ETV Bharat / city

દલિતો પરના નિવેદન મુદ્દે રાજ શેખાવત વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાનો હાઈકોર્ટનો વચગાળાનો આદેશ

author img

By

Published : Dec 4, 2019, 7:59 PM IST

અમદાવાદ: કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે કચ્છના રાપરમાં દલિત સમુદાય અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દાખલ થયેલી ફરિયાદના ભાગરૂપે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઇ બુધવારે જસ્ટિસ બી.એન.કારીયાએ આ કેસના તપાસ અધિકારીને ફરિયાદની વાસ્તવિક્તાનો તપાસ કરી બે સપ્તાહ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. જ્યારે આગામી મુદત સુધી અરજદાર શેખાવત વિરૂધ કોઈ પગલા ન લેવાનો આદેશ કર્યો છે.

High court
હાઈકોર્ટ

હાઈકોર્ટમાં બુધવારે જસ્ટિસ બી.એન. કારીયા સમક્ષ અરજદારના વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે, આ કેસના ફરિયાદી અનુસુચિત જનજાતિની મુદ્દે ફરિયાદ કરવામાં હિસ્ટ્રીશીટર છે અને 30 જુલાઈ 2018થી 24 ઓક્ટોબર 2019 સુધીના સમયગાળામાં અનુસુચિત જનજાતિ મુદ્દે 25 FIR કરી હોવાની રજૂઆત કરી હતી. અરજદારના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી કે, આ પ્રકારની ફરિયાદમાં સમગ્ર પરિવાર સામેલ છે. પિતાની ફરિયાદમાં દિકરો અને તેનો ભાઈ સાક્ષી બને છે તો ક્યારેક દિકરાની ફરિયાદમાં પિતા સાક્ષી બને છે. ફરિયાદને વ્યવસાય બનાવી પૈસાના પડાવવામાં આવતા હોવાનો અરજદારના વકીલે આક્ષેપ કર્યો હતો.

રાજ શેખાવત વિરુદ્ધ કાર્યવાહી ન કરવા હાઈકોર્ટનો આદેશ

અરજદારના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સમાજમાં સમાન અધિકાર મળે તેના માટે અનુસુચિત જનજાતિ અને આદિજાતિ સમાજ માટે ખાસ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો છે. પરતું કેટલાક લોકો તેનો દુર-ઉપયોગ કરીને પૈસા પડાવે છે. રામજી નામના સ્થાનિક દલિત આગેવાને રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે, રાજ શેખાવતે જાહેર કાર્યક્રમમાં રાપર તાલુકા અનુસુચિત જાતિ ખેતી સમુદાયિક સહકારી મંડળીને આપવામાં આવેલી જમીન પર દલિત સમુદાયના લોકો આવે તો તેમને ખત્મ કરી દેવાની ખુલ્લી ધમકી આપી હતી.

પોલીસે IPCની કલમ 153(અ) (બી), 504, અને 506 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નીચલી કોર્ટે આરોપી રાજ શેખાવતના જામીન ફગાવતા ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

હાઈકોર્ટમાં બુધવારે જસ્ટિસ બી.એન. કારીયા સમક્ષ અરજદારના વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે, આ કેસના ફરિયાદી અનુસુચિત જનજાતિની મુદ્દે ફરિયાદ કરવામાં હિસ્ટ્રીશીટર છે અને 30 જુલાઈ 2018થી 24 ઓક્ટોબર 2019 સુધીના સમયગાળામાં અનુસુચિત જનજાતિ મુદ્દે 25 FIR કરી હોવાની રજૂઆત કરી હતી. અરજદારના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી કે, આ પ્રકારની ફરિયાદમાં સમગ્ર પરિવાર સામેલ છે. પિતાની ફરિયાદમાં દિકરો અને તેનો ભાઈ સાક્ષી બને છે તો ક્યારેક દિકરાની ફરિયાદમાં પિતા સાક્ષી બને છે. ફરિયાદને વ્યવસાય બનાવી પૈસાના પડાવવામાં આવતા હોવાનો અરજદારના વકીલે આક્ષેપ કર્યો હતો.

