અમદાવાદઃ આરોપીઓએ કોર્ટમાં દાખલ કરવામાં આવી અરજીમાં રજૂઆત કરી હત કે, તેઓ છેલ્લા 12 વર્ષથી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ છે. ત્યારે તેમના પરિવારજનો સાથે મોબાઇલ ફોન પર વાતચીત કરવામાં આવે તેવી અરજી કરવામાં આવી હતી.
કોરોના મહામારીને લીધે તેમના પરિવારજનો મળવા આવી શકતા નથી. તેથી કરીને ફોન પર વાતચીત કરાવવામાં આવે. આ વાતનો વિરોધ કરતા રાજ્ય સરકારે કહ્યું હતું કે, આરોપીઓને UAPA ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી કરીને તેઓ મોબાઈલ ફોનનો ઉપયોગ જેલમાં કરી શકે નહીં.