ETV Bharat / city

SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ

author img

By

Published : Sep 8, 2020, 7:38 PM IST

કોરોનાએ માનવીને ખાસ કરીને યુવા પેઢીને બાહ્ય શારીરિક દેખાવ કરવા કરતા આંતરિક સુદ્રઢતા,આંતરિક શારીરિક મજબૂતી માટે પ્રેર્યાં છે.કોરોનાની પરિસ્થિતિ વચ્ચે ઘેરઘેર, શેરીએ-શેરીએ, શહેરો અને ગામડાંઓમાં, કોર્પોરેટ ઓફિસમાં એક પીણાનું સેવન અને ચલણ વધ્યું છે તે છે ઉકાળા. આર્યુવેદિક ઉકાળા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શક્તિવર્ધક સાબિત થયાં છે.કોરોનાની પરિસ્થિતીમાં ભાગ્યે જ કોઇ ભારતીય હશે કે જેણે ઉકાળાનું સેવન કર્યુ ન હોય.

SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ

અમદાવાદઃ અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન હસ્તકની એસવીપી હોસ્પિટલમાં સરકારી અખડાનંદ આયુર્વેદિક કોલેજની ટીમને કોરોનાગ્રસ્ત દર્દીઓની આયુર્વેદિક સારવાર માટે નિમણૂંક કરવામાં આવી છે. કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ રામ શુક્લાની આગેવાનીમાં આ ટીમ 114 દિવસથી સતત કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા સેવા કરી રહી છે. દરરોજ ટીમ પોતાની કોલેજથી વહેલી સવારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જાતે જ ઉકાળા તૈયાર કરીને હોસ્પિટલમાં વિતરણ કરવા લઇને આવે છે.

SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
અત્યાર સુધીમાં એસ.વી.પી. હોસ્પિટલના 1700થી વધારે દર્દીઓએ 12000 હજારથી વધુ વખત ઉકાળાનું સેવન કર્યુ છે. દરરોજ 100 જેટલા ફ્રંટલાઇન કોરોના વોરિયર્સને ઉકાળાનું વિતરણ કરાવવામાં આવે છે. જેના દર્દીઓ અને કોરોનાવોરીયર્સ તરફથી ખૂબ જ સકારાત્મક અને અસરકારક પ્રતિભાવો મળ્યાં છે. આ રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાએ ઘણાય કોરોના વોરિયર્સને કોરોના વાયરસથી સંક્રમિત થતા રોક્યાં હોય તેમ કહેવામાં અતિશ્યોક્તિ નથી.
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
અમદાવાદની આયુર્વેદિક અખડાનંદ કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ ડૉ. રામ શુક્લા ઉકાળાની મહત્તા તેમાં રહેલા તત્વોના ગુણો તેની અસરકારકતા અને ઉકાળા બનાવવાની શ્રેષ્ઠ રીત વિશે કહે છે કે સરકાર દ્વારા 10 મૂલ અને પથ્યાદી ક્વાથ યુક્ત ઉકાળા તૈયાર કરવામાં આવે છે. 10 મૂલમાં બિલ્વ, અગ્નિમંથ, શ્યોનાક, પાટલા, ગંભારી, ગોક્ષુર, પૃષ્ણપર્ણી, શાલપર્ણી, કંટકારી, બૃહતીનું મિશ્રણ કરવામાં આવે છે. જે શ્વાસ લેવામાં પડતી તકલીફ, શરીરના કોઇપણ ભાગમાં થયેલ સોજા, અને તાવ સામે રક્ષણ મેળવવામાં ઉપયોગી બને છે. જ્યારે પથ્યાદી ક્વાથમાં હરડે, બહેળા, આમળા, હળદર, લીમડો, અને ગળાનું મિશ્રણ ઉમેરીને બનાવવામાં આવે છે. જે માથાના દુખાવા અને તાવ માટે ખૂબ જ અસરકારક છે. આ બંનેના મિશ્રણથી ઉકાળો તૈયાર થાય છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે સાથે સાથે અન્ય તકલીફોમાં પણ ઉપયોગી બને છે. ઉકાળા બનાવવાની રીતએક ભાગ પાવડરમાં 16 ભાગ જેટલું પાણી લેવામાં આવે છે એટલે કે 16 લીટર પાણીમાં 1 કિ.ગ્રા ઉકાળો ઉમેરવામાં આવે છે જે ચોથા ભાગ જેટલું ન થઇ જાય ત્યાર સુધી તેને ઉકળવા દેવામાં આવે છે. જેનું એક ચતુર્થાંશ ભાગનું પાણી બાળી નાખવામાં આવે છે અને બાકીના ભાગના ઉકાળાનું સેવન કરવામાં આવે છે. ઉકાળો ગરમ પીવામાં આવે ત્યારે જ તે શરીર માટે ફાયદાકારક છે. ઠંડા કરેલા બજારમાં બોટલમાં તૈયાર મળતાં ઠંડા થયેલા ઉકાળાની અસરકારકતા ઓછી જોવા મળે છે.
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ

અમદાવાદઃ અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન હસ્તકની એસવીપી હોસ્પિટલમાં સરકારી અખડાનંદ આયુર્વેદિક કોલેજની ટીમને કોરોનાગ્રસ્ત દર્દીઓની આયુર્વેદિક સારવાર માટે નિમણૂંક કરવામાં આવી છે. કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ રામ શુક્લાની આગેવાનીમાં આ ટીમ 114 દિવસથી સતત કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા સેવા કરી રહી છે. દરરોજ ટીમ પોતાની કોલેજથી વહેલી સવારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જાતે જ ઉકાળા તૈયાર કરીને હોસ્પિટલમાં વિતરણ કરવા લઇને આવે છે.

SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
અત્યાર સુધીમાં એસ.વી.પી. હોસ્પિટલના 1700થી વધારે દર્દીઓએ 12000 હજારથી વધુ વખત ઉકાળાનું સેવન કર્યુ છે. દરરોજ 100 જેટલા ફ્રંટલાઇન કોરોના વોરિયર્સને ઉકાળાનું વિતરણ કરાવવામાં આવે છે. જેના દર્દીઓ અને કોરોનાવોરીયર્સ તરફથી ખૂબ જ સકારાત્મક અને અસરકારક પ્રતિભાવો મળ્યાં છે. આ રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાએ ઘણાય કોરોના વોરિયર્સને કોરોના વાયરસથી સંક્રમિત થતા રોક્યાં હોય તેમ કહેવામાં અતિશ્યોક્તિ નથી.
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
અમદાવાદની આયુર્વેદિક અખડાનંદ કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ ડૉ. રામ શુક્લા ઉકાળાની મહત્તા તેમાં રહેલા તત્વોના ગુણો તેની અસરકારકતા અને ઉકાળા બનાવવાની શ્રેષ્ઠ રીત વિશે કહે છે કે સરકાર દ્વારા 10 મૂલ અને પથ્યાદી ક્વાથ યુક્ત ઉકાળા તૈયાર કરવામાં આવે છે. 10 મૂલમાં બિલ્વ, અગ્નિમંથ, શ્યોનાક, પાટલા, ગંભારી, ગોક્ષુર, પૃષ્ણપર્ણી, શાલપર્ણી, કંટકારી, બૃહતીનું મિશ્રણ કરવામાં આવે છે. જે શ્વાસ લેવામાં પડતી તકલીફ, શરીરના કોઇપણ ભાગમાં થયેલ સોજા, અને તાવ સામે રક્ષણ મેળવવામાં ઉપયોગી બને છે. જ્યારે પથ્યાદી ક્વાથમાં હરડે, બહેળા, આમળા, હળદર, લીમડો, અને ગળાનું મિશ્રણ ઉમેરીને બનાવવામાં આવે છે. જે માથાના દુખાવા અને તાવ માટે ખૂબ જ અસરકારક છે. આ બંનેના મિશ્રણથી ઉકાળો તૈયાર થાય છે જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે સાથે સાથે અન્ય તકલીફોમાં પણ ઉપયોગી બને છે. ઉકાળા બનાવવાની રીતએક ભાગ પાવડરમાં 16 ભાગ જેટલું પાણી લેવામાં આવે છે એટલે કે 16 લીટર પાણીમાં 1 કિ.ગ્રા ઉકાળો ઉમેરવામાં આવે છે જે ચોથા ભાગ જેટલું ન થઇ જાય ત્યાર સુધી તેને ઉકળવા દેવામાં આવે છે. જેનું એક ચતુર્થાંશ ભાગનું પાણી બાળી નાખવામાં આવે છે અને બાકીના ભાગના ઉકાળાનું સેવન કરવામાં આવે છે. ઉકાળો ગરમ પીવામાં આવે ત્યારે જ તે શરીર માટે ફાયદાકારક છે. ઠંડા કરેલા બજારમાં બોટલમાં તૈયાર મળતાં ઠંડા થયેલા ઉકાળાની અસરકારકતા ઓછી જોવા મળે છે.
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.