ETV Bharat / city

સફાઈકર્મીને ગટરમાં ન ઉતારવાની સરકારની બાહેંધરી પોકળ સાબિત થતા હાઇકોર્ટે ઝાટકણી કાઢી

author img

By

Published : Oct 10, 2019, 9:22 PM IST

અમદાવાદ: ગુજરાતના હવે કોઈ સફાઇકર્મીને ગટર સાફ કરવા ગટરમાં નહીં ઉતારવામાં આવે એવી રાજ્ય સરકારની હાઇકોર્ટ સમક્ષની બાંયધરી અને પરિપત્ર હોવા છતાં ગત ૨૫મી સપ્ટેમ્બરે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં એક સફાઇકર્મીનું ગટરમાં ગૂંગળાવાથી મોત થયું હતું.જે બાદ હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.આ મુદ્દે સરકારને જવાબ રજૂ કરવા અને સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.

Ahmedabad

મેન્યુલ સ્કેવેંજીંગ એટલે કે હાથથી થતી ગટરની સફાઇની પ્રથા નાબૂદ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવ છતાં રાજ્યમાં યોગ્ય કાર્યાવાહી ન થઈ રહી હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે આ આદેશ કર્યો છે. રિટની વધુ સુનાવણી ૧૭મી ઓક્ટોબર પર મુકરર કરવામાં આવી છે.જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ વી.પી. પટેલની ખંડપીઠ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારે ૧૬-૧૨-૨૦૧૬ના રોજ પરિપત્ર જાહેર કરી નિશ્ચિત કર્યું હતું કે, કોઈ સફાઇકર્મીને ગટર સાફ કરવા ગટરમાં ઉતારવામાં નહીં આવે.જો ગટર સાફ કરવા કોઇ સફાઇકર્મીને ઉતારવામાં આવશે અને તેનું મોત થશે તો સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર કે મહાનગરપાલિકાના નોડલ ઓફિસર સામે ફોજદારી કાર્યવાહી કરવાની રહેશે.

તેમ છતાં ગત ૨૫મી સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બદરજી કાંતિજી મસાર નામના સફાઇકર્મીને જોઈ જરૂરી સાધન વગર ગટરમાં સફાઇ માટે ઉતારવામાં આવ્યા હતા અને અંદર ગૂંગળાવાથી તેમનું મોત થયું હતું. આ મામલે હજુ સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી.મૃતક રાજસ્થાનના વતની હતા અને તેને પત્ની અને ચાર બાળકો છે. આ કેસમાં ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર સામે આઇ.પી.સી.-૩૦૪, એટ્રોસિટી એક્ટ તેમજ મેન્યુઅલ સ્કેવેન્ડીંગ એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી જોઇએ.

આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી,પરંતુ હજુ સુધી કોઇ પગલાં લેવાય નથી. આ રજૂઆત બાદ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને નોંધ્યુ છે કે, આ મુદ્દે સરકાર દ્વારા અસરકારક પગલાંઓનો અભાવ છે. સરકાર આ વ્યક્તિના મૃત્યુના કિસ્સા અંગે જવાબ અથવા સોગંદનામું રજૂ કરે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકના ચીફ ઓફિસર સામે પગલાં લેવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

આ રિટની ગત સુનાવણીમાં રાજ્ય સરકારે રજૂ કરેલા જવાબમાં સરકારના આયોજનો અને રોડમેપ હોવાથી સરકારને વિગતવાર સોગંદનામું કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેથી આજની સુનાવણીમાં સરકારે વિગતવાર સોગંદનામું રજૂ કર્યો હતો. આ સોગંદનામાનો જવાબ રજૂ કરવા અરજદારને આદેશ કરવામાં આવ્યો છે. રિટની વધુ સુનાવણી ૧૭મી ઓક્ટોબર પર મુકરર કરવામાં આવી છે.

અરજદારની રજૂઆત છે કે,સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૪માં આદેશ આપ્યો હતો કે,તમામ રાજ્યો ગટરની હાથથી થતી સફાઇની પ્રથાને નાબૂદ કરવા તાત્કાલિક ધોરણે પગલાં લે. આ કામ કરતા લોકોને સમાજ હીનતાભરી નજરે જૂવે છે અને તેમને અસ્પૃશ્ય ગણે છે.તેથી આ પ્રવૃત્તિમાં રોકાયેલા કામદારો માટે રોજગારીની યોગ્ય અને સન્માનજનક વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે આ પ્રવૃત્તિને અયોગ્ય અને અમાનય ઠેરવી હોવા છતાં ગુજરાતમાં ગટર અને સેપ્ટીક ટેન્ક સાફ કરવા સફાઇકર્મીઓને ઉતારવામાં આવે છે. તેમને જરૂરી પહેરવેશ અને ઉપકરણો પણ આપવામાં આવતા નથી. શ્વાસ રૃૂંધાય અથવા અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેમને મદદ પહોંચી શકે તેવી કોઇ વ્યવસ્થા પણ સરકારે વિચારી નથી. આવી ઘટનામાં અનેક રજૂઆતો છતાં પોલીસ ફરિયાદ નોંધાતી નથી અને ફરિયાદ નોંધાય તો ઘટનાને આકસ્મિત મોત તરીકે નોંધવામાં આવે છે.

