ETV Bharat / city

અંતે ભાજપ સરકારે બિન સચિવાલય ઉમેદવારોના આંદોલન સામે ઘૂંટણ ટેકવ્યા, પરીક્ષા રદ

author img

By

Published : Dec 16, 2019, 11:27 PM IST

ગાંધીનગર: બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ SITની રચના કર્યા બાદ ઉમેદવારોએ આંદોલન પરત ખેચ્યું હતું. જેને આજે 10 દિવસ પૂર્ણ થતા ભાજપ સરકારે પોતાની ભૂલ સ્વીકારી હોય તે રીતે ઉમેદવારોના આંદોલન સામે ઘૂંટણ ટેકવ્યા છે અને અંતે પરીક્ષા રદ કરી છે. પરીક્ષા રદ કરવામાં આવતા કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાલમાં શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આંદોલન કરી રહેલા યુવાનોને મળવા પહોંચ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.

ગાંધીનગર
etv bharat

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં 6 લાખથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી અને 3173 જેટલા કેન્દ્રો પર સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી આગેવાનો દ્વારા ગેરરીતિમા 10 મોબાઇલ, CCTV ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કરાયા હતા. જેની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ વીડિયો ફૂટેજની તપાસ વિદ્યાર્થી આગેવાનોની હાજરીમાં કરી હતી.

પરીક્ષા રદ

મોબાઇલ ફોન તપાસ અર્થે FSLને મોકલી આપવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓની તપાસ આગેવાનોની ઉપસ્થિતિમાં FSLની મદદ લઇને કરી છે. જેમાં CCTV ફૂટેજની ચકાસણીમાં કેટલીક જગ્યા પર વિદ્યાર્થીઓ મોબાઇલથી પેપર લખતા હોવાના દ્રશ્યો, એક-બીજાને પૂછીને લખતા હોય તેવા દ્રશ્યોના પુરાવાઓ મળ્યા છે. તેની સંપૂર્ણ ન્યાયિક તપાસ FSLની મદદથી કરવામાં આવી છે. જેના આધારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરીક્ષાની ગેરરીતિ સંદર્ભે સરકાર સહેજપણ ચલાવી લેવા માંગતી નથી અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય તે માટે SITના અહેવાલોના તારણોના આધારે પરીક્ષાઓ યોજાશે. બિન સચિવાલય ક્લાર્કની આ પરીક્ષામાં સાચો રહી ન જાય તેમજ ખોટો લાભ લઇ ન જાય તે માટે SIT દ્વારા નિર્ણય કરાયો છે. તેમાં CCTV ફૂટેજમાં મોબાઇલથી ચોરી કરતા વિદ્યાર્થીઓને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરાવવાનો નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં 2 લાખથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડ્યા છે અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય. તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબધ્ધ છે. આગામી સમયમાં પણ આ પરીક્ષામાં પેપર લીકની ઘટના માટે કોઇપણ વ્યક્તિ પ્રેરાય તે માટે પણ ક્રિમીનલ કાર્યવાહી કરાશે. આ ઘટનામાં રાજ્ય સરકારે ગાંધીનગરમાં ગેરરીતિ અંગે FIR કરવાનો નિર્ણય લીધો છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં 6 લાખથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી અને 3173 જેટલા કેન્દ્રો પર સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી આગેવાનો દ્વારા ગેરરીતિમા 10 મોબાઇલ, CCTV ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કરાયા હતા. જેની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ વીડિયો ફૂટેજની તપાસ વિદ્યાર્થી આગેવાનોની હાજરીમાં કરી હતી.

પરીક્ષા રદ

મોબાઇલ ફોન તપાસ અર્થે FSLને મોકલી આપવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓની તપાસ આગેવાનોની ઉપસ્થિતિમાં FSLની મદદ લઇને કરી છે. જેમાં CCTV ફૂટેજની ચકાસણીમાં કેટલીક જગ્યા પર વિદ્યાર્થીઓ મોબાઇલથી પેપર લખતા હોવાના દ્રશ્યો, એક-બીજાને પૂછીને લખતા હોય તેવા દ્રશ્યોના પુરાવાઓ મળ્યા છે. તેની સંપૂર્ણ ન્યાયિક તપાસ FSLની મદદથી કરવામાં આવી છે. જેના આધારે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરીક્ષાની ગેરરીતિ સંદર્ભે સરકાર સહેજપણ ચલાવી લેવા માંગતી નથી અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય તે માટે SITના અહેવાલોના તારણોના આધારે પરીક્ષાઓ યોજાશે. બિન સચિવાલય ક્લાર્કની આ પરીક્ષામાં સાચો રહી ન જાય તેમજ ખોટો લાભ લઇ ન જાય તે માટે SIT દ્વારા નિર્ણય કરાયો છે. તેમાં CCTV ફૂટેજમાં મોબાઇલથી ચોરી કરતા વિદ્યાર્થીઓને 3 વર્ષ માટે ગેરલાયક ઠેરાવવાનો નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં 2 લાખથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડ્યા છે અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય. તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબધ્ધ છે. આગામી સમયમાં પણ આ પરીક્ષામાં પેપર લીકની ઘટના માટે કોઇપણ વ્યક્તિ પ્રેરાય તે માટે પણ ક્રિમીનલ કાર્યવાહી કરાશે. આ ઘટનામાં રાજ્ય સરકારે ગાંધીનગરમાં ગેરરીતિ અંગે FIR કરવાનો નિર્ણય લીધો છે.

