ETV Bharat / city

જૂઓ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે ETV BHARATની ખાસ મુલાકાત

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે શહેરમાં આગ લાગવાની ઘટના બનવાની સંભાવનાઓમાં પણ વધારો થઈ શકે છે. સામાન્ય રીતે ઉનાળા દરમિયાન બસમાં, રહેણાંક વિસ્તારમાં અને ફેક્ટરીઓમાં આગના બનાવો જોવા મળે છે. આ સમયે આગથી બચવા શું કરવું જોઈએ? તે અંગે જાણો અમદાવાદ શહેરના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ પાસેથી.

author img

By

Published : Mar 2, 2020, 9:08 PM IST

ETV BHARAT
જૂઓ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે ETV BHARATની ખાસ મુલાકાત

અમદાવાદ: ઉનાળાના સમયમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળે છે. જેથી ઈટીવી ભારતે શહેરના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે આગથી કેવી રીતે બચી શકાય તે અંગે માહિતી મેળવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે ઉનાળા દરમિયાન તાપમાન વધુ હોવાથી ઘરમાં કે કામ કરવાના સ્થળે ઝડપથી આગ પકડનારી વસ્તુઓ રાખવી જોઈએ નહીં. આ ઉપરાંત ઉનાળો આવે તે અગાઉ ઇલેક્ટ્રિશિયન પાસે ઘરના તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોની સર્વિસ કરાવી લેવી જોઈએ. આ સાથે જ ઘરમાં તેમજ કામના સ્થળે ઈમરજન્સી એક્ઝિટનો દરવાજો પણ રાખવો જોઈએ. આ ઉપરાંત હવા ઉજાસ માટેની પણ પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ.

જૂઓ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે ETV BHARATની ખાસ મુલાકાત

વધુમાં તેમણે જણાવ્યું કે, વેલ્ડીંગ, ગેસ કટીંગ વગેરે કાર્ય કરતી વખતે અગ્નિશામક સાધનો સાથે રાખવા જોઈએ અને સુરક્ષા ઉપકરણો પણ પહેરવા જોઈએ. આ ઉપરાંત હંમેશા ફર્સ્ટએડ કીટ પોતાની પાસે જ રાખવી જોઇએ.

આગથી બચવા માટે તેમણે જણાવ્યું કે, આગ લાગે ત્યારે સૌપ્રથમ જે પણ રસ્તો મળે ત્યાંથી બહાર નીકળી જવું જોઈએ. ઉતાવળમાં જીવ જોખમમાં મુક્યા વિના ફાયર સેફટીના નિયમો પાળવા જોઈએ. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતી વિવિધ મોક ડ્રિલ તેમજ સમાચારોથી અવગત રહેવું જોઈએ. જેથી જાનમાલની મોટી નુકસાનીથી બચી શકાય.

અમદાવાદ: ઉનાળાના સમયમાં આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળે છે. જેથી ઈટીવી ભારતે શહેરના એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે આગથી કેવી રીતે બચી શકાય તે અંગે માહિતી મેળવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સામાન્ય રીતે ઉનાળા દરમિયાન તાપમાન વધુ હોવાથી ઘરમાં કે કામ કરવાના સ્થળે ઝડપથી આગ પકડનારી વસ્તુઓ રાખવી જોઈએ નહીં. આ ઉપરાંત ઉનાળો આવે તે અગાઉ ઇલેક્ટ્રિશિયન પાસે ઘરના તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણોની સર્વિસ કરાવી લેવી જોઈએ. આ સાથે જ ઘરમાં તેમજ કામના સ્થળે ઈમરજન્સી એક્ઝિટનો દરવાજો પણ રાખવો જોઈએ. આ ઉપરાંત હવા ઉજાસ માટેની પણ પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ.

જૂઓ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાથે ETV BHARATની ખાસ મુલાકાત

વધુમાં તેમણે જણાવ્યું કે, વેલ્ડીંગ, ગેસ કટીંગ વગેરે કાર્ય કરતી વખતે અગ્નિશામક સાધનો સાથે રાખવા જોઈએ અને સુરક્ષા ઉપકરણો પણ પહેરવા જોઈએ. આ ઉપરાંત હંમેશા ફર્સ્ટએડ કીટ પોતાની પાસે જ રાખવી જોઇએ.

આગથી બચવા માટે તેમણે જણાવ્યું કે, આગ લાગે ત્યારે સૌપ્રથમ જે પણ રસ્તો મળે ત્યાંથી બહાર નીકળી જવું જોઈએ. ઉતાવળમાં જીવ જોખમમાં મુક્યા વિના ફાયર સેફટીના નિયમો પાળવા જોઈએ. આ સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા યોજવામાં આવતી વિવિધ મોક ડ્રિલ તેમજ સમાચારોથી અવગત રહેવું જોઈએ. જેથી જાનમાલની મોટી નુકસાનીથી બચી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.