ETV Bharat / city

મેડિકલ સાધનોના 200 ટકાથી લઇને 1,000 ટકા લેવાય છે ભાવ

author img

By

Published : May 8, 2021, 2:15 PM IST

મેડિકલ સાધનો, મેડિકલ દવાઓના 200 ટકાથી લઇને 1,000 ટકા ભાવ લેવાય છે. આમ અલગ-અલગ ભાવ કેમ વસૂલાય છે. આ પ્રકારની ગેરરીતિ થઈ રહી છે

દવાઓના ભાવ વધુ વસુલવામાં આવે છે
દવાઓના ભાવ વધુ વસુલવામાં આવે છે
  • ગેરવહીવટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાએ રોષ ઠાલવ્યો
  • દવાઓના ભાવ વધુ વસુલવામાં આવે છે
  • લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા

ગાંધીનગર: કોરોના મહામારીમાં દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજનમાં કાળા બજારી થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસ દ્વારા આ મામલે રોષ ઠાલવવામાં આવ્યો હતો. તેમને કોરોનાની મહામારીમા ગેરવહીવટ મામલે મેડિકલ સાધનો, મેડિકલ દવાઓના 200 ટકાથી લઇને 1,000 ટકા ભાવ લેવાય છે. આમ અલગ-અલગ ભાવ કેમ વસૂલાય છે. આ પ્રકારની ગેરરીતિ થઈ રહી છે.

ગેરવહીવટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાએ રોષ ઠાલવ્યો

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે રસીના ઓછામાં ઓછા ભાવ નક્કી કરવા જોઇએ

એક જ પ્રકારની દવાના ચાર અલગ-અલગ ભાવ હોય છે

નિશિત વ્યાસ જણાવે છે કે, હોસ્પિટલમાં એક કાર્યકર્તાને બેડ માટે મેં હોસ્પિટલમાં ફોન કર્યા પણ બેડ ન મળ્યો. પક્ષા-પક્ષીથી પર રહીને આ મુદે અમારે મુખ્યપ્રધાન સુધી ગ્રાઉન્ડ રિયાલીટી પહોંચાડવી જોઇએ. જેને લઇને મેં 40 દિવસ પહેલા ગુજરાતના કહેવાતા સંવેદનશીલ મુખ્યપ્રધાનને કોલ કર્યો હતો. મુખ્યપ્રધાને રિવ્યુ કરવાનું આશ્વાસન આપ્યું હતું સાથે મેં મહાત્મા મંદિરથી લઇને અલગ-અલગ જગ્યાએ આઇસોલેશન ઉભા કરવાનું સૂચન આપ્યું હતું. એક જ પ્રકારની દવાના ચાર અલગ-અલગ ભાવ હોય એ સામે કડક વલણ અપનાવવું જોઇએ. પલ્સ ઓક્સોમીટર હોય, બાય પેપ હોય કે ઓક્સિજન ફ્લોમીટર તેમાં 200 ટકા થી લઇને 1,000 ટકા ભાવ લેવાય છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણ કાળમાં મોસંબી અને સંતરાના ભાવમાં વધારો

લાઇફ સેવિંગ ડ્રગ, સાધન પર સરકારે GST માફ કરવો જોઇએ

GST વસૂલવા મામલે પણ વિચારવું જોઈએ. ગુજરાતથી વેચાતી જે કોઇ પણ લાઇફ સેવિંગ ડ્રગ હોય અથવા તો સાધન હોય તેના પર સરકારે GST માફ કરવો જોઇએ. સાંપ્રત પરિસ્થિતિમાં હેલ્થ સેન્ટરો તૈયાર કરવા જોઇએ. જે PHC સેન્ટર્સ છે તે પ્રોપર કામ કરે તેવું કરવું જોઇએ.

  • ગેરવહીવટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાએ રોષ ઠાલવ્યો
  • દવાઓના ભાવ વધુ વસુલવામાં આવે છે
  • લોકોને હોસ્પિટલોમાં બેડ નથી મળી રહ્યા

ગાંધીનગર: કોરોના મહામારીમાં દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજનમાં કાળા બજારી થઈ રહી છે. ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા નિશિત વ્યાસ દ્વારા આ મામલે રોષ ઠાલવવામાં આવ્યો હતો. તેમને કોરોનાની મહામારીમા ગેરવહીવટ મામલે મેડિકલ સાધનો, મેડિકલ દવાઓના 200 ટકાથી લઇને 1,000 ટકા ભાવ લેવાય છે. આમ અલગ-અલગ ભાવ કેમ વસૂલાય છે. આ પ્રકારની ગેરરીતિ થઈ રહી છે.

ગેરવહીવટ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાએ રોષ ઠાલવ્યો

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે રસીના ઓછામાં ઓછા ભાવ નક્કી કરવા જોઇએ

એક જ પ્રકારની દવાના ચાર અલગ-અલગ ભાવ હોય છે

નિશિત વ્યાસ જણાવે છે કે, હોસ્પિટલમાં એક કાર્યકર્તાને બેડ માટે મેં હોસ્પિટલમાં ફોન કર્યા પણ બેડ ન મળ્યો. પક્ષા-પક્ષીથી પર રહીને આ મુદે અમારે મુખ્યપ્રધાન સુધી ગ્રાઉન્ડ રિયાલીટી પહોંચાડવી જોઇએ. જેને લઇને મેં 40 દિવસ પહેલા ગુજરાતના કહેવાતા સંવેદનશીલ મુખ્યપ્રધાનને કોલ કર્યો હતો. મુખ્યપ્રધાને રિવ્યુ કરવાનું આશ્વાસન આપ્યું હતું સાથે મેં મહાત્મા મંદિરથી લઇને અલગ-અલગ જગ્યાએ આઇસોલેશન ઉભા કરવાનું સૂચન આપ્યું હતું. એક જ પ્રકારની દવાના ચાર અલગ-અલગ ભાવ હોય એ સામે કડક વલણ અપનાવવું જોઇએ. પલ્સ ઓક્સોમીટર હોય, બાય પેપ હોય કે ઓક્સિજન ફ્લોમીટર તેમાં 200 ટકા થી લઇને 1,000 ટકા ભાવ લેવાય છે.

આ પણ વાંચો: કોરોના સંક્રમણ કાળમાં મોસંબી અને સંતરાના ભાવમાં વધારો

લાઇફ સેવિંગ ડ્રગ, સાધન પર સરકારે GST માફ કરવો જોઇએ

GST વસૂલવા મામલે પણ વિચારવું જોઈએ. ગુજરાતથી વેચાતી જે કોઇ પણ લાઇફ સેવિંગ ડ્રગ હોય અથવા તો સાધન હોય તેના પર સરકારે GST માફ કરવો જોઇએ. સાંપ્રત પરિસ્થિતિમાં હેલ્થ સેન્ટરો તૈયાર કરવા જોઇએ. જે PHC સેન્ટર્સ છે તે પ્રોપર કામ કરે તેવું કરવું જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.