અમદાવાદઃ ગુજરાતમાં હાલ પેટા ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ અમદાવાદમાં બંને પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યાં હોય તેવું જોવા મળી રહ્યાં છે.ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે. અમદાવાદ શહેરમાં 200થી વધુ કાર્યકર્તા ભાજપ સાથેનો છેડો ફાડી હવે કોંગ્રેસમાં જોડાયાં છે. કુબેરનગર વોર્ડ કે આસપાસના વિસ્તારમાં વિકાસ થયો નથી અને ધારાસભ્યો અને કોર્પોરેટરો તેમની વાત નથી સાંભળતાં તેવી જ ફરિયાદ સાથે ભાજપમાંથી છેડો ફાડીને હવે તેઓ કોંગ્રેસમાં જોડાયાં છે તે આગામી દિવસોની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે થઈ અનેક સંકેતો સૂચવી રહ્યાં છે.
અમદાવાદ મનપાની ચૂંટણી પહેલાં ભાજપને ફટકો અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્માની હાજરીમાં ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો હાથ ઝાાલ્યો હતો રાજ્યમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકરો આ રીતે કોંગ્રેસમાં ગયાં તે સૂચક માનવામાં આવી રહ્યું છે. અમદાવાદના કુબેરનગર વોર્ડના કાર્યકર્તાઓનું કહેવું છે કે તેઓ છેલ્લાં 20 વર્ષથી ભાજપ સાથે જોડાયેલાં છે. તેઓ આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને સતત ચૂંટીને મોકલતાં હોવા છતાં પણ અમારા વિસ્તારનો વિકાસ થયો નથી આ સિવાય તેઓ અમારા વિસ્તારની સમસ્યાઓ પણ સાંભળવા માટે તૈયાર નથી.આટલું ઓછું હોય તો તેમને 2018માં પોલીસે અમને ઘરમાં ઘૂસીને માર્યાં હતાં તે સમયે સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યોએ અમારી સાથે રહેવાના બદલે અમને ગંદકી કહી હતી અને તેમણે કહ્યું હતું કે છારાનગર અને કુબેરનગર વિસ્તાર એક ગંદકી છે તેની સામે હવે કોંગ્રેસ અમને આવકારવા તૈયાર છે. જો ભાજપમાં આટલા વર્ષોથી સેવા આપી હોવા છતાં પણ તેઓ અમને ગંદકી કહેતાં હોય અને અમારા વિસ્તારનો વિકાસ કરવા ન માગતા હોય તો પછી અમે કોંગ્રેસમાં શા માટે ન જઈએ તેવું તેમણે જણાવ્યું હતું.છારાનગરના 200થી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાયાં