ETV Bharat / city

ઊંઝા દર્શન કરી પરત આવનારા શ્રદ્ધાળુને કાળ ભરખી ગયો, 2ના મોત

author img

By

Published : Dec 22, 2019, 5:00 AM IST

Updated : Dec 22, 2019, 1:23 PM IST

ગાંધીનગર: શહેરમાં વૃંદાવન સ્વીટ્સની નામના મેળવનારા કિર્તીભાઈની કારનો અકસ્માત થયો હતો. જેમાં તેમનું મોત થયું છે. જ્યારે તેમના ભત્રીજાને સારવાર માટે અમદાવાદની સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું છે. કિર્તીભાઈના પત્નિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ETV BHARAT
કાર અક્સ્માત

ગાંધીનગરમાં સેક્ટર-22, 21, 7 અને 3 ખાતે વૃંદાવન સ્વીટ્સની વિવિધ બ્રાન્ચ ધરાવનારા સુખડીયા પરિવાર પર આભ ફાટ્યું છે. સે-22 ખાતે વૃંદાવન સ્વીટ્સમાં બેસતાં કિર્તીભાઈનું રાંધેજા ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું છે. જ્યારે તેમના ભત્રીજાને ગંભીર હાલતમાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને પરત ફરતા હતા, ત્યારે વહેલી સવારે કાર વૃક્ષમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ETV BHARAT
કાર અક્સ્માત

આ ઘટનાની વિગતો પ્રમાણે પ્લોટ નં-540/1 સૌરભ સોસાયટી સે-23 ખાતે રહેતાં કિર્તીકુમાર વિઠ્ઠલભાઈ સુખડીયા (61 વર્ષ) તેમના પત્ની ભાવનાબેન, ભત્રીજો ચેતનભાઈ, ચેતનભાઈના પત્ની નિકિતાબેન, દીકરી જીયા (10 વર્ષ) તથા ભત્રીજો ધૈર્ય(10 વર્ષ) સાથે શુક્રવારે બપોરે ઊંઝા ઉમિયા માતાના દર્શને ગયા હતા. શનિવારે વહેલી સવારે તેઓ ગાંધીનગર પરત આવતા હતા. તે સમયે રાંધેજા પાસે કાર વૃક્ષમાં ઘૂસી ગઈ હતી. જેમાં કિર્તીભાઈ તેમના પત્ની ભાવનાબેન અને ભત્રીજા ચેતનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે બે બાળકો અને તેમની ભત્રીજા વહુને નાની મોટી ઈજા પહોંચી હતી.

ETV BHARAT
કાર અક્સ્માત

આ અકસ્માતને કારણે તમામ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે કિર્તીભાઈને મૃત જાહેર કર્યા હતા. જેથી પેથાપુર પોલીસે મૃતકના નાના ભાઈ પ્રકાશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નિકિતાબેને અકસ્માત અંગે કહ્યું કે, સામેના રોડથી આવનારા વાહનોની લાઈટના કારણે મારા પતિ અંજાઈ ગયા હતા. જેથી તેઓએ ગાડી પર કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કાર વૃક્ષ અથડાઇ હતી.

ગાંધીનગરમાં સેક્ટર-22, 21, 7 અને 3 ખાતે વૃંદાવન સ્વીટ્સની વિવિધ બ્રાન્ચ ધરાવનારા સુખડીયા પરિવાર પર આભ ફાટ્યું છે. સે-22 ખાતે વૃંદાવન સ્વીટ્સમાં બેસતાં કિર્તીભાઈનું રાંધેજા ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું છે. જ્યારે તેમના ભત્રીજાને ગંભીર હાલતમાં અમદાવાદની સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને પરત ફરતા હતા, ત્યારે વહેલી સવારે કાર વૃક્ષમાં ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ETV BHARAT
કાર અક્સ્માત

આ ઘટનાની વિગતો પ્રમાણે પ્લોટ નં-540/1 સૌરભ સોસાયટી સે-23 ખાતે રહેતાં કિર્તીકુમાર વિઠ્ઠલભાઈ સુખડીયા (61 વર્ષ) તેમના પત્ની ભાવનાબેન, ભત્રીજો ચેતનભાઈ, ચેતનભાઈના પત્ની નિકિતાબેન, દીકરી જીયા (10 વર્ષ) તથા ભત્રીજો ધૈર્ય(10 વર્ષ) સાથે શુક્રવારે બપોરે ઊંઝા ઉમિયા માતાના દર્શને ગયા હતા. શનિવારે વહેલી સવારે તેઓ ગાંધીનગર પરત આવતા હતા. તે સમયે રાંધેજા પાસે કાર વૃક્ષમાં ઘૂસી ગઈ હતી. જેમાં કિર્તીભાઈ તેમના પત્ની ભાવનાબેન અને ભત્રીજા ચેતનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે બે બાળકો અને તેમની ભત્રીજા વહુને નાની મોટી ઈજા પહોંચી હતી.

