ETV Bharat / city

ગાંધીનગર IITEની પરીક્ષાઓ સામે NSUIનો વિરોધ, કહ્યું ભાજપ અમને આંતકવાદી સમજે છે

author img

By

Published : Jun 25, 2020, 3:04 PM IST

Updated : Jun 25, 2020, 3:54 PM IST

ગાંધીનગર શહેરમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. તેના વિરોધમાં ગુરૂવારે NSUI દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી વિદ્યાર્થી સંગઠને માગ કરી હતી કે, કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે, પરીક્ષા દરમિયાન કોઈ વિદ્યાર્થી સંક્રમિત થશે તો જવાબદારી કોની રહેશે.

ગાંધીનગર IITEની પરીક્ષાઓ સામે NSUIનો વિરોધ
ગાંધીનગર IITEની પરીક્ષાઓ સામે NSUIનો વિરોધ

ગાંધીનગરઃ કોરોના મહામારી અંતર્ગત જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તમામ કાર્યો બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવાથી અને કોરોના સંક્રમણથી બચવા માટે તમામ યુનિવર્સિટીઓની પરિક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. જે લોકડાઉન ખુલતા અને અનલોક-1 દરમિયાન તમામ પરીક્ષાઓની તારીખ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, કોરોનાના પગલે વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી ફરી વાર મુલતવી રાખવાની માગ કરી રહ્યા છે.

ગાંધીનગર IITEની પરીક્ષાઓ સામે NSUIનો વિરોધ

શહેરમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા કોરોના કહેર વચ્ચે પણ પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. સરકાર દ્વારા હજુ સુધી પરીક્ષાઓ લેવી કે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ IITEના સત્તાધીશો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પ્રિલિમ પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. રાજ્યના 33 જિલ્લા અને 4 અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ આજે પણ પરીક્ષા આપી રહ્યા છે. જેને લઇને NSUI વિદ્યાર્થી સંગઠન કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું, પરંતુ કેમ્પસની અંદર પ્રવેશ આપ્યો ન હતો, આથી NSUIએ બહાર દરવાજા પાસે ધરણાં ધર્યા હતા.

ગાંધીનગર IITEની પરીક્ષાઓ સામે NSUIનો વિરોધ
ગાંધીનગર IITEની પરીક્ષાઓ સામે NSUIનો વિરોધ

NSUIના નેતા નિખીલ સવાણીએ કહ્યું કે, IITEના સત્તાધીશો ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે, અમે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા નહીં યોજવા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ અમને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. જ્યારે ભાજપના નેતાઓ લોકડાઉન દરમિયાન પણ અંદર મહેફિલ જમાવીને બેસતાં જોવા મળ્યા છે. ભાજપના નેતાઓના ઇશારે NSUI આતંકવાદી સંગઠન હોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સંસ્થામાં પ્રવેશ આપવામાં આવતો નથી.

ગાંધીનગરઃ કોરોના મહામારી અંતર્ગત જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન તમામ કાર્યો બંધ રાખવામાં આવ્યા હતા. તેમજ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવાથી અને કોરોના સંક્રમણથી બચવા માટે તમામ યુનિવર્સિટીઓની પરિક્ષાઓ મોકુફ રાખવામાં આવી હતી. જે લોકડાઉન ખુલતા અને અનલોક-1 દરમિયાન તમામ પરીક્ષાઓની તારીખ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, કોરોનાના પગલે વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી ફરી વાર મુલતવી રાખવાની માગ કરી રહ્યા છે.

ગાંધીનગર IITEની પરીક્ષાઓ સામે NSUIનો વિરોધ

શહેરમાં આવેલી ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન દ્વારા કોરોના કહેર વચ્ચે પણ પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. સરકાર દ્વારા હજુ સુધી પરીક્ષાઓ લેવી કે નહીં તે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ IITEના સત્તાધીશો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી પ્રિલિમ પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. રાજ્યના 33 જિલ્લા અને 4 અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ આજે પણ પરીક્ષા આપી રહ્યા છે. જેને લઇને NSUI વિદ્યાર્થી સંગઠન કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યું હતું, પરંતુ કેમ્પસની અંદર પ્રવેશ આપ્યો ન હતો, આથી NSUIએ બહાર દરવાજા પાસે ધરણાં ધર્યા હતા.

ગાંધીનગર IITEની પરીક્ષાઓ સામે NSUIનો વિરોધ
ગાંધીનગર IITEની પરીક્ષાઓ સામે NSUIનો વિરોધ

NSUIના નેતા નિખીલ સવાણીએ કહ્યું કે, IITEના સત્તાધીશો ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે, અમે વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા નહીં યોજવા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ અમને પ્રવેશ પણ આપવામાં આવતો નથી. જ્યારે ભાજપના નેતાઓ લોકડાઉન દરમિયાન પણ અંદર મહેફિલ જમાવીને બેસતાં જોવા મળ્યા છે. ભાજપના નેતાઓના ઇશારે NSUI આતંકવાદી સંગઠન હોય તેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. સંસ્થામાં પ્રવેશ આપવામાં આવતો નથી.

Last Updated : Jun 25, 2020, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.