ETV Bharat / city

04 અને 05 એપ્રિલે રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટીકૈત ગુજરાતની મુલાકાતે

author img

By

Published : Mar 27, 2021, 1:14 PM IST

ગાજીપુર બોર્ડર પાસે ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલું ખેડૂત આંદોલનને લઈને ખેડૂત આંદોલનના રાષ્ટ્રીય નેતા રાકેશ ટિકૈત 04 અને 05 એપ્રિલના ગુજરાતના ખેડૂતો સાથે વાત કરવા આવી રહ્યાં છે.

Ahmedabad
Ahmedabad
  • રાષ્ટ્રીય ખેડૂત યુનિયનના સેક્રેટરી યુદ્ધવીર સિંહ ગુજરાત આવ્યા
  • 04 એપ્રિલે રાકેશ ટીકૈત પાલનપુર ખાતે ખેડૂતોને મળશે
  • 05 એપ્રિલે રાકેશ ટીકૈત બારડોલીમાં ખેડૂતો સાથે સંવાદ કરશે
  • શંકરસિંહ વાઘેલા પુર્વ મુખ્યપ્રધાન ભાજપ પર રોષે ભરાયા

અમદાવાદ: આજે શનિવારે અમદાવાદમાં રાકેશ ટીકૈતની ગુજરાત મુલાકાતને લઇને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીરસિંહ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરાતા, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ખૂબ જ રોષે ભરાયા હતા. તેમને ભાજપ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે સંયુક્ત કિસાન મોરચાના આગેવાનોની અટકાયત કરી. શું ખેડૂતોએ પ્રેસ કોન્ફરન્સ કરવા મંજૂરી લેવાની હોય ? શું આ સરકારમાં બોલવાનો અધિકાર નથી ?

સરકાર કોરોનામાં મેચને પરવાનગી આપે ખેડૂતોને એક પ્રેસ કોન્ફરન્સ માટે નહીં ?

શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજીને સરકારે કોરોનાને આમંત્રણ આપ્યું. મેચ જોવા ગયેલા IIMના 05 વિધાર્થીઓએ અન્ય 25ને કોરોના સંક્રમિત કર્યા હતા. ખેડૂતો આતંકવાદી નથી. કયા રેકોર્ડ પર સંયુક્ત કિસાન મોરચાનાં નેતાઓને રોકવામાં આવ્યાં ? મેચ માટે કે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા સરકારે પરમિશન લીધી હતી ?

આ પણ વાંચો : ગુજરાત હજું કેદમાં છે, ગુજરાતને આઝાદ કરીશુંઃ કિસાન સંઘ નેતા રાકેશ ટીકૈત

ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં

શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસાના ખેડૂતોને બટાકાનો આજે યોગ્ય ભાવ નથી મળી રહ્યો. તેઓ બટાકા રોડ પર ફેંકી રહ્યાં છે. MSPએ કોઈ મજાક નથી. અમે ખેડૂતોની વાત સાંભળવા માગીએ છીએ. બનાસકાંઠાના ખેડૂતોની વેદના સાંભળવામાં શું ગુનો છે ?

04 અને 05 એપ્રિલે રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટીકૈત ગુજરાતની મુલાકાતે

શંકરસિંહની સરકારને ચેલેન્જ

રાકેશ ટિકૈત ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર કટાક્ષ કરતા વ્યંગમાં જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમનું નામ બદલી 'મોહન મધુકર ભાગવત' આશ્રમ કરી દો. અંબાજી, ઊંઝા સહિત ગુજરાતના અનેક સ્થળો પર ખેડૂત આગેવાન રાકેશ ટીકૈત જશે જ. સરકારથી થાય તે કરી લે. શું અંબાજીના દર્શન કરવા જતાં પણ સરકાર રોકશે ?

આ પણ વાંચો : ગુજરાત મુક્ત કરો : રાકેશ ટીકૈતે દેશવ્યાપી રેલીની જાહેરાત કરી

ભાજપના માણસો જ ખેડૂત આંદોલનને બદનામ કરી રહ્યાં છે

ભાજપના માણસોએ જ ખેડૂત આંદોલનને બદનામ કરવા 26 જાન્યુઆરીએ દિલ્હીમાં તોફાન કર્યું હતું. શંકરસિંહે પોલીસની કામગીરી સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પોલીસ પગાર પ્રજાના પૈસાથી લે છે. જ્યારે કામ ભાજપનું કરે છે. તો પછી પોલીસ ભાજપનો ખેસ પહેરી લે. પોલીસ યાદ રાખે કે, સરકાર હંમેશા એક જ નથી રહેતી. જો સરકાર અમારા હક્કોનું દમન કરશે તો આ મુદ્દે અમે હાઈકોર્ટમાં જઈશું.

આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ખેતીએ રાજ્યનો વિષય છે. કેન્દ્ર તેની પર કાયદો બનાવી શકે નહીં. ભારતભરના ખેડુતો આ કૃષિ કાયદાઓથી દુઃખી છે, ત્યારે ગુજરાતના ખેડૂતની વાત સાંભળવા રાકેશ ટીકૈત આવી રહ્યાં છે. આ કોઈ વોટ માટેનો કાર્યક્રમ નથી.

આ ખેડૂતો સાથે જવાનોનું પણ આંદોલન : યુદ્ધવીરસિંહ

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીરસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, અમે ભારતના કિસાન છીએ, ખેડૂતોના દીકરા સરહદ પર જવાન છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ છત્તા એક પણ રેલી કે સભામાં વડાપ્રધાને ત્રણ કૃષિ કાયાદના ફાયદા ન ગણાવ્યા. કારણ કે, તેના કોઈ ફાયદા જ નથી. આ ફક્ત ત્રણ બિલની વાત નથી, આગળ પણ આવા બિલ આવશે.

રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈતનો ગુજરાત કાર્યક્રમ

04 એપ્રિલે સવારે 10 કલાકે તેઓ બનસકાંઠાના મોટા અંબાજી આવશે. બપોરે 12:30 કલાકે તેઓ અંબાજીના દર્શન કરશે. બપોરે 02 કલાકે પાલનપુર ખાતે ખેડુતો સાથે વાત કરશે. સાંજે 05 કલાકે ઊંઝા ખાતે ઉમિયા માતાના દર્શન કરશે. 05 એપ્રિલે સવારે 08 કલાકે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. સવારે 10:30 કલાકે કરમસદ ખાતે સરદાર સ્મારકની મુલાકાત કરશે. બપોરે 02:30 કલાકે બારડોલી ખાતે ખેડુતો સાથે વાત કરશે.

  • રાષ્ટ્રીય ખેડૂત યુનિયનના સેક્રેટરી યુદ્ધવીર સિંહ ગુજરાત આવ્યા
  • 04 એપ્રિલે રાકેશ ટીકૈત પાલનપુર ખાતે ખેડૂતોને મળશે
  • 05 એપ્રિલે રાકેશ ટીકૈત બારડોલીમાં ખેડૂતો સાથે સંવાદ કરશે
  • શંકરસિંહ વાઘેલા પુર્વ મુખ્યપ્રધાન ભાજપ પર રોષે ભરાયા

અમદાવાદ: આજે શનિવારે અમદાવાદમાં રાકેશ ટીકૈતની ગુજરાત મુલાકાતને લઇને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીરસિંહ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા તેમની અટકાયત કરાતા, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા ખૂબ જ રોષે ભરાયા હતા. તેમને ભાજપ પર નિશાન તાકતાં જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકારે સંયુક્ત કિસાન મોરચાના આગેવાનોની અટકાયત કરી. શું ખેડૂતોએ પ્રેસ કોન્ફરન્સ કરવા મંજૂરી લેવાની હોય ? શું આ સરકારમાં બોલવાનો અધિકાર નથી ?

સરકાર કોરોનામાં મેચને પરવાનગી આપે ખેડૂતોને એક પ્રેસ કોન્ફરન્સ માટે નહીં ?

શંકરસિંહ વાઘેલાએ મીડિયાને જણાવ્યું હતું કે, અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ યોજીને સરકારે કોરોનાને આમંત્રણ આપ્યું. મેચ જોવા ગયેલા IIMના 05 વિધાર્થીઓએ અન્ય 25ને કોરોના સંક્રમિત કર્યા હતા. ખેડૂતો આતંકવાદી નથી. કયા રેકોર્ડ પર સંયુક્ત કિસાન મોરચાનાં નેતાઓને રોકવામાં આવ્યાં ? મેચ માટે કે ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા સરકારે પરમિશન લીધી હતી ?

