- તમામના પરિશ્રમના પરિણામે છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોના કેસ સ્ટેબલ
- રાજ્યમાં 58,000 ઓક્સિજન બેડ અને 2,000 જેટલી હોસ્પિટલમાં 1100 ટન ઓક્સિજનનો 24 કલાક અવિરત સપ્લાય
- છેલ્લા એક મહિનામાં 7 લાખથી વધુ રેમડેસીવીર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા
- છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં 2 લાખ 75 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન
ગાંધીનગર- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરામાં આત્મીય પોઝિટિવ કેર-પોસ્ટ કોવિડ સેન્ટરનું ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતુ કે, છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસ સ્ટેબલ થયા છે. જે આપણા સૌ માટે ખૂબ જ રાહતના સમાચાર છે.
આ પણ વાંચોઃ CM રૂપાણીએ 400 ઓક્સિજન બેડ ધરાવતી રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઈ લોકાર્પણ કર્યું
કોરોના સામે લડવા છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં 2.75 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે
રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1લાખ કરી છે. કોરોના સામે લડવા છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં 2.75 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સઘન પગલા તેમજ કોરોના વોરિયર્સની દિવસ-રાત મહેનત અને લોકોનો સહકાર-જાગૃતિના પરિણામે ગુજરાત કોરોનાની બીજી લહેરમાં પણ ધીમે ધીમે મક્કમતાથી બહાર આવી રહ્યું છે
![મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા ખાતેના “આત્મીય પોઝિટિવ કેર”- પોસ્ટ કોવિડ સેન્ટરનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11682949_th.jpg)
ગુજરાત ત્રીજી લહેર માટે અત્યારથી સજ્જ
રાજ્ય બીજી લહેરમાં જ ત્રાસી ગયુ છે, લોકોમાં ડરનો માહોલ છે કે ત્રીજી લહેરમાં ગુજરાત શું કરશે તો આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત કોરોનાની ત્રીજી લહેર માટે અત્યારથી સજ્જ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે નવા-નવા ઓક્સિજન પ્લાન્ટ સહિત જરૂરી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી રહી છે. આપણે વ્યથા નહી વ્યવસ્થા સાથે આગળ વધી રહ્યા છીએ, એટલે કોરોના સામેનો જંગ આપણે જીતી રહ્યા છે.
બીજી લહેરમાં કઇ રીતનુ રાજ્ય સરકારે કર્યુ કાર્ય
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કોરોના સામે જંગ જીતવા સતત કાર્યરત છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરવામાં આવી છે. જ્યારે ઓક્સિજન બેડની સંખ્યા 18 હજારથી વધારીને 58 હજાર કરવામાં આવી છે. રાજ્ય સરકારના સઘન પ્રયાસોથી 2000 જેટલી હોસ્પિટલ્સમાં દૈનિક 1100 ટન ઓક્સિજનનો 24 કલાક અવિરત પ્રવાહ પુરો પાડવામાં આવી રહ્યો છે.
નવા નવા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યા છે
નવા નવા ઓક્સિજન પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા એક મહિનાના સમયગાળામાં ગુજરાતની વિવિધ હોસ્પિટલ્સમાં કોરોનાના દર્દીઓ માટે રાજ્ય સરકારે 7 લાખથી વધુ રેમડેસીવીર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવીને દર્દીઓને સુવિધા પુરી પાડી છે. જેના પરિણામે ગુજરાતમાં કોરોનાના નવા કેસ કરતાં વધુ દર્દી સાજા થઈને ઘરે જઈ રહ્યા છે.
મારૂ ગામ કોરોના મુક્ત ગામનો અભિયાન શરૂ કરાયો
ગુજરાત સરકારે કોરોના સંક્રમણને ગામમાં જ દબાવી દેવા માટે ગત 1મેથી “મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં ગામમાં સર્વેલન્સ કરીને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો ધરાવતા લોકોને અલગ કરીને તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવે છે અને જો તેમાં કોઇ પોઝિટિવ આવે તો ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં તેની અલગથી સારવાર આપીને સંક્રમણને આગળ વધતું અટકાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
![મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વડોદરા ખાતેના “આત્મીય પોઝિટિવ કેર”- પોસ્ટ કોવિડ સેન્ટરનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gnr-09-covid-isolation-baroda-cm-photo-story-7204846_07052021154150_0705f_1620382310_600.jpg)
રાજ્યના 33 જિલ્લામાં 13,000થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરનું નિર્માણ કરાયુ
“મારુ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન હેઠળ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યના 33 જિલ્લામાં 13,000થી વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરનું નિર્માણ કરીને 1 લાખ 20 હજારથી વધુ બેડની વ્યવસ્થા ઉભી કરી છે. ગામના લોકો અને વહીવટી તંત્રના સહિયારા પ્રયાસો, સૌના સહકારથી ગુજરાતમાં કોરોના હારશે અને ગુજરાત જીતશે તેવો વિશ્વાસ વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનમાં જોડાયું પોરબંદર જિલ્લાનું મોકર ગામ
માનસિક અને હતાશ થયેલા લોકોને નવું મનોબળ પુરૂ પાડવામાં મહત્વની ભૂમિકા
સંતોના આર્શીવાદથી શરૂ કરેલું આત્મીય પોઝિટિવ કેર સેન્ટર કોરોનાના દર્દીઓમાં આત્મ વિશ્વાસનો નવો સંચાર કરશે. આ સેન્ટર કોરોના બાદ માનસિક અને હતાશ થયેલા લોકોને નવું મનોબળ પુરૂ પાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભગવાન સ્વામિનારાયણે પણ વન વિચરણ દરમિયાન રોગીઓની સેવા કરી હતી. શિક્ષાપત્રીમાં પણ માંદા-રોગી જનની આજીવન સેવા કરવાની શિખ આપેલી છે. જેને આજે સાચા અર્થ યોગી ડિવાઇન સોસાયટીના માધ્યમથી આપણે અપનાવી રહ્યા છે, આપણે આ સેવાના સંસ્કાર જાળવી રાખ્યા છે.