ETV Bharat / city

હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી

શાકભાજીના ભાવોમાં થઈ રહેલો વધારો આમ જનતાના બજેટ ઉપર અસર કરી રહ્યો છે. એક તરફ કોરોનાની મહામારી અને બીજી તરફ શાકભાજી અને ફળફળાદીના ભાવમાં થઇ રહેલો ભાવ વધારો સામાન્ય લોકો ઉપર પડતા ઉપર પાટા જેવો સાબિત થઇ રહ્યો છે. ત્યારે APMCથી હોલસેલ બજાર સુધીની ચેઈનમાં શાકભાજીના સપ્લાયમાં કોઈ ઘટ સર્જાઈ નથી, તેમ છતાં સામાન્ય જનતાને બમણા ભાવમાં શાકભાજી મળી રહ્યા છે.

author img

By

Published : May 6, 2021, 4:45 PM IST

હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી
હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી
  • છેલ્લા 10 દિવસમાં શાકભાજીના ભાવ વધારો
  • હોલસેલ બજારના ભાવ કરતા બમણાથી ત્રણ ગણો ભાવ વધારો
  • રિટેલર બજાર અઠવાડિયામાં શુક્રવારથી રવિવાર બંધ રહેતા થઈ અસર

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે શાકભાજી અને ફળફળાદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. APMCથી હોલસેલ બજાર સુધીની ચેઈનમાં શાકભાજીના સપ્લાયમાં કોઈ ઘટ સર્જાઈ નથી, તેમ છતાં સામાન્ય જનતાને બમણા ભાવમાં શાકભાજી મળી રહ્યા છે. APMCના ચેરમેન દિપક પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, હાલ શાકભાજીના સપ્લાયમાં કોઈ ઘટ સર્જાઈ નથી, શાકભાજીના ભાવમાં પણ હોલસેલ બજારમાં ભાવ વધારો થયો નથી. ત્યારે અહીં પ્રશ્ન એ વાતનો છે કે, જો ઉપરની ચેઇન દ્વારા ભાવ વધારો કરવામાં નથી આવ્યો અને શાકભાજીની ઘટ પણ નથી સર્જાઈ તો ભાવ વધારો કરી રીતે શક્ય બને? APMC ના ચેરમેન દિપક પટેલે જણાવ્યું હતું કે, રિટેલર વેપારીઓ ઘણી વખત આડકરતી રીતે જાણી જોઈને ભાવ વધારો કરતા હોય છે જે ખોટું છે.

હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી
હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી

રિટેલર બજાર બંધ રહેવાથી ભાવ વધારો

ગ્રાહકોને છેલ્લા દસ દિવસથી શાકભાજી મોંઘા ભાવે કેમ મળી રહી છે, તે અંગે જાણવા ETV ભારતે બોડકદેવના છૂટક વેપારી સાથે વાતચીત કરી. તેમને જણાવ્યું કે, હાલ વેપારીઓએ શુક્રવારથી રવિવાર સુધી બજાર જાતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી
હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી

આ પણ વાંચોઃ વિરમગામ APMC માર્કેટ યાર્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લાની બેઠક યોજાઈ

ગ્રાહકે લીંબુ બમણાથી ત્રણ ગણા ભાવે ખરીદવા પડી રહ્યા છે.

ઉનાળાની સીઝન છે ત્યારે લિંબુની જરૂરિયાત સૌથી વધુ પડે છે. પરંતુ હાલ બજારમાં લીંબુ 150 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. પરંતુ આ જ લીંબુ હોલસેલ ભજારમાં 40 રૂપિયાથી 80 રૂપિયા કિલોએ મળી રહ્યા છે. ત્યારે લોકોએ વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે. વળી લીંબુ C વિટામિનનો સ્ત્રોત હોવાને કારણે કોરોનાની સામે ઈમ્યુનીટીઝ વધારવા પણ તેની માગમાં વધારો થયો છે.

હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી

આ પણ વાંચો- કોરોના પ્રકોપ વચ્ચે ઉનાળુ શાકભાજી અને ફળફળાદીના ભાવ આસમાને

હોલસેલમાં 5 થી 10 રૂપિયા કિલોના ભાવે મળતા ધાણા બજારમાં મળી રહ્યા છે 80 રૂપિયા કિલો

હોલસેલ બજારમાં હાલ અમદાવાદ APMCના ભાવ મુજબ ધાણાનો ભાવ 5 થી 10 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. પણ આમ જનતા સુધી પહોંચતા તે 80 રૂપિયા કિલો થઇ જાય છે. અમદાવાદની APMC કે જ્યાંથી સમગ્ર અમદાવાદમાં શાકભાજીની સપ્લાય થઇ રહી છે.

આ પણ વાંચોઃ

હોલસેલમાં 8થી 16 રૂપિયે મળતા ટામેટા બજારમાં મળી રહ્યા છે રૂપિયા 40ના ભાવે

અમદાવાદ APMCમાં ટામેટાનો ભાવ 8 થી 16 રૂપિયા કિલો છે. પરંતુ આમ જનતાને તે 40 રૂપિયા કિલો મળી રહ્યા છે. આમ દરેક શાકભાજીમાં આવો જ વધારો થતા શું ખરીદવું અને શું ખાવું તે પ્રશ્ન લોકોને મૂંઝવણમાં મૂકી રહ્યો છે. ત્યારે શાકભાજીના ભાવમાં ધટાડો થવાની આશા તરફ લોકો મીટ માંડીને બેઠા છે.

