ETV Bharat / city

ઈન્દ્રોડા પાર્કમાં લવાયેલી સફેદ વાઘની જોડીને 5 મહિના બાદ આવતી કાલથી જોઈ શકાશે

author img

By

Published : Aug 23, 2021, 7:58 PM IST

રાજકોટ અને જૂનાગઢથી ગૌતમ અને ગોદાવરી નામની સફેદ વાઘની જોડી ગાંધીનગર ઈન્દ્રોડા પાર્કમાં એપ્રિલ મહિનાથી લાવવામાં આવી હતી. આ નજરાણું આવતી કાલથી (મંગળવાર) શહેરીજનો જોઈ શકશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કરાયેલા આધુનિક ઓપન મોટ આવાસોનું પણ ઉદઘાટન કરાશે. વન પ્રધાન ગણપતભાઇ વસાવા અને વન રાજ્ય પ્રધાન રમણભાઇ પાટકરના હસ્તે 24 ઓગસ્ટે સવારે 10 કલાકે આ લોકાર્પણ કરાશે.

tiger
ઈન્દ્રોડા પાર્કમાં લવાયેલી સફેદ વાઘની જોડીને 5 મહિના બાદ આવતી કાલથી જોઈ શકાશે
  • રાજકોટ અને જૂનાગઢથી ગૌતમ અને ગોદાવરી નામના સફેદ વાઘ લવાયા હતા
  • પ્રાણીઓ માટે આધુનિક ઓપન મોટ આવાસોનું ઉદઘાટન થશે
  • પ્રધાન ગણપતભાઇ વસાવા, વન રાજ્ય પ્રધાન રમણભાઇ પાટકર કરશે ઉદઘાટન

ગાંધીનગર : ગીર ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કરાયેલા આધુનિક ઓપન મોટ આવાસો અને મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવવામાં આવ્યો છે. તેમાં પણ પહેલીવાર સફેદ વાઘને જોવાનો લ્હાવો મળશે. વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ઓપન મોટ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે. જેની વિશેષતાઓ એ છે કે, પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો આવાસોમાં ઉપયોગ કરાયો છે.

પહેલીવાર લવાયેલા સફેદ વાઘની જોડી હવેથી જોવા મળશે

એપ્રિલ મહિનામાં જ ગૌતમ મને ગોદાવરીની જોડી ઈન્દ્રોડા પાર્ક લવાઈ હતી જે બાદ 3 થી 6 અઠવાડિયા સુધી લાવ્યા બાદ નર-માદા સફેદ વાઘને ક્વોરન્ટિન કરાયા હતા. કોરોના પીક પર આવતા ઈન્દ્રોડા પાર્ક પણ બંધ કરાયો હતો. જે બાદ ઈન્દ્રોડા પાર્ક શરૂ તો કરાયો હતો પરંતુ આ વાઘની જોડીને ક્વોરન્ટિન કરાઇ હતી. જે બાદ આ વાઘને કોઈને જોવાની પરમિશન અપાઈ નહોતી. આ સફેદ વાઘની જોડીમાં 2.7 વર્ષનો નર અને 4 વર્ષથી મોટી ઉંમરની માદા વાઘને લાવવામાં આવ્યા છે. જોડી લવાયાના 5 મહિના બાદ લોકોને સફેદ વાઘ જોવા મળશે.

આ પણ વાંચો : બે દિવસ પૂર્વે રેસ્ક્યૂ કરાયેલા સિંહને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સિંહ પ્રેમીઓ

દર વર્ષે 6 લાખ મુલાકાતીઓ ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લેતા હોય છે

રાજ્યના ગૌરવ સમા એશિયાઈ સિંહ, ભારતીય વાઘ તથા દીપડા જેવા બિડાલકુળના વન્યપ્રાણીઓ માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી તાજેતરમાં વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. નવનિર્મિત આવાસોમાં મુલાકાતીઓ તમામ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે. પ્રતિ વર્ષ 6 લાખ જેટલા મુલાકાતીઓ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે.

