ETV Bharat / city

મહુવાના લાઇટ હોઉસ અને બંદર વિસ્તારમાં 5 પક્ષીના મોત

author img

By

Published : Jan 20, 2021, 10:00 AM IST

મહુવાના લાઇટ હોઉસ અને બંદર વિસ્તારમાં ભેદી રોગ થી3 દિવસમાં 5 પક્ષીના મોત થયા છે.પક્ષીઓના મોત થી તંત્ર દોડતું થયું હતુ. ભાવનગર અને મહુવાની ટીમો વિસ્તારમાં પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બર્ડ ફલૂ ની દહેશત
બર્ડ ફલૂ ની દહેશત
  • મહુવાના બંદર અને લાઈટ હાઉસમાં પાલતુ 3 દિવસમાં 5 મરઘાના મોત
  • બર્ડ ફલૂ ની દહેશત વચ્ચે તંત્ર થયું દોડતું
  • તમામના સેમ્પલ લઇ ને ભોપાલ મોકલ્યા

ભાવનગર :મહુવા તાલુકાના બંદર અને લાઈટ હોઉસ વિસ્તારમાં પક્ષીઓમાં ભેદી રોગચાળો દેખાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 5 પક્ષીઓના મોત નિપજ્યા છે અને 40 જેટલા પક્ષી બીમાર હાલતમાં જોવા મળ્યા છે. જેને લઇ ને તંત્રની ઊંઘ ઊડી ગઈ છે અને તંત્ર દોડતું થયું છે.

મહુવામાં 40 થી વધારે પોલટ્રી ફાર્મ

બર્ડ ફલૂ ની દહેશત વચ્ચે તંત્ર થયું દોડતું
બર્ડ ફલૂ ની દહેશત વચ્ચે તંત્ર થયું દોડતું

છેલ્લા ત્રણ દિવસમાં 5 પક્ષીઓના મોત થયા છે અને 40 જેટલા પક્ષી બિમાર હોવાની જાણ થતાં જિલ્લા અને તાલુકાની વેટરનીટી ટીમ દ્વારા આ વિસ્તારમાં પહોંચી ને સર્વે હાથ ધર્યો છે. ઘરે ઘરે જઈ ને મૃત પક્ષી અને બિમાર પક્ષીઓના સેમ્પલ લઇ ને ભોપાલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે બીજા અન્ય પક્ષીઓને વેક્સિન આપવામાં આવી છે.મહુવા પોલટ્રી ફાર્મ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર મહુવામાં 40 થી વધારે પોલટ્રી ફાર્મ આવેલા છે.તેમાં 8 લાખ થી વધુ પક્ષીઓ છે અને તેમને નિયમિતપણે રસીકરણ કરવામાં આવે છે. તેથી તેમાં કોઈ રોગ નથી અને હાલ બંદર વિસ્તારમાં જે પક્ષીઓ મર્યા છે તે પાલતુ મુરઘાના મોત કુદરતી રીતે થયા છે.

પાલતુ પક્ષીઓ ના મોત થયા છે બર્ડ ફલૂ ની શક્યતા નથી ડો. બલદાનીયા

હાલમાં બંદર વિસ્તારમાં અમો અમારી કામગીરી શરૂ કરી દીધી છે અને 5 પક્ષીના મોત થયા છે અન્ય 40 જેટલા પક્ષીઓ બીમાર છે જેમને રસીકરણ થયું છે અને અમારી સર્વેલન્સ ટીમ બનાવી ઘરે ઘરે જઈ રસીકરણ કરીયે છીએ.આમ મહુવા તાલુકા માં ત્રણ દિવસમાં 5 પક્ષીઓના મોત થયા હોય મહુવા અને આજુબાજુ વિસ્તારોમાં હડ કંપ મચી જવા પામી છે અને જિલ્લામાં અને ગાંધીનગર થી પણ ટિમ આવી છે અને તપાસ હાથ ધરી છૅ

  • મહુવાના બંદર અને લાઈટ હાઉસમાં પાલતુ 3 દિવસમાં 5 મરઘાના મોત
  • બર્ડ ફલૂ ની દહેશત વચ્ચે તંત્ર થયું દોડતું
  • તમામના સેમ્પલ લઇ ને ભોપાલ મોકલ્યા

ભાવનગર :મહુવા તાલુકાના બંદર અને લાઈટ હોઉસ વિસ્તારમાં પક્ષીઓમાં ભેદી રોગચાળો દેખાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં 5 પક્ષીઓના મોત નિપજ્યા છે અને 40 જેટલા પક્ષી બીમાર હાલતમાં જોવા મળ્યા છે. જેને લઇ ને તંત્રની ઊંઘ ઊડી ગઈ છે અને તંત્ર દોડતું થયું છે.

મહુવામાં 40 થી વધારે પોલટ્રી ફાર્મ

બર્ડ ફલૂ ની દહેશત વચ્ચે તંત્ર થયું દોડતું
બર્ડ ફલૂ ની દહેશત વચ્ચે તંત્ર થયું દોડતું

છેલ્લા ત્રણ દિવસમાં 5 પક્ષીઓના મોત થયા છે અને 40 જેટલા પક્ષી બિમાર હોવાની જાણ થતાં જિલ્લા અને તાલુકાની વેટરનીટી ટીમ દ્વારા આ વિસ્તારમાં પહોંચી ને સર્વે હાથ ધર્યો છે. ઘરે ઘરે જઈ ને મૃત પક્ષી અને બિમાર પક્ષીઓના સેમ્પલ લઇ ને ભોપાલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે બીજા અન્ય પક્ષીઓને વેક્સિન આપવામાં આવી છે.મહુવા પોલટ્રી ફાર્મ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર મહુવામાં 40 થી વધારે પોલટ્રી ફાર્મ આવેલા છે.તેમાં 8 લાખ થી વધુ પક્ષીઓ છે અને તેમને નિયમિતપણે રસીકરણ કરવામાં આવે છે. તેથી તેમાં કોઈ રોગ નથી અને હાલ બંદર વિસ્તારમાં જે પક્ષીઓ મર્યા છે તે પાલતુ મુરઘાના મોત કુદરતી રીતે થયા છે.

પાલતુ પક્ષીઓ ના મોત થયા છે બર્ડ ફલૂ ની શક્યતા નથી ડો. બલદાનીયા

હાલમાં બંદર વિસ્તારમાં અમો અમારી કામગીરી શરૂ કરી દીધી છે અને 5 પક્ષીના મોત થયા છે અન્ય 40 જેટલા પક્ષીઓ બીમાર છે જેમને રસીકરણ થયું છે અને અમારી સર્વેલન્સ ટીમ બનાવી ઘરે ઘરે જઈ રસીકરણ કરીયે છીએ.આમ મહુવા તાલુકા માં ત્રણ દિવસમાં 5 પક્ષીઓના મોત થયા હોય મહુવા અને આજુબાજુ વિસ્તારોમાં હડ કંપ મચી જવા પામી છે અને જિલ્લામાં અને ગાંધીનગર થી પણ ટિમ આવી છે અને તપાસ હાથ ધરી છૅ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.