ભાવનગર ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્ને છેલ્લા 18 દિવસથી આંદોલન (Bhartiya Kisan Union Farmers Protest) કરવામાં આવી રહ્યું છે. જે અંગે હજુ કોઈ નિર્ણય ન આવતા હવે કિસાન સંઘ દ્વારા પ્રધાનોના ઘરના ઘેરાવની (Bhartiya Kisan Union reached Minister House) રણનીતિ બનાવી સરકાર પાસે પોતાની માંગણીને પ્રબળ બનાવી રહ્યા છે. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કિસાન સંઘના લોકો ભાવનગર પહોંચ્યા છે. કેબિનેટ પ્રધાન જીતુભાઇ વાઘાણીના ઘરનો ઘેરાવ કરવા એકઠા થઇ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ભારતીય કિસાન સંઘ 18 દિવસથી આંદોલન જ્યારે વિરોધના પગલે પોલીસનો કાફલો ઘરની બહાર ખડકી દઈ તેને તમામને ઘરનો ઘેરાવ કરતા અટકાવવામાં આવી રહ્યા છે. રાજ્યભરમાં હાલ અનેક સંગઠનો સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ પડતર માંગોને લઈ સરકાર સામે (Farmer Protest towards Government ) આંદોલનો કરી રહ્યા છે. જગતનો તાત એવા ખેડૂતોનું સંગઠન ભારતીય કિસાન સંઘ પણ પોતાની માંગોને લઈ છેલ્લા 18 દિવસથી આંદોલન કરી રહ્યું છે.

ખેડૂતો હવે કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન વિજળી, પશુપાલન, ખેતી, સિંચાઇ, મહેસુલ, રખડતા ઢોરનો ખેતરોમાં ત્રાસ સહિતના વિવિધ પ્રશ્નોથી ત્રસ્ત ખેડૂતો (Bhartiya Kisan Union Protest for Farmers ) સરકાર સામે આંદોલન કરી રહ્યા છે, પરંતુ આટલા દિવસના આંદોલન બાદ પણ હજુ તેમની માંગો ન સ્વીકારવામાં આવતા ખેડૂતો હવે વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આજે ભારતીય કિસાન સંઘના દ્વારા પ્રધાનોના ઘરના ઘેરાવ અંતર્ગત આજે મોટી સંખ્યામાં ખેડૂતો રાજ્યના વિવિધ જિલ્લામાંથી કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના ઘર નજીક પહોંચ્યા હતા. જ્યાં અગાઉથી જ પોલીસ કાફલો તૈનાત હોય તમામને પ્રધાનના ઘરનો ઘેરાવ કરતા અટકાવામાં આવ્યો છે. હાલ આ ખેડૂતો પ્રધાનના ઇસ્કોન સ્થિત ઘરની બહાર માર્ગ પર સૂત્રોચ્ચાર, રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગુજરાત બંધના એલાન આ અંગે ખેડૂતોએ પોતાની આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જો સરકાર ખેડૂતોની માંગ નહી સ્વીકારે તો ગુજરાત બંધના એલાન (Announcement Bhavnagar Shutdown ) સહિતના વિવિધ વિરોધ પ્રદર્શન યોજી આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.
