- રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1477 પોઝિટિવ કેસ નોંધાયા
- સુરત 214 કેસ, બરોડા 140, રાજકોટમાં 94 કેસ નોંધાયા
- કોરોનાના 15 દર્દીઓના થયા મોત
ગાંધીનગર: રાજ્યમાં દિવાળી પહેલા કોરોના વાઈરસના આંકડામાં ઘટાડો નોંધાઇ રહ્યો હતો, પણ અચાનક દિવાળીના તહેવાર બાદ અને શિયાળાની શરૂઆત સાથે કોરોના વાઈરસ વધુ વકર્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1477 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે કરર્ફ્યૂ ગ્રસ્ત અમદાવાદ શહેરમાં 311 જેટલો પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 જેટલા દર્દીના મોત નિપજ્યા છે.
![રાજ્યમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 1477 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદ 311 કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9731720_1.jpg)
દર્દીનો રિકવરી રેટ 91.06 ટકા થયો
રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 2,11,257 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 1547 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 1,92,368 દર્દીઓએ કોરોનાને માત આપીને છે. જ્યારે ગત અઠવાડિયામાં ગુજરાતનો રિકવરી રેટ 91.26 ટકા થયો હતો, જે ઘટીને આજે 91.06 ટકા થયો છે.
![રાજ્યમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 1477 પોઝિટિવ કેસ નોંધાયા, અમદાવાદ 311 કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9731720_2.jpg)
રાજ્યમાં 5.26 લાખ લોકો કોરેન્ટાઇન
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિંડ 19ના કેસની યાદી પ્રમાણે આજે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1477 જેટલા કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 જેટલા દર્દીઓના મૃત્યુ નિપજયા છે, આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 4004 જેટલા મૃત્યુ નોંધાયા છે, જ્યારે આજ હાલની પરિસ્થિતિ મુજબ 5,26,940 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,26,752 વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇલ છે. રાજ્યમાં કુલ 1,92,368 દર્દીઓને રજા આપવામાં આવી છે.
1059.26 પ્રતિ મિલિયન ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું અટકે એ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન-પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કુલ 68,852 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે, જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1059.26 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામે છે, ૨ાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 78,94,467 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે. આજ રોજ રાજ્યમાં વિવિધ જિલ્લામાં કુલ 1477 કેસ નોંધાયેલ છે.