- કોરોનાની મહામારીમાં ફરીથી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરાઈ
- વિવિધ એસોસિએશન દ્વારા શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ બંધ પાળવા અપીલ કરાઈ
- કોરોનાની ચેઈન તોડવા વેપારી મંડળ દ્વારા કરાઇ રહ્યા છે વિવિધ પ્રયાસો
અમદાવાદ: કોરોનાની મહામારીને લઈને રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કેસ હાલ અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે, ત્યારે શહેરના વિવિધ વેપારી મંડળો અને એસોસિએશન દ્વારા સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારી મંડળો અને એસોસિએશનની કરાઈ હતી અપીલ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિવિધ એસોસિએશનના પ્રમુખો સાથે ઓનલાઇન બેઠક યોજવામાં આવી હતી. જેમાં કોરોનાની મહામારીને લઈને ઉદ્યોગો પર મોટી અસર થઇ રહી છે તેમજ કોરોનાનું સંક્રમણ પણ ફેલાઈ રહ્યું છે. જેને લઇને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારી મંડળો અને એસોસિએશનની અપીલ કરવામાં આવી હતી કે, અઠવાડિયાના અંતમાં એટલે કે વીકેન્ડમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવે અને કોરોનાની ચેઇન તોડવામાં મદદ કરવામાં આવે.
આ પણ વાંચો : ભાવનગરના મહુવામાં 5 દિવસીનું સ્વયંભૂ લોકડાઉન
જ્વેલર્સ એસોસિએશનની અપીલ
આજે ગુરુવારે સવારે જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોની દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આગામી શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ તમામ સ્વયંભૂ બંધ રાખવામાં આવે અને કોરોના ચેઇન તોડવામાં મદદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવાર શનિવાર અને રવિવારના રોજ પણ સ્વયંભૂ બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી. જેમાં લોકોના મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.
રિલીફ રોડ એસોસિએશન કરશે જાહેરાત
અમદાવાદ શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલા વિવિધ વેપારીઓ દ્વારા પણ શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ બંધ રાખવામાં આવશે અને કોરોના સંક્રમણ ઓછું થયું ફેલાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. રિલીફ રોડ એસોસિએશનના પ્રમુખ હર્ષદ ગીલેટવાલા દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે, કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે આવતા વીકેન્ડમાં પણ વેપારી મંડળોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવશે.
આ પણ વાંચો : બાલાસિનોરમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉન
શાકભાજી અને લારી-ગલ્લાવાળાઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વિવેકાનંદ નગર હાથીજણ અને આસપાસના વિસ્તારમાં દસ દિવસના સફળ સ્વૈચ્છિક લોકડાઉનને સામાજિક આગેવાનો, વેપારીઓ, શાકભાજીની લારી, ગલ્લાવાળા તેમજ અન્ય તમામ લોકો દ્વારા સાથ આપી પાલન કરાવવામાં આવ્યું હતું. આ 10 દિવસનો લોકડાઉન પૂર્ણ થતા પોલીસ વિભાગ દ્વારા વેપારીઓને તમામ આગેવાનો સાથે ફરી બેઠક યોજી હતી. જેમાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા.
કોરોનાની બીજી લહેરમાં તમામ લોકોને ખુબ જ કાળજી રાખવાની જરૂર
પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાની બીજી લહેરમાં તમામ લોકોને ખુબ જ કાળજી રાખવાની જરૂર છે. તમામ લોકોએ સામાજિક અંતર, માસ્ક, સેનિટાઈઝર રાખી કોરોના નિયમોનું પાલન કરવું જોઈએ. તો 10 દિવસના સફળ સ્વૈચ્છિક લોકડાઉન પૂર્ણ થયા બાદ તમામ લોકો સર્વાનુમતે ફરીથી જણાવે છે કે, ફરીથી સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવે ને લોકોમાં કોરોનાનુ સંક્રમણ ઓછું ફેલાય તે માટે પ્રયાસ કરવામાં આવે.