ETV BHARAT
કાર અક્સ્માત

આ અકસ્માતને કારણે તમામ લોકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે કિર્તીભાઈને મૃત જાહેર કર્યા હતા. જેથી પેથાપુર પોલીસે મૃતકના નાના ભાઈ પ્રકાશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નિકિતાબેને અકસ્માત અંગે કહ્યું કે, સામેના રોડથી આવનારા વાહનોની લાઈટના કારણે મારા પતિ અંજાઈ ગયા હતા. જેથી તેઓએ ગાડી પર કાબૂ ગુમાવી દીધો હતો. જેથી કાર વૃક્ષ અથડાઇ હતી.

Intro:હેડલાઇન) ઉંઝા દર્શન કરી પરત આવતાં વૃંદાવન સ્વીટનાં મોભી ઘરથી 5 કિમી દુર હતાં ને કાળ ભરખી ગયો

ગાંધીનગર,

ગાંધીનગરમાં સેક્ટર-22, 21, 7, 3 ખાતે વૃંદાવન સ્વીટ્સની વિવિધ બ્રાંચ ધરાવતા સુખડીયા પરિવાર પર આભ ફાટ્યું છે. સે-22 ખાતે વૃંદાવન સ્વીટ્સમાં બેસતાં કિર્તીભાઈનું રાંધેજા ચોકડી પાસે અકસ્માતમાં મોત થયું છે. જ્યારે તેમના ભત્રીજાને ગંભીર હાલતમાં અમદાવાદ સાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. તેઓ ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે વહેલી પરોઢે સામેથી પડતી અન્ય વાહનની લાઈટથી ચાલક અંજાઈ જતા કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. Body:ઘટનાની વિગતો પ્રમાણે પ્લોટ નં-540/1 સૌરભ સોસાયટી સે-23 ખાતે રહેતાં કિર્તીકુમાર વિઠ્ઠલભાઈ સુખડીયા (61 વર્ષ) તેમના પત્ની ભવનાબેન તથા ભત્રીજો ચેતનભાઈ, ચેતનભાઈના પત્ની નિકિતાબેન દીકરી જીયા (10 વર્ષ) તથા ભત્રીજો ધૈર્ય(10 વર્ષ) સાથે શુક્રવારે બપોરે ઊંજા ઉમિયા માતાના દર્શને ગયા હતા. શનિવારે વહેલી પરોઢે તેઓ ગાંધીનગર પરત આવતા હતા. કાર ચેતનભાઈ ચલાવતા હતા અને કિર્તીભાઈ તેમની પાસે બેઠા હતા. જ્યારે તેમના પત્ની અને નાના બા‌‌ળકો પાછળ બેઠા હતા. ત્યારે રાંધેજા ચોકડીથી થોડે આગળ આવતા કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી. જેમાં કિર્તીભાઈ તેમના પત્ની ભાવનાબેન અને ભત્રીજા ચેતનભાઈ ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે બે બાળકો અને તેમની ભત્રીજા વહુને નાની મોટી ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે તમામ લોકોને ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડૉક્ટરે કિર્તીભાઈને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતને પગલે પેથાપુર પોલીસે મૃતકના નાના ભાઈ પ્રકારશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. Conclusion:અકસ્માતમાં કાર ચલાવતા ચેતનભાઈને પાસળીઓના ભાગે ઈજાઓ પહોંચી છે જ્યારે ભાવનાબેનને માથના ભાગે ઈજાઓ પહોંચી છે. જેથી બંને વધુ સારવાર માટે અમદાવાદની સાલ હોસ્પિટલમાં ખસેડાયા છે. કિર્તીભાઈને પાંચ ભાઈઓનો પરિવાર ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં રહે છે. અકસ્માત સમયે કારમાં સાથે રહેલાં ચેતનભાઈના પત્ની નિકિતાબેને રાત્રે 3 વાગ્યે પોતાના કાકા સરસા પ્રકાશભાઈને ફોન કરીને અકસ્માત અંગે જાણ કરી હતી. જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં નિકિતાબેન અકસ્માત અંગે કહ્યું હતું કે, ‘સામેના રોડથી આવતા વાહનોની લાઈટના કારણે મારા પતિ અંજાઈ ગયેલ જેથી તેઓએ ગાડી પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડમાં ઘૂસી ગઈ હતી.’
મૃતક કિર્તીભાઈનો પુત્ર બ્રિજેશ દુબઈ ફરવા માટે ગયો છે, અકસ્માત અંગે પરિવારે જાણ કરતાં તે આજે આવી પહોંચે તેવી શક્યતા છે. જે બાદ આજે રવિવારે કિર્તીભાઈના અંતિમ સંસ્કાર કરાય તેવી શક્યતા છે.

Photo, મૃતક કીર્તિભાઈ સુખડિયા
Last Updated : Dec 22, 2019, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.