ETV Bharat / city

ભાવનગર: CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી

author img

By

Published : Nov 20, 2020, 10:33 PM IST

ભાવનગરના CSMCRI સંસ્થાના ડો.અરૂપ ઘોષ સમુદ્રી શેવાળ વિભાગના વૈજ્ઞાનિક છે. શેવાળમાંથી કેટલાક તત્વોનું સંશોધન કરીને ખાસ ફોર્મ્યુલાથી એક ખાદ્ય બનાવવામાં આવ્યું છે. આ ખાદ્યથી ગાયોમાંથી મિથેન ગેસનું પ્રમાણ ઘટશે અને રોગપ્રતિકારક શક્તિ વધશે. આ ખાદ્ય પદાર્થ ગાયો અને મરઘાં માટે શું ઉપયોગી બનશે? જુઓ અહેવાલ

ભાવનગર
ભાવનગર
  • ગાયોમાંથી મિથેન ઓછું કરી રોગપ્રતિકારક શક્તિ વધારતા ખાદ્યની શોધ
  • ભાવનગરના CSMCRIના વૈજ્ઞાનિકે કર્યુ સંશોધન
  • આ ખાદ્યથી ગાય અને મરઘાંને થશે અનેક ફાયદાઓ
  • શેવાળમાંથી બનાવી છે આ ખાદ્ય સામગ્રી


ભાવનગરઃ શહેરના CSMCRIના ડો. અરૂપ ઘોષે સમુદ્રી વનસ્પતિ શેવાળમાંથી એક ખાસ ફોર્મ્યુલા બનાવીને ગાયો માટે ખાસ ખાદ્ય સામગ્રી બનાવી છે. જે વાતાવરણમાં થતાં પ્રદુષણને રોકવામાં સફળ થશે અને ગાયોનું દૂધ પણ પૌષ્ટિક મેળવી શકાશે.

CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
CSMCRIના ડો. ઘોષનું સંશોધનભાવનગરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એટલે CSMCRI ના ડોક્ટર અને વૈજ્ઞાનિક ડો. અરૂપ ઘોષે સમુદ્રી શેવાળ વનસ્પતિમાંથી ખાસ તત્વો મેળવીને તેનું ફોર્મ્યુલા કેટલાક તત્વો સાથે મેળવીને એક ખાદ્ય ચીઝ બનાવી છે. આ ખાદ્ય ગાયો અને મરઘાં માટે છે. જે બંને પશુની પ્રજાતિને મજબૂત બનાવે છે. તો બંને પશુને શસક્ત પણ બનાવે છે. ડો. અરુપ દ્વારા બનાવેલી નવી પ્રોડક્ટ વાતવરણ શુદ્ધિ માટે પણ ખૂબ ફાયદાકારક છે.
CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
સંશોધનથી મેળવેલા ખાદ્યાના ફાયદાડો અરૂપ ઘોષે બનાવવામાં આવેલું ખાદ્ય ગાયો માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે ગાયોના શ્વાસોશ્વાસમાં બહાર નીકળતા શ્વાસમાં મિથેન નામના ગેસનું સૌથી વધુ પ્રમાણ હોય છે. જે ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ છે, ત્યારે બનાવેલી ખાદ્યથી ગાયોમાં મિથેનનું પ્રમાણ ઓછું થઈ જશે, સાથે ગાયોની રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થશે. જેથી ગાયોનું દૂધ પણ ગુણવત્તાવાળું મળશે, તેવી રીતે મરઘામાં પણ તેની રોગ પ્રતિકારક શક્તિ વધશે અને પ્રજાતિ મજબૂત થશે.
CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
આ ખાદ્ય વેંચવા કોને અપાયું લાયસન્સ ? ભાવનગર CSMCRIના સંશોધનમાં બનેલી વસ્તુઓનું લાયસન્સ આપવામાં આવતું હોય છે, ત્યારે અગાવ એક પ્રોડક્ટ દિલ્હીની કંપનીને આપવામાં આવી છે. દિલ્હીની એક્વાગ્રીન નામની કંપનીને પણ આ પ્રોડક્ટ વેંચવામાં આવી છે. જે માટે લાયસન્સ પણ અપાયું છે. એક્વાગ્રીન કંપની ઇફકો મારફત ખેડૂત સુધી પહોંચાડવામાં સફળ નીવડી છે. ત્યારે આ ખાધ વસ્તુ પર પહોંચાડશે તેવી આશા સેવાય છે. આ ખાદ્ય વસ્તુ શેવાળમાંથી બનતી હોવાથી આ પ્રોડક્ટ પ્રમાણમાં મોંઘી નથી, તેમજ આ ખાદ્યને ગાયોને આપવામાં આવતા ખાદ્યમાં મેળવીને થોડીક આરોગવા આપવાની રહે છે.

