ETV Bharat / city

શાહપુર હિંસા: કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં

author img

By

Published : Jul 24, 2020, 1:53 PM IST

ગત મે મહિનામાં સંપૂર્ણ લૉકડાઉન દરમિયાન અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારાના કેસમાં શુક્રવારે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે વધુ બે આરોપીઓના જામીન મંજૂર કર્યા છે. આમ આ કેસમાં કુલ હવે 18 આરોપીઓના જામીન મંજૂર થયાં છે.

શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં
શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં

અમદાવાદ: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.ટી. રામે શુક્રવારે બે આરોપી ફરાઈજ ખાન અને આદમ અજમેરીના જામીન મંજૂર કર્યા છે. આમ હવે આ કેસમાં 27 પૈકી 18 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. કેટલાક આરોપીઓની જામીન અરજી હાલ પેન્ડિંગ છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ ગઈકાલે આ કેસના ત્રણ આરોપીઓના જામીન મંજૂર કર્યાં હતાં.

શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં
શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં
અગાઉ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.જી. ઉરાઈઝીએ શાહપુર હિંસામાં આરોપી ઇલમુદિન કાગદી, ઝુબેર મિર્ઝા, મહેબૂબ કાગદી અને રઉફ શેખના જામીન મંજુર કર્યા છે. આ સિવાય અન્ય 5 આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને પરત ખેંચી લેવામાં આવી છે. પોલીસે આ કેસમાં 27 આરોપીઓની ધરપકડ કરી હતી.
શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં
શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં
અગાઉ પણ હાઇકોર્ટ દ્વારા આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. અગાઉ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તમામ 27 આરોપીઓના જામીન ફગાવ્યાં હતાં. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં અગાઉ આરોપીઓને કોર્ટમાં 4 દિવસ મોડા રજૂ કરવા મુદ્દે પોલીસનો ઉધડો લીધો હતો. કોર્ટે પોલીસને પ્રશ્ન કર્યો કે પથ્થરમારાના કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો કઈ રીતે દાખલ થઈ શકે. કોર્ટે પૂછ્યું કે આવી ઘટનામાં પોલીસ રાયોટિંગની કલમ પ્રમાણે ગુનો દાખલ કરતી હોય છે, એવું તો શું ખાસ છે આ કેસમાં કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો.

આરોપીઓને કોર્ટમાં મોડા રજૂ કરવા મુદ્દે પોલીસે જવાબમાં જણાવ્યુ હતું કે તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં અને તેમના રિપોર્ટ બાદ રજૂ કરવામાં આવ્યાં હતાં. આ આરોપીઓ પૈકી ત્રણના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. નોંધનીય છે કે 8 મે ના રોજ સાંજે 6.15 વાગ્યે શાહપુરમાં લૉકડાઉનનું પાલન કરાવતા RAF જવાને બળનો ઉપયોગ કરતા ઉશ્કેરાયેલાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જયારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.ટી. રામે શુક્રવારે બે આરોપી ફરાઈજ ખાન અને આદમ અજમેરીના જામીન મંજૂર કર્યા છે. આમ હવે આ કેસમાં 27 પૈકી 18 આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યાં છે. કેટલાક આરોપીઓની જામીન અરજી હાલ પેન્ડિંગ છે. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બેલા ત્રિવેદીએ ગઈકાલે આ કેસના ત્રણ આરોપીઓના જામીન મંજૂર કર્યાં હતાં.

શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં
શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં
અગાઉ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.જી. ઉરાઈઝીએ શાહપુર હિંસામાં આરોપી ઇલમુદિન કાગદી, ઝુબેર મિર્ઝા, મહેબૂબ કાગદી અને રઉફ શેખના જામીન મંજુર કર્યા છે. આ સિવાય અન્ય 5 આરોપી દ્વારા કરવામાં આવેલી જામીન અરજીને પરત ખેંચી લેવામાં આવી છે. પોલીસે આ કેસમાં 27 આરોપીઓની ધરપકડ કરી હતી.
શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં
શાહપુર હિંસા : કુલ 27 પૈકી 18 આરોપીઓને જામીન મળ્યાં
અગાઉ પણ હાઇકોર્ટ દ્વારા આ કેસમાં સંડોવાયેલા 5 આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. અગાઉ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તમામ 27 આરોપીઓના જામીન ફગાવ્યાં હતાં. અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં અગાઉ આરોપીઓને કોર્ટમાં 4 દિવસ મોડા રજૂ કરવા મુદ્દે પોલીસનો ઉધડો લીધો હતો. કોર્ટે પોલીસને પ્રશ્ન કર્યો કે પથ્થરમારાના કેસમાં હત્યાના પ્રયાસનો ગુનો કઈ રીતે દાખલ થઈ શકે. કોર્ટે પૂછ્યું કે આવી ઘટનામાં પોલીસ રાયોટિંગની કલમ પ્રમાણે ગુનો દાખલ કરતી હોય છે, એવું તો શું ખાસ છે આ કેસમાં કે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરાયો હતો.

આરોપીઓને કોર્ટમાં મોડા રજૂ કરવા મુદ્દે પોલીસે જવાબમાં જણાવ્યુ હતું કે તમામ આરોપીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં અને તેમના રિપોર્ટ બાદ રજૂ કરવામાં આવ્યાં હતાં. આ આરોપીઓ પૈકી ત્રણના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યાં હતાં. નોંધનીય છે કે 8 મે ના રોજ સાંજે 6.15 વાગ્યે શાહપુરમાં લૉકડાઉનનું પાલન કરાવતા RAF જવાને બળનો ઉપયોગ કરતા ઉશ્કેરાયેલાં ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જયારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.