Intro:હેડ લાઇન) આખરે ભાજપ સરકારે બિન સચિવાલય ઉમેદવારો ના આંદોલન સામે ઘૂંટણ ટેકવ્યા, પરીક્ષા રદ

ગાંધીનગર,

બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારબાદ એસઆઈટીની રચના કર્યા પછી ઉમેદવારોએ આંદોલન પરત ખેંચ્યું હતું. જેને આજે દસ દિવસ પૂર્ણ થતા ભાજપ સરકારે પોતાની ભૂલ સ્વીકારી હોય તે રીતે ઉમેદવારોના આંદોલન સામે ઘૂંટણ ટેકવી દીધા છે અને આખરે પરીક્ષા રદ કરી નાખી છે. પરીક્ષા રદ કરવામાં આવતા કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાલમાં શહેરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે આંદોલન કરી રહેલા યુવાનોને મળવા પહોંચ્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.Body:ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ આ પરીક્ષામાં 6 લાખથી વધુ યુવાનોએ પરીક્ષા આપી હતી. અને 3173 જેટલા કેન્દ્રો પર સંપૂર્ણ પારદર્શિતાથી પરીક્ષાઓ યોજવામાં આવી હતી. પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી આગેવાનો દ્વારા ગેરરીતિમા 10 મોબાઇલ, સી.સી.ટી.વી. ફૂટેજ સહિતના પુરાવાઓ રજૂ કરાયા હતા. જેની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ વીડીયો ફૂટેજની તપાસ વિદ્યાર્થી આગેવાનોની હાજરીમાં કરી હતી. મોબાઇલ ફોનમાં જે વીડીયો ફૂટેજ અને સોશ્યલ મીડીયાનો ઉપયોગ થયો છે.Conclusion:મોબાઇલ ફોન વૈજ્ઞાનિક તપાસ અર્થે FSLને મોકલી આપવામાં આવ્યા હતા. આ તમામ પુરાવાઓની તપાસ આગેવાનોની ઉપસ્થિતિમાં FSLની મદદ લઇને કરી છે. જેમાં સી.સી.ટી.વી. ફૂટેજની ચકાસણીમાં કેટલીક જગ્યા પર વિદ્યાર્થીઓ મોબાઇલથી પેપર લખતા હોવાના દ્રશ્યો, એક-બીજાને પૂછીને લખતા હોય તેવા દ્રશ્યોના પુરાવાઓ મળ્યા છે, તેની સંપૂર્ણ ન્યાયિક અને તલસ્પર્શી તપાસ FSLની મદદથી કરવામાં આવી છે. જેના આધારે આ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે.

પરીક્ષાની ગેરરિતી સંદર્ભે સરકાર સહેજપણ ચલાવી લેવા માંગતી નથી અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય તે માટે SITના અહેવાલોના તારણોના આધારે પરીક્ષાઓ યોજાશે. બિન સચિવાલય કારકુનની આ પરીક્ષામાં સાચો રહી ન જાય તેમજ ખોટો લાભ ન લઇ જાય તે માટે SIT દ્વારા નિર્ણય કરાયો છે તેમાં સી.સી.ટી.વી. ફૂટેજમાં મોબાઇલથી ચોરી કરતા વિદ્યાર્થીઓને 3 વર્ષ માટે ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરાયો છે.

વિધાર્થીઓ સામે FIR પણ દાખલ કરવામાં આવશે. બનાસકાંઠા - 2, સુરેન્દ્રનગર 1 અને ગીર સોમનાથ જિલ્લામાં 1 મળી કુલ 4 FIR હાલ દાખલ કરવામાં આવી છે. એજ રીતે પરીક્ષા ખંડમાં જે વિદ્યાર્થીઓ એક-બીજાને પૂછીને પેપર લખતા હતા તેઓને પણ ૩ વર્ષ માટે ગેરલાયક ઠરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, સાથે સાથે પરીક્ષા કેન્દ્રના સંચાલકો, વર્ગ ખંડ નિરીક્ષક, સુપરવાઇઝરની પણ ગેરરીતિમાં મેળાપીપળી જણાશે તો તેમની સામે પણ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તેમજ આવી સંસ્થાઓને ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર તરીકે બ્લેક લીસ્ટ પણ કરવામાં આવશે.

રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં 2 લાખથી વધુ યુવાનોને સરકારી સેવામાં જોડ્યા છે, અને આગામી સમયમાં પણ ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી યોજાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબધ્ધ છે. આગામી સમયમાં પણ આ પરીક્ષામાં પેપર લીકની ઘટના માટે કોઇપણ વ્યક્તિ પ્રેરાય તે માટે પણ ક્રિમીનલ કાર્યવાહી કરાશે. પ્રસ્તૃત કિસ્સામાં રાજ્ય સરકારે ગાંધીનગરમાં આ ગેરરીતિ અંગે FIR કરવાનો નિર્ણય લીધેલ છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.