારના પુરસ્કાર દ્વારા જે સાહિત્યકારો શારીરિક રીતે અસક્ષમ છે તેમને મદદ મળે છે.

સન્માન કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડસમાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન આ રીતે સાહિત્યકારનું સન્માન ઘરે આવીને કરે તે ગુજરાતના સંસ્કાર છે. આ પ્રકારનો વારસો જળવાવો જોઈએ અને આ અમારી ફરજ પણ છે.

સાહિત્યકાર મોહમ્મદ માંકડને ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા

મોહમ્મદ માંકડનો જન્મ પલિયડમાં 13 ફેબ્રુઆરી 1928ના રોજ થયો હતો. 2008માં તેમને મોરારી બાપુએ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કર્યો હતો. ઉપરાંત તેઓ કાકા સાહેબ કાલેલકર પારિતોષિક, કન્હૈયાલાલ મુનશી એવોર્ડ, ગુજરાત સાહિત્ય, નરસિંહ મહેતા એવોર્ડ, ગુજરાત પત્રકાર સંઘમાં લાઈફટાઇમ એચિવમેન્ટ, તેમજ આવકાર ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી મેળવી ચુક્યા છે.

મોહમ્મદ માંકડ પત્રકારત્વ ક્ષેત્રમાં પણ પોતાની કલમ અજમાવી અલગ રીતે ઉભરી આવ્યા છે. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર અને ફૂલછાબમાં કટાર લેખક તરીકે કાર્ય કરી ચૂક્યા છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોહમ્મદ માકડનું ગુજરાતી સાહિત્યમાં વિશેષ યોગદાન છે. 92 વર્ષની ઉંમરે તેમને હેરાન ના કરાય તે માટે સરકારે ઘરે આવીને સન્માન કરવાનું નકકી કર્યુ. 12 કરોડના ખર્ચે રાજ્ય સરકાર અકાદમી ભવનનુ નિર્માણ કરશે. જેનાથી ભવિષ્યની પેઢીને પ્રેરણા મળે તેમાટે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં પણ ગુજરાતી ભાષાને ફરજિયાત કરી છે.

Intro:હેડ લાઈન) સાહિત્યકાર મહમ્મદ માંકડને મુખ્યમંત્રીના હસ્તે રૂપિયા એક લાખ ચેક આપી સન્માનિત કરાયા

ગાંધીનગર,

મુર્ધન્ય સાહિત્યકાર મોહમ્મદ માંકડને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગૌરવ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્તાક ગુજરાત સાહિત્ય અકાડમી અને ગુજરાત રમત ગમત સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. જેમા મુખ્યમંત્રી દ્વારા મોહમ્મદ માંકડને એક લાખ રૂપિયાની ધનરાષી, શાળ અને સ્મૃતિ ચિન્હ આપીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મિસ્ટ્રી ઓફ ટાઇમ પુસ્તકનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. Body:વિષ્ણું પંડ્યાએ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારના પુરષ્કાર દ્વારા જે સાહિત્યકારો શારીરિક રીતે અસક્ષમ છે તેમને મદદ મળે છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડસમાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી આ રીતે સાહિત્યકારનું સમ્માન ઘરે આવીને કરે તે ગુજરાતના સંસ્કાર છે. આ પ્રકારનો વારસો જળવાવો જોઇએ.અને આ અમારી ફરજ પણ છે.મોહમ્મદ માંકડનોં જન્મ પાલિયાળમાં 13 ફેબ્રુઆરી 1928 માં થયો હતો. 2008માં મોરારી બાપુએ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય કાકા સાહેબ કાલેલકર પારિતોષિક, કંહૈયાલાલ મુનશી એવોર્ડ ગુજરાત સાહિત્ય , નરસિંહ મહેતા એવોર્ડ ગુજરાત પત્રકાર સંઘમાં લાઈફટીઇમ એચિવમેન્ટ, તેમજ આવકાર ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી મેળવી ચુક્યા છે. મોહમ્મદ માંકડ પત્રકારત્વ ક્ષેત્રમાં પણ પોતાની કલમ અજમાવીને આગળ આવ્યા.તેમને સંદેશ, ગુજરાત સમાચાર, ફૂલછાબમાં કટાર લેખક તરીકે કાર્યરત હતા.Conclusion:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મોહમ્મદ માકડનું ગુજરાતી સાહિત્યમાં વિશેષ યોગદાન છે. નવલકથા, અને ટુંકીવાર્તા કેડીલોસ્કોપ નામની કટાર પ્રખાત હતા. આ 92 વર્ષની ઉમરે તેમને હેરાન ના કરાય તે માટે સરકારે ઘરે આવીને સમ્માન કરવાનું નકકી કર્યુ. અને હજી તેઓ સૌ વર્ષ જીવે અને તેમના સૌ વર્ષની ઉજવણી આપણે અંહી જ કરીએ. 12 કરોડ રૂપિયા દ્વારા રાજ્ય સરકાર દ્વારા અકડમી ભવનનુ નિર્માણ કરવમાં આવશે. જેનાથી ભવિષ્યની પેઢીને પ્રેરણા મળે તેમજ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં પણ ગુજરાતી ભાષાને ફરીજિયાત કરી છે. તેમજ વાંચે ગુજરાતને 10 વર્ષ પુરા થવા જઇ રહ્યા છે ત્યારે તેની ઉજવણીની પણ તૈયારી કરવામાં આવશે.

બાઇટ વિજય રૂપાણી મુખ્યમંત્રી ગુજરાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.