  • ગાયોમાંથી મિથેન ઓછું કરી રોગપ્રતિકારક શક્તિ વધારતા ખાદ્યની શોધ
  • ભાવનગરના CSMCRIના વૈજ્ઞાનિકે કર્યુ સંશોધન
  • આ ખાદ્યથી ગાય અને મરઘાંને થશે અનેક ફાયદાઓ
  • શેવાળમાંથી બનાવી છે આ ખાદ્ય સામગ્રી


ભાવનગરઃ શહેરના CSMCRIના ડો. અરૂપ ઘોષે સમુદ્રી વનસ્પતિ શેવાળમાંથી એક ખાસ ફોર્મ્યુલા બનાવીને ગાયો માટે ખાસ ખાદ્ય સામગ્રી બનાવી છે. જે વાતાવરણમાં થતાં પ્રદુષણને રોકવામાં સફળ થશે અને ગાયોનું દૂધ પણ પૌષ્ટિક મેળવી શકાશે.

CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
CSMCRIના ડો. ઘોષનું સંશોધનભાવનગરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એટલે CSMCRI ના ડોક્ટર અને વૈજ્ઞાનિક ડો. અરૂપ ઘોષે સમુદ્રી શેવાળ વનસ્પતિમાંથી ખાસ તત્વો મેળવીને તેનું ફોર્મ્યુલા કેટલાક તત્વો સાથે મેળવીને એક ખાદ્ય ચીઝ બનાવી છે. આ ખાદ્ય ગાયો અને મરઘાં માટે છે. જે બંને પશુની પ્રજાતિને મજબૂત બનાવે છે. તો બંને પશુને શસક્ત પણ બનાવે છે. ડો. અરુપ દ્વારા બનાવેલી નવી પ્રોડક્ટ વાતવરણ શુદ્ધિ માટે પણ ખૂબ ફાયદાકારક છે.
CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
સંશોધનથી મેળવેલા ખાદ્યાના ફાયદાડો અરૂપ ઘોષે બનાવવામાં આવેલું ખાદ્ય ગાયો માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે ગાયોના શ્વાસોશ્વાસમાં બહાર નીકળતા શ્વાસમાં મિથેન નામના ગેસનું સૌથી વધુ પ્રમાણ હોય છે. જે ગ્લોબલ વોર્મિંગનું કારણ પણ છે, ત્યારે બનાવેલી ખાદ્યથી ગાયોમાં મિથેનનું પ્રમાણ ઓછું થઈ જશે, સાથે ગાયોની રોગપ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થશે. જેથી ગાયોનું દૂધ પણ ગુણવત્તાવાળું મળશે, તેવી રીતે મરઘામાં પણ તેની રોગ પ્રતિકારક શક્તિ વધશે અને પ્રજાતિ મજબૂત થશે.
CSMCRIના વૈજ્ઞાનિકે ગાયોમાં મિથેન ગેસ ઓછું કરતા ખાદ્યની શોધ કરી
આ ખાદ્ય વેંચવા કોને અપાયું લાયસન્સ ? ભાવનગર CSMCRIના સંશોધનમાં બનેલી વસ્તુઓનું લાયસન્સ આપવામાં આવતું હોય છે, ત્યારે અગાવ એક પ્રોડક્ટ દિલ્હીની કંપનીને આપવામાં આવી છે. દિલ્હીની એક્વાગ્રીન નામની કંપનીને પણ આ પ્રોડક્ટ વેંચવામાં આવી છે. જે માટે લાયસન્સ પણ અપાયું છે. એક્વાગ્રીન કંપની ઇફકો મારફત ખેડૂત સુધી પહોંચાડવામાં સફળ નીવડી છે. ત્યારે આ ખાધ વસ્તુ પર પહોંચાડશે તેવી આશા સેવાય છે. આ ખાદ્ય વસ્તુ શેવાળમાંથી બનતી હોવાથી આ પ્રોડક્ટ પ્રમાણમાં મોંઘી નથી, તેમજ આ ખાદ્યને ગાયોને આપવામાં આવતા ખાદ્યમાં મેળવીને થોડીક આરોગવા આપવાની રહે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.