અમદાવાદઃ આવતીકાલે અયોધ્યામાં યોજાનાર રામ જન્મભૂમિ શિલાન્યાસના અવસરને લઇ સમગ્ર દેશમાં ઉત્સાહ અને દીવાળી જેવો માહોલ છવાઇ ગયો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના પ્રમુખ સહિત તમામ મહંતોની વિશેષ હાજરીમાં ભૂમિપૂજન થનાર છે. ત્યારે અમદાવાદમાં પણ VHP અને બજરંગદળના જ્વલિત મહેતા દ્વારા અમદાવાદના ઉસ્માનપુરામાં મહાઆરતી, ભવ્ય આતશબાજી સહિત અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવ્યાં છે.
અમદાવાદમાં આવતીકાલે વીએચપી-બજરંગદળ દ્વારા રામ જન્મભૂમિ શિલાન્યાસના ઉપલક્ષમાં ઉત્સાહભેર ઉજવણી કરાશે શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં રામ ભગવાનની મહા આરતી કરવામાં આવશે, ત્યારબાદ ફટાકડા ફોડી ઉત્સાહભેર 500 વર્ષના સંઘર્ષની ઉજવણી કરવામાં આવશે. મહાઆરતી બાદ 51 કિલોનો મહાપ્રસાદ પણ આપવામાં આવશે. જ્યારે રાત્રે વાડજ સર્કલ પર દીવા પ્રગટાવી દીવાળી જેવો માહોલ સર્જવા ઘેરઘેર દીવા પ્રગટાવવા માટે આહ્વાન કરવામાં આવશે. મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાઈ તેની ઉજવણી પણ કરશે.
અમદાવાદમાં આવતીકાલે વીએચપી-બજરંગદળ દ્વારા રામ જન્મભૂમિ શિલાન્યાસના ઉપલક્ષમાં ઉત્સાહભેર ઉજવણી કરાશે