ETV Bharat / city

ભાવનગર કોંગ્રેસનો અનોખો વિરોધ, માલધારી વેશમાં રેલી યોજી રખડતા ઢોર માટે પાઠવ્યું આવેદન

ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ મનપાના શાસકો 22 વર્ષથી હલ કરી શક્યા નથી, ત્યારે ભાવનગર કોંગ્રેસે માલધારી વેશમાં રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીને મંજૂરી મળી ન હોવાખી પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું, પરંતુ ત્યારબાદ કમિશ્નરની મંજૂરી મળતા 5 લોકોનેને સાંભળવા મંજૂરી આપવામાં આવી હતી.

author img

By

Published : Oct 14, 2020, 9:42 AM IST

ગુજરાતી સમાચાર
ગુજરાતી સમાચાર

ભાવનગર:મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ હાલમાં ભાવનગરના સિનિયર પત્રકાર રખડતા રસ્તા પરના ઢોરના પગલે મૃત્યુ પામ્યા છે. જેથી કોંગ્રેસે માલધારીના વેશમાં રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવાનું વિચાર્યું હતું, પરંતુ રેલીની મંજૂરી નહીં મળવાથી કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

કોંગ્રેસે માલધારીમાં વેશમાં રેલી કાઢી
ભાવનગર કોંગ્રેસનો અનોખો વિરોધ

ભાવનગર શહેરમાં ઢોરના ત્રાસથી લોકો હવે કંટાળી ગયા છે. તગ 22 વર્ષથી શાસન કરતા સત્તાધીશો સામે સવાલો ઉભા થયા છે. ઢોરના ત્રાસથી અનેક લોકોના હાથ-પગ ભાંગ્યા છે, તો કોઈકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ છતાં ઢોરની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

કોંગ્રેસે માલધારીમાં વેશમાં રેલી કાઢી
ભાવનગર કોંગ્રેસનો અનોખો વિરોધ

ઢોરની સમસ્યાનું નિરાકરણ નહીં આવવાથી કોંગ્રેસે રોષે ભરાઈ ઘોઘાગેટ ચોકમાંથી રેલી કાઢી હતી. આ રેલીમાં કોગ્રેસ માલધારીના વેશમાં રસ્તા પરના ઢોર મહાનગરપાલિકા સુધી પહોંચાડ્યા હતા. જેથી પોલીસ અને કોંગ્રેસ કાર્યકર વચ્ચે ઘર્ષણ થયું હતું.

કોંગ્રેસે માલધારી વેશમાં રેલી યોજી રખડતા ઢોર માટે પાઠવ્યું આવેદન

કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાગ કમિશ્નરે 5 લોકોને મંજૂરી આપી હતી. જેથી કોંગ્રેસે જણાવ્યું હતું કે, વિરોધ કરી અમે થાકી ગયા પરંતુ મનપાના સત્તાધીશોને પેટનું પાણી હલતું નથી.

ભાવનગર:મહાનગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પૂર્વ ડેપ્યુટી મેયર તેમજ હાલમાં ભાવનગરના સિનિયર પત્રકાર રખડતા રસ્તા પરના ઢોરના પગલે મૃત્યુ પામ્યા છે. જેથી કોંગ્રેસે માલધારીના વેશમાં રેલી કાઢીને આવેદનપત્ર પાઠવવાનું વિચાર્યું હતું, પરંતુ રેલીની મંજૂરી નહીં મળવાથી કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

કોંગ્રેસે માલધારીમાં વેશમાં રેલી કાઢી
ભાવનગર કોંગ્રેસનો અનોખો વિરોધ

ભાવનગર શહેરમાં ઢોરના ત્રાસથી લોકો હવે કંટાળી ગયા છે. તગ 22 વર્ષથી શાસન કરતા સત્તાધીશો સામે સવાલો ઉભા થયા છે. ઢોરના ત્રાસથી અનેક લોકોના હાથ-પગ ભાંગ્યા છે, તો કોઈકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આમ છતાં ઢોરની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.

કોંગ્રેસે માલધારીમાં વેશમાં રેલી કાઢી
ભાવનગર કોંગ્રેસનો અનોખો વિરોધ

ઢોરની સમસ્યાનું નિરાકરણ નહીં આવવાથી કોંગ્રેસે રોષે ભરાઈ ઘોઘાગેટ ચોકમાંથી રેલી કાઢી હતી. આ રેલીમાં કોગ્રેસ માલધારીના વેશમાં રસ્તા પરના ઢોર મહાનગરપાલિકા સુધી પહોંચાડ્યા હતા. જેથી પોલીસ અને કોંગ્રેસ કાર્યકર વચ્ચે ઘર્ષણ થયું હતું.

કોંગ્રેસે માલધારી વેશમાં રેલી યોજી રખડતા ઢોર માટે પાઠવ્યું આવેદન

કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયા બાગ કમિશ્નરે 5 લોકોને મંજૂરી આપી હતી. જેથી કોંગ્રેસે જણાવ્યું હતું કે, વિરોધ કરી અમે થાકી ગયા પરંતુ મનપાના સત્તાધીશોને પેટનું પાણી હલતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.