  • છેલ્લા 10 દિવસમાં શાકભાજીના ભાવ વધારો
  • હોલસેલ બજારના ભાવ કરતા બમણાથી ત્રણ ગણો ભાવ વધારો
  • રિટેલર બજાર અઠવાડિયામાં શુક્રવારથી રવિવાર બંધ રહેતા થઈ અસર

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે શાકભાજી અને ફળફળાદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. APMCથી હોલસેલ બજાર સુધીની ચેઈનમાં શાકભાજીના સપ્લાયમાં કોઈ ઘટ સર્જાઈ નથી, તેમ છતાં સામાન્ય જનતાને બમણા ભાવમાં શાકભાજી મળી રહ્યા છે. APMCના ચેરમેન દિપક પટેલે ETV Bharatને જણાવ્યું હતું કે, હાલ શાકભાજીના સપ્લાયમાં કોઈ ઘટ સર્જાઈ નથી, શાકભાજીના ભાવમાં પણ હોલસેલ બજારમાં ભાવ વધારો થયો નથી. ત્યારે અહીં પ્રશ્ન એ વાતનો છે કે, જો ઉપરની ચેઇન દ્વારા ભાવ વધારો કરવામાં નથી આવ્યો અને શાકભાજીની ઘટ પણ નથી સર્જાઈ તો ભાવ વધારો કરી રીતે શક્ય બને? APMC ના ચેરમેન દિપક પટેલે જણાવ્યું હતું કે, રિટેલર વેપારીઓ ઘણી વખત આડકરતી રીતે જાણી જોઈને ભાવ વધારો કરતા હોય છે જે ખોટું છે.

હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી
હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી

રિટેલર બજાર બંધ રહેવાથી ભાવ વધારો

ગ્રાહકોને છેલ્લા દસ દિવસથી શાકભાજી મોંઘા ભાવે કેમ મળી રહી છે, તે અંગે જાણવા ETV ભારતે બોડકદેવના છૂટક વેપારી સાથે વાતચીત કરી. તેમને જણાવ્યું કે, હાલ વેપારીઓએ શુક્રવારથી રવિવાર સુધી બજાર જાતે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.

હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી
હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી

આ પણ વાંચોઃ વિરમગામ APMC માર્કેટ યાર્ડ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અમદાવાદ જિલ્લાની બેઠક યોજાઈ

ગ્રાહકે લીંબુ બમણાથી ત્રણ ગણા ભાવે ખરીદવા પડી રહ્યા છે.

ઉનાળાની સીઝન છે ત્યારે લિંબુની જરૂરિયાત સૌથી વધુ પડે છે. પરંતુ હાલ બજારમાં લીંબુ 150 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. પરંતુ આ જ લીંબુ હોલસેલ ભજારમાં 40 રૂપિયાથી 80 રૂપિયા કિલોએ મળી રહ્યા છે. ત્યારે લોકોએ વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે. વળી લીંબુ C વિટામિનનો સ્ત્રોત હોવાને કારણે કોરોનાની સામે ઈમ્યુનીટીઝ વધારવા પણ તેની માગમાં વધારો થયો છે.

હોલસેલના ભાવ કરતા બજારોમાં 2થી 3 ગણા મોંઘા વેચાઈ રહ્યા છે શાકભાજી

આ પણ વાંચો- કોરોના પ્રકોપ વચ્ચે ઉનાળુ શાકભાજી અને ફળફળાદીના ભાવ આસમાને

હોલસેલમાં 5 થી 10 રૂપિયા કિલોના ભાવે મળતા ધાણા બજારમાં મળી રહ્યા છે 80 રૂપિયા કિલો

હોલસેલ બજારમાં હાલ અમદાવાદ APMCના ભાવ મુજબ ધાણાનો ભાવ 5 થી 10 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. પણ આમ જનતા સુધી પહોંચતા તે 80 રૂપિયા કિલો થઇ જાય છે. અમદાવાદની APMC કે જ્યાંથી સમગ્ર અમદાવાદમાં શાકભાજીની સપ્લાય થઇ રહી છે.

આ પણ વાંચોઃ

હોલસેલમાં 8થી 16 રૂપિયે મળતા ટામેટા બજારમાં મળી રહ્યા છે રૂપિયા 40ના ભાવે

અમદાવાદ APMCમાં ટામેટાનો ભાવ 8 થી 16 રૂપિયા કિલો છે. પરંતુ આમ જનતાને તે 40 રૂપિયા કિલો મળી રહ્યા છે. આમ દરેક શાકભાજીમાં આવો જ વધારો થતા શું ખરીદવું અને શું ખાવું તે પ્રશ્ન લોકોને મૂંઝવણમાં મૂકી રહ્યો છે. ત્યારે શાકભાજીના ભાવમાં ધટાડો થવાની આશા તરફ લોકો મીટ માંડીને બેઠા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.