આ પણ વાંચો : ગુજરાત હજું કેદમાં છે, ગુજરાતને આઝાદ કરીશુંઃ કિસાન સંઘ નેતા રાકેશ ટીકૈત

ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં

શંકરસિંહ વાઘેલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસાના ખેડૂતોને બટાકાનો આજે યોગ્ય ભાવ નથી મળી રહ્યો. તેઓ બટાકા રોડ પર ફેંકી રહ્યાં છે. MSPએ કોઈ મજાક નથી. અમે ખેડૂતોની વાત સાંભળવા માગીએ છીએ. બનાસકાંઠાના ખેડૂતોની વેદના સાંભળવામાં શું ગુનો છે ?

04 અને 05 એપ્રિલે રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટીકૈત ગુજરાતની મુલાકાતે

શંકરસિંહની સરકારને ચેલેન્જ

રાકેશ ટિકૈત ગાંધી આશ્રમની મુલાકાત લેવાના છે, ત્યારે શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર કટાક્ષ કરતા વ્યંગમાં જણાવ્યું હતું કે, સાબરમતી આશ્રમનું નામ બદલી 'મોહન મધુકર ભાગવત' આશ્રમ કરી દો. અંબાજી, ઊંઝા સહિત ગુજરાતના અનેક સ્થળો પર ખેડૂત આગેવાન રાકેશ ટીકૈત જશે જ. સરકારથી થાય તે કરી લે. શું અંબાજીના દર્શન કરવા જતાં પણ સરકાર રોકશે ?

આ પણ વાંચો : ગુજરાત મુક્ત કરો : રાકેશ ટીકૈતે દેશવ્યાપી રેલીની જાહેરાત કરી

ભાજપના માણસો જ ખેડૂત આંદોલનને બદનામ કરી રહ્યાં છે

ભાજપના માણસોએ જ ખેડૂત આંદોલનને બદનામ કરવા 26 જાન્યુઆરીએ દિલ્હીમાં તોફાન કર્યું હતું. શંકરસિંહે પોલીસની કામગીરી સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પોલીસ પગાર પ્રજાના પૈસાથી લે છે. જ્યારે કામ ભાજપનું કરે છે. તો પછી પોલીસ ભાજપનો ખેસ પહેરી લે. પોલીસ યાદ રાખે કે, સરકાર હંમેશા એક જ નથી રહેતી. જો સરકાર અમારા હક્કોનું દમન કરશે તો આ મુદ્દે અમે હાઈકોર્ટમાં જઈશું.

આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ખેતીએ રાજ્યનો વિષય છે. કેન્દ્ર તેની પર કાયદો બનાવી શકે નહીં. ભારતભરના ખેડુતો આ કૃષિ કાયદાઓથી દુઃખી છે, ત્યારે ગુજરાતના ખેડૂતની વાત સાંભળવા રાકેશ ટીકૈત આવી રહ્યાં છે. આ કોઈ વોટ માટેનો કાર્યક્રમ નથી.

આ ખેડૂતો સાથે જવાનોનું પણ આંદોલન : યુદ્ધવીરસિંહ

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીરસિંહે મીડિયાને જણાવ્યું હતું કે, અમે ભારતના કિસાન છીએ, ખેડૂતોના દીકરા સરહદ પર જવાન છે. પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ છત્તા એક પણ રેલી કે સભામાં વડાપ્રધાને ત્રણ કૃષિ કાયાદના ફાયદા ન ગણાવ્યા. કારણ કે, તેના કોઈ ફાયદા જ નથી. આ ફક્ત ત્રણ બિલની વાત નથી, આગળ પણ આવા બિલ આવશે.

રાષ્ટ્રીય કિસાન નેતા રાકેશ ટિકૈતનો ગુજરાત કાર્યક્રમ

04 એપ્રિલે સવારે 10 કલાકે તેઓ બનસકાંઠાના મોટા અંબાજી આવશે. બપોરે 12:30 કલાકે તેઓ અંબાજીના દર્શન કરશે. બપોરે 02 કલાકે પાલનપુર ખાતે ખેડુતો સાથે વાત કરશે. સાંજે 05 કલાકે ઊંઝા ખાતે ઉમિયા માતાના દર્શન કરશે. 05 એપ્રિલે સવારે 08 કલાકે તેઓ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લેશે. સવારે 10:30 કલાકે કરમસદ ખાતે સરદાર સ્મારકની મુલાકાત કરશે. બપોરે 02:30 કલાકે બારડોલી ખાતે ખેડુતો સાથે વાત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.