રાજ શેખાવત વિરુદ્ધ કાર્યવાહી ન કરવા હાઈકોર્ટનો આદેશ

અરજદારના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, સમાજમાં સમાન અધિકાર મળે તેના માટે અનુસુચિત જનજાતિ અને આદિજાતિ સમાજ માટે ખાસ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો છે. પરતું કેટલાક લોકો તેનો દુર-ઉપયોગ કરીને પૈસા પડાવે છે. રામજી નામના સ્થાનિક દલિત આગેવાને રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે, રાજ શેખાવતે જાહેર કાર્યક્રમમાં રાપર તાલુકા અનુસુચિત જાતિ ખેતી સમુદાયિક સહકારી મંડળીને આપવામાં આવેલી જમીન પર દલિત સમુદાયના લોકો આવે તો તેમને ખત્મ કરી દેવાની ખુલ્લી ધમકી આપી હતી.

પોલીસે IPCની કલમ 153(અ) (બી), 504, અને 506 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નીચલી કોર્ટે આરોપી રાજ શેખાવતના જામીન ફગાવતા ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.

Intro:કર્ણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે કચ્છના રાપરમાં દલિત સમુદાય વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દાખલ થયેલી ફરિયાદના ભાગરૂપે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી આગોતરા જામીન અરજી મુદે બુધવારે જસ્ટીસ બી.એન. કારીયાએ આ કેસના તપાસ અધિકારીને ફરિયાદની વાસ્તવિક્તાનો તપાસ કરી બે સપ્તાહ સુધીમાં રિપોર્ટ રજુ કરવાનો આદેશ કર્યો છે, જ્યારે આગામી મુદત સુધી અરજદાર શેખાવત વિરૂધ કોઈ પગલા ન લેવાનો આદેશ કર્યો છે. Body:હાઈકોર્ટમાં બુધવારે જસ્ટીસ બી.એન. કારીયા સમક્ષ અરજદારના વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે આ કેસના ફરિયાદી અનુસુચિત જનજાતિની મુદે ફરિયાદ કરવામાં હિસ્ટ્રીશીટર છે અને 30મી જુલાઈ 2018થી 24 ઓક્ટોબર 2019 સુધીના સમયગાળામાં અનુસુચિત જનજાતિ મુદે 25 FIR કરી હોવાની રજુઆત કરી હતી. અરજદારના વકીલ વતી દલીલ કરવામાં આવી હતી કે આ પ્રકારની ફરિયાદમાં સમગ્ર પરિવાર સામેલ છે પિતાની ફરિયાદમાં દિકરો અને તેનો ભાઈ સાક્ષી બને છે તો ક્યારેક દિકરાની ફરિયાદમાં પિતા સાક્ષી બને છે. ફરિયાદને વ્યવસાય બનાવી પૈસાના પડાવવામાં આવતા હોવાનો અરજદારના વકીલે આક્ષેપ કર્યો હતો.

અરજદારના વકીલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સમાજમાં સમાન અધિકાર મળે તેના માટે અનુસુચિત જનજાતિ અને આદિજાતિ સમાજ માટે ખાસ પ્રકારનો કાયદો ઘડવામાં આવ્યો છે પરતું કેટલાક લોકો તેનો દુર-ઉપયોગ કરીને પૈસા પડાવે છે. રામજી ભદ્રુ નામના સ્થાનિક દલિત આગેવાનને રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે રાજ શેખાવતે જાહેર કાર્યક્રમમાં રાપર તાલુકા અનુસુચિત જાતિ ખેતી સમુદાયિક સહકારી મંડળીને આપવામાં આવેલી જમીન પર દલિત સમુદાયના લોકો આવે તો તેમને ખત્મ કરી દેવાની ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ ધમકીના ભાગરૂપ રાપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.Conclusion:પોલીસે આઈપીસીની કલમ 153(અ) (બી), 504, અને 506 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નીચલી કોર્ટે આરોપી રાજ શેખાવતના જામીન ફગાવતા ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.