ETV Bharat / city

ફાયર NOC મુદ્દે કોર્ટે AMCને આપ્યા આદેશ,ઈમારત સીલ કરવા સુધી પગલાં ભરાશે

author img

By

Published : Jun 14, 2022, 9:11 PM IST

ગુજરાતમાં હાઇકોર્ટે NOC વગરની ઈમારતોને સીલ કરવા હેતુ(Buildings without fire NOC) AMCને આદેશ આપ્યો છે. ઘણી વાર જાનહાનીના અને માનહાનિના કેસો સામે આવે છે, ત્યારે BU પરમિશન(BU without permission) વગરની ઇમારતો સામે આવે છે. જેને લઈને આ આદેશ આપવામાં આવ્યો છે. ફાયરસેફટી અને BU પરમિશન ન હોય તો ક્યાં ક્યાં પગલાં લેવા જરૂરી છે એવી હાઇકોર્ટે કરી ટકોર. ચાલો જાણીયે શું છે હાઈકૉર્ટનો હુકમ.

ફાયર NOC વગરની તમામ બિલ્ડિંગોને સીલ કરવા AMCને કોર્ટનો હુકમ
ફાયર NOC વગરની તમામ બિલ્ડિંગોને સીલ કરવા AMCને કોર્ટનો હુકમ

અમદાવાદ: ગુજરાતમાં ફાયર સેફ્ટી અને BU(Building Use Permission) પરમિશન વગરની ઇમારત અને બાંધકામને લઈને વારંવાર જાનહાનીના કે માનહાનિના સમાચાર સામે આવતા રહેતા હોય છે. આ બાબતને લઈને હવે ફાયરસેફ્ટી વગરની ઇમારતને લઈને ગુજરાત હાઇકોર્ટે એક મોટો હુકમ(Gujarat Highcourt Order) કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે NOC વગરની ઇમારતોની સીલ કરવા માટે પણ AMCને(Ahmedabad Municipal Corporation ) આદેશ આપ્યો છે.

ફાયરસેફ્ટી વગરની ઇમારતોને લઈને કોઈ પગલાં લેવામાં આવતા નથી - આ કેસની વિગતો જોઈએ તો અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટી વગરની ઇમારતોને(Buildings without firesafety) લઈને કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેવી અરજી દાખલ કરવામાં આવી હતી. તેને પરિણામે સિટીના અભાવના લીધે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: BU પરમિશનને લઈને ડૉક્ટર્સનું કોર્પોરેશનમાં વિરોધ પ્રદર્શન, ઈમારત જૂની હોય તો વાંક કોનો?

26 કોમર્શિયલ બિલ્ડીંગો પાસે ફાયર NOC જ નથી - અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટી વગરની ઇમારતોને લઈને કોર્ટમાં આંકડા પણ રજૂ કર્યા હતા જેને લઇને હાઈકોર્ટ પણ કોર્ટના આંકડા સાંભળીને આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી. અગાઉ કરેલા આદેશ હોવા છતાં પણ AMC દ્વારા હજુ પણ કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેઓ પણ કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું. અરજદારે રજૂ કરેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં કુલ 1126 રહેણાંક બિલ્ડિંગ(Residential Building Fire Safety) અને 26 કોમર્શિયલ બિલ્ડીંગો(Commercial Building Fire Safety) પાસે ફાયર NOC જ નથી. એવી રજૂઆત કરવામાં આવી હતી.

ફાયર સેફટી ના હોય તો કડક પગલા લેવા માટે હાઇકોર્ટએ કરી ટકોર - હાઇકોર્ટે અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા ફાયરસેફ્ટી વગરની ઈમારતોના આંકડાને લઇને હાઇકોર્ટે હુકમ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને NOC વગરની ઇમારતોને સીલ કરવા માટે આદેશ કર્યો છે. આ સાથે સાથે ફાયર સેફટીના હોય તેવી ઇમારતો સામે પણ કડક પગલા લેવા માટે હાઇકોર્ટ એ ટકોર કરી છે.

આ પણ વાંચો: મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ

હાઇકોર્ટ દ્વારા એવી પણ ટકોર કરવામાં આવી - કોઈના પણ જીવને જોખમમાં મૂકવાનું આપણને અધિકાર નથી, અને