મેન્યુલ સ્કેવેંજીંગ એટલે કે હાથથી થતી ગટરની સફાઇની પ્રથા નાબૂદ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવ છતાં રાજ્યમાં યોગ્ય કાર્યાવાહી ન થઈ રહી હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે આ આદેશ કર્યો છે. રિટની વધુ સુનાવણી ૧૭મી ઓક્ટોબર પર મુકરર કરવામાં આવી છે.જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ વી.પી. પટેલની ખંડપીઠ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકારે ૧૬-૧૨-૨૦૧૬ના રોજ પરિપત્ર જાહેર કરી નિશ્ચિત કર્યું હતું કે, કોઈ સફાઇકર્મીને ગટર સાફ કરવા ગટરમાં ઉતારવામાં નહીં આવે.જો ગટર સાફ કરવા કોઇ સફાઇકર્મીને ઉતારવામાં આવશે અને તેનું મોત થશે તો સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર કે મહાનગરપાલિકાના નોડલ ઓફિસર સામે ફોજદારી કાર્યવાહી કરવાની રહેશે.

તેમ છતાં ગત ૨૫મી સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બદરજી કાંતિજી મસાર નામના સફાઇકર્મીને જોઈ જરૂરી સાધન વગર ગટરમાં સફાઇ માટે ઉતારવામાં આવ્યા હતા અને અંદર ગૂંગળાવાથી તેમનું મોત થયું હતું. આ મામલે હજુ સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી.મૃતક રાજસ્થાનના વતની હતા અને તેને પત્ની અને ચાર બાળકો છે. આ કેસમાં ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર સામે આઇ.પી.સી.-૩૦૪, એટ્રોસિટી એક્ટ તેમજ મેન્યુઅલ સ્કેવેન્ડીંગ એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી જોઇએ.

આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી,પરંતુ હજુ સુધી કોઇ પગલાં લેવાય નથી. આ રજૂઆત બાદ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને નોંધ્યુ છે કે, આ મુદ્દે સરકાર દ્વારા અસરકારક પગલાંઓનો અભાવ છે. સરકાર આ વ્યક્તિના મૃત્યુના કિસ્સા અંગે જવાબ અથવા સોગંદનામું રજૂ કરે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકના ચીફ ઓફિસર સામે પગલાં લેવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

આ રિટની ગત સુનાવણીમાં રાજ્ય સરકારે રજૂ કરેલા જવાબમાં સરકારના આયોજનો અને રોડમેપ હોવાથી સરકારને વિગતવાર સોગંદનામું કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેથી આજની સુનાવણીમાં સરકારે વિગતવાર સોગંદનામું રજૂ કર્યો હતો. આ સોગંદનામાનો જવાબ રજૂ કરવા અરજદારને આદેશ કરવામાં આવ્યો છે. રિટની વધુ સુનાવણી ૧૭મી ઓક્ટોબર પર મુકરર કરવામાં આવી છે.

અરજદારની રજૂઆત છે કે,સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૪માં આદેશ આપ્યો હતો કે,તમામ રાજ્યો ગટરની હાથથી થતી સફાઇની પ્રથાને નાબૂદ કરવા તાત્કાલિક ધોરણે પગલાં લે. આ કામ કરતા લોકોને સમાજ હીનતાભરી નજરે જૂવે છે અને તેમને અસ્પૃશ્ય ગણે છે.તેથી આ પ્રવૃત્તિમાં રોકાયેલા કામદારો માટે રોજગારીની યોગ્ય અને સન્માનજનક વૈકલ્પિક વ્યવસ્થા શરૂ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે આ પ્રવૃત્તિને અયોગ્ય અને અમાનય ઠેરવી હોવા છતાં ગુજરાતમાં ગટર અને સેપ્ટીક ટેન્ક સાફ કરવા સફાઇકર્મીઓને ઉતારવામાં આવે છે. તેમને જરૂરી પહેરવેશ અને ઉપકરણો પણ આપવામાં આવતા નથી. શ્વાસ રૃૂંધાય અથવા અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેમને મદદ પહોંચી શકે તેવી કોઇ વ્યવસ્થા પણ સરકારે વિચારી નથી. આવી ઘટનામાં અનેક રજૂઆતો છતાં પોલીસ ફરિયાદ નોંધાતી નથી અને ફરિયાદ નોંધાય તો ઘટનાને આકસ્મિત મોત તરીકે નોંધવામાં આવે છે.

Intro:ગુજરાતના હવે કોઈ સફાઇકર્મીને ગટર સાફ કરવા ગટરમાં નહીં ઉતારવામાં આવે એવી રાજ્ય સરકારની હાઇકોર્ટ સમક્ષની બાંયધરી અને પરિપત્ર હોવા છતાં ગત ૨૫મી સપ્ટેમ્બરે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં એક સફાઇકર્મીનું ગટરમાં ગૂંગળાવાથી મોત થતા હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. આ મુદ્દે સરકારને જવાબ રજૂ કરવા અને સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર સામે કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે.

