ગાંધીનગર : કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેની આજે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ વહેલી તકે ખેડૂતોના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે અને ખેડૂતોને આર્થિક નુકસાનનું વળતર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે માલધારી અને ઢોરઢાંખરને પણ નુકસાન થયું છે ત્યારે તેનું પણ વળતર રાજ્ય સરકાર ચૂકવશે.
કેબિનેટ નિર્ણય : વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે, આ તમામ આર્થિક સહાય એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે કરવામાં આવશે. ઉપરાંત જો વધારે નુકસાન હશે તો રાજ્ય સરકાર ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરે તેવું પણ નિવેદન રાજ્યના કૃષિપ્રધાન આર.સી. ફળદુએ આપ્યું હતું.
કેબિનેટ નિર્ણય : વરસાદમાં પાક નુકસાનીનો સર્વે થશે, ખેડૂતોને વળતર આપવામાં આવશે આ ઉપરાંત બનાસકાંઠામાં તીડનો પ્રવેશ થયો છે. તે બાબતે પણ ફળદુએ જણાવ્યું હતું કે, તે બાબતે રાજ્ય સરકાર ગંભીર છે સાથે જ તીડ મારવા માટે ગઇકાલે રાત્રે જ અધિકારીઓ સાથે બેઠક યોજીને તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.