અમદાવાદઃ અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન હસ્તકની એસવીપી હોસ્પિટલમાં સરકારી અખડાનંદ આયુર્વેદિક કોલેજની ટીમને કોરોનાગ્રસ્ત દર્દીઓની આયુર્વેદિક સારવાર માટે નિમણૂંક કરવામાં આવી છે. કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ રામ શુક્લાની આગેવાનીમાં આ ટીમ 114 દિવસથી સતત કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા સેવા કરી રહી છે. દરરોજ ટીમ પોતાની કોલેજથી વહેલી સવારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જાતે જ ઉકાળા તૈયાર કરીને હોસ્પિટલમાં વિતરણ કરવા લઇને આવે છે.
SVP હોસ્પિટલમાં 1700થી વધુ દર્દીઓએ 12,000થી વધુ વખત રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું સેવન કર્યુ
કોરોનાએ માનવીને ખાસ કરીને યુવા પેઢીને બાહ્ય શારીરિક દેખાવ કરવા કરતા આંતરિક સુદ્રઢતા,આંતરિક શારીરિક મજબૂતી માટે પ્રેર્યાં છે.કોરોનાની પરિસ્થિતિ વચ્ચે ઘેરઘેર, શેરીએ-શેરીએ, શહેરો અને ગામડાંઓમાં, કોર્પોરેટ ઓફિસમાં એક પીણાનું સેવન અને ચલણ વધ્યું છે તે છે ઉકાળા. આર્યુવેદિક ઉકાળા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શક્તિવર્ધક સાબિત થયાં છે.કોરોનાની પરિસ્થિતીમાં ભાગ્યે જ કોઇ ભારતીય હશે કે જેણે ઉકાળાનું સેવન કર્યુ ન હોય.
અમદાવાદઃ અમદાવાદમાં મ્યુ. કોર્પોરેશન હસ્તકની એસવીપી હોસ્પિટલમાં સરકારી અખડાનંદ આયુર્વેદિક કોલેજની ટીમને કોરોનાગ્રસ્ત દર્દીઓની આયુર્વેદિક સારવાર માટે નિમણૂંક કરવામાં આવી છે. કોલેજના પંચકર્મ વિભાગના પ્રોફેસર વૈધ રામ શુક્લાની આગેવાનીમાં આ ટીમ 114 દિવસથી સતત કોરોનાગ્રસ્ત દર્દીઓને આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ દ્વારા સેવા કરી રહી છે. દરરોજ ટીમ પોતાની કોલેજથી વહેલી સવારે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે જાતે જ ઉકાળા તૈયાર કરીને હોસ્પિટલમાં વિતરણ કરવા લઇને આવે છે.