અમદાવાદઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચનાં (ICAI Ahmedabad Branch) વર્ષ 2022-23 માટે ચેરમેન તરીકે સીએ બિશન શાહ (CA Bishan Shah elected as a Chairman of ICAI), વાઈસ ચેરમેન તરીકે CA (ડો.) અંજલિ ચોક્સી, સેક્રેટરી તરીકે CA નિરવ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે.
અમદાવાદ બ્રાન્ચના આઈકોનિક ભવનનું થશે નિર્માણ
આ પ્રસંગે ચેરમેન CA બિશન શાહે (Institute of Chartered Accountants of India) જણાવ્યું હતું કે, આ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ શકે તેવું આયોજન કરીશું. આ ઉપરાંત યુવા CA મેમ્બર્સને સિનિયર CA મેમ્બર્સ તરફથી યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે અમારો પ્રયત્ન રહેશે. આ ઉપરાંત અમદાવાદ બ્રાન્ચના નવા આઈકોનિક ભવનના (ICAI New Building at SG Highway) નિર્માણનું સ્વપ્ન ઝડપથી સાકાર થાય તેવો અમારો (CA Bishan Shah elected as a Chairman of ICAI) પ્રયાસ રહેશે. આગામી 2 વર્ષનો સમયગાળો અમદાવાદ બ્રાન્ચ માટે સુવર્ણકાળ (ICAI Ahmedabad Branch) બની રહેશે.
એસ.જી. હાઈવે પર બનશે ICAIનું નવું ભવન
એસ.જી.હાઈવે પર ICAIના નવા ભવનનું કામ ઝડપી (ICAI New Building at SG Highway) થશે. તેમ જ 20 કરોડ રૂપિયાના ખર્ચે આખું ભવન તૈયાર કરવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓને સારી સુવિધા મળે તે માટે નવા ભવનનું નિર્માણ થશે.