Body:મેન્યુલ સ્કેવેંજીંગ એટલે કે હાથથી થતી ગટરની સફાઇની પ્રથા નાબૂદ કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ હોવ છતાં રાજ્યમાં યોગ્ય કાર્યાવહુ ન થઈ રહી હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે આ આદેશ કર્યો છે. રિટની વધુ સુનાવણી ૧૭મી ઓક્ટોબર પર મુકરર કરવામાં આવી છે.


જસ્ટિસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટિસ વી.પી. પટેલની ખંડપીઠ અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે ૧૬-૧૨-૨૦૧૬ના રોજ પરિપત્ર જારી કરી નિશ્ચિત કર્યું હતું કે કોઈ સફાઇકર્મીને ગટર સાફ કરવા ગટરમાં નહીં ઉતારવામાં આવે. જો ગટર સાફ કરવા કકી સફાઇકર્મીને ઉતારવામાં આવશે અને તેનું મોત થશે તો સંબંધિત નગરપાલિકાના ચીફ ઓફિસર કે મહાનગરપાલિકાના નોડલ ઓફિસર સામે ફોજદારી કાર્યવાહી કરવાની રહેશે. આમ છતાં ગત ૨૫મી સપ્ટેમ્બરના રોજ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા બદરજી કાંતિજી મસાર નામના સફાઇકર્મીને જોઈ જરૃરી સાધન વગર ગટરમાં સફાઇ માટે ઉતારવામાં આવ્યા હતા અને અંદર ગૂંગળાવાથી તેમનું મોત થયું હતું. આ મામલે હજુ સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી.


મૃતક રાજસ્થાનના વતની હતા અને તેને પત્ની અને ચાર બાળકો છે. આ કેસમાં ચીફ ઓફિસર અને કોન્ટ્રાક્ટર સામે આઇ.પી.સી.-૩૦૪, એટ્રોસિટી એક્ટ તેમજ મેન્યુઅલ સ્કેવેન્ડીંગ એક્ટની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી જોઇએ, આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઇ પગલાં લેવાય નથી. આ રજૂઆત બાદ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને નોંધ્યુ છે કે આ મુદ્દે સરકાર દ્વારા અસરકારક પગલાંઓનો અભાવ છે. સરકાર આ વ્યક્તિના મૃત્યુના કિસ્સા અંગે જવાબ અથવા સોગંદનામું રજૂ કરે. આ ઉપરાંત પ્રાંતિજ નગરપાલિકના ચીફ ઓફિસર સામે પગલાં લેવા પણ આદેશ કરવામાં આવ્યો છે.


Conclusion:આ રિટની ગત સુનાવણીમાં રાજ્ય સરકારે રજૂ કરેલા જવાબમાં સરકારના આયોજનો અને રોડમેપ હોવાથી સરકારને વિગતવાર સોગંદનામું કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેથી આજની સુનાવણીમાં સરકારે વિગતવાર સોગંદનામું રજૂ કર્યો હતો. આ સોગંદનામાનો જવાબ રજૂ કરવા અરજદારને આદેશ કરવામાં આવ્યો છે. રિટની વધુ સુનાવણી ૧૭મી ઓક્ટોબર પર મુકરર કરવામાં આવી છે.

અરજદારની રજૂઆત છે કે સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૪માં આદેશ આપ્યો હતો કે તમામ રાજ્યો ગટરની હાથથી થતી સફાઇની પ્રથાને નાબૂદ કરવા તાત્કાલિક ધોરણે પગલાં લે. આ કામ કરતા લોકોને સમાજ હીનતાભરી નજરે જૂએ છે અને તેમને અસ્પૃશ્ય પણે છે. તેથી આ પ્રવૃત્તિમાં રોકાયેલા કામદારો માટે રોજગારીની યોગ્ય અને સન્માનજનક વૈકલ્પિક વ્યવસ્થા શરૃ કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે આ પ્રવૃત્તિને અયોગ્ય અને અમાનવીય ઠેરવી હોવા છતાં ગુજરાતમાં ગટર અને સેપ્ટીક ટેન્ક સાફ કરવા સફાઇકર્મીઓને ઉતારવામાં આવે છે. તેમને જરૃરી પહેરવેશ અને ઉપકરણો પણ આપવામાં આવતા નથી. શ્વાસ રૃંધાય અથવા અનીચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેમને મદદ પહોંચી શકે તેવી કોઇ વ્યવસ્થા પણ સરકારે વિચારી નથી. આવી ઘટનામાં અનેક રજૂઆતો છતાં પોલીસ ફરિયાદ નોંધાતી નથી અને ફરિયાદ નોંધાય તો ઘટનાને આકસ્મિત મોત તરીકે નોંધવામાં આવે છે.




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.