આ પણ વાંચો : કલ્યાણસિંહને સરદાર પટેલ સમકક્ષ સરખાવતાં મહામંડલેશ્વર હરિગીરીજી મહારાજ, રામમંદિર માટે સદાય રહેશે યાદ

  • રાજકોટ અને જૂનાગઢથી ગૌતમ અને ગોદાવરી નામના સફેદ વાઘ લવાયા હતા
  • પ્રાણીઓ માટે આધુનિક ઓપન મોટ આવાસોનું ઉદઘાટન થશે
  • પ્રધાન ગણપતભાઇ વસાવા, વન રાજ્ય પ્રધાન રમણભાઇ પાટકર કરશે ઉદઘાટન

ગાંધીનગર : ગીર ફાઉન્ડેશન દ્વારા ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ખાતે સિંહ, વાઘ અને દીપડા માટે તૈયાર કરાયેલા આધુનિક ઓપન મોટ આવાસો અને મુલાકાતીઓ માટે ખાસ ગેલેરી તથા પથ બનાવવામાં આવ્યો છે. તેમાં પણ પહેલીવાર સફેદ વાઘને જોવાનો લ્હાવો મળશે. વન્યજીવોની સુરક્ષા, સલામતી અને અનુકૂળતાઓને ધ્યાનમાં રાખી આ ઓપન મોટ પ્રકારના આવાસો તૈયાર કરાયા છે. જેની વિશેષતાઓ એ છે કે, પથ્થર શિલાઓ, વૃક્ષ-વનસ્પતિઓ, કાષ્ઠ, ઘાસ-વાંસ સહિતના કુદરતી સંશાધનોનો આવાસોમાં ઉપયોગ કરાયો છે.

પહેલીવાર લવાયેલા સફેદ વાઘની જોડી હવેથી જોવા મળશે

એપ્રિલ મહિનામાં જ ગૌતમ મને ગોદાવરીની જોડી ઈન્દ્રોડા પાર્ક લવાઈ હતી જે બાદ 3 થી 6 અઠવાડિયા સુધી લાવ્યા બાદ નર-માદા સફેદ વાઘને ક્વોરન્ટિન કરાયા હતા. કોરોના પીક પર આવતા ઈન્દ્રોડા પાર્ક પણ બંધ કરાયો હતો. જે બાદ ઈન્દ્રોડા પાર્ક શરૂ તો કરાયો હતો પરંતુ આ વાઘની જોડીને ક્વોરન્ટિન કરાઇ હતી. જે બાદ આ વાઘને કોઈને જોવાની પરમિશન અપાઈ નહોતી. આ સફેદ વાઘની જોડીમાં 2.7 વર્ષનો નર અને 4 વર્ષથી મોટી ઉંમરની માદા વાઘને લાવવામાં આવ્યા છે. જોડી લવાયાના 5 મહિના બાદ લોકોને સફેદ વાઘ જોવા મળશે.

આ પણ વાંચો : બે દિવસ પૂર્વે રેસ્ક્યૂ કરાયેલા સિંહને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે સિંહ પ્રેમીઓ

દર વર્ષે 6 લાખ મુલાકાતીઓ ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લેતા હોય છે

રાજ્યના ગૌરવ સમા એશિયાઈ સિંહ, ભારતીય વાઘ તથા દીપડા જેવા બિડાલકુળના વન્યપ્રાણીઓ માટે ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન પ્રાણીસંગ્રહાલયમાં રાજ્યના વનવિભાગના સહયોગથી તાજેતરમાં વન્યજીવોના અદ્યતન આવાસોનું નવનિર્માણ કરવામાં આવ્યુ છે. નવનિર્મિત આવાસોમાં મુલાકાતીઓ તમામ વન્યજીવોને કુદરતી અવસ્થામાં નિહાળી શકશે. જેનો લાભ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાતે આવનાર દેશ-વિદેશના પર્યટકો તથા ગાંધીનગરની પ્રકૃતિપ્રેમી જનતાને થશે. પ્રતિ વર્ષ 6 લાખ જેટલા મુલાકાતીઓ ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનની મુલાકાત લેતા હોય છે.

આ પણ વાંચો : કલ્યાણસિંહને સરદાર પટેલ સમકક્ષ સરખાવતાં મહામંડલેશ્વર હરિગીરીજી મહારાજ, રામમંદિર માટે સદાય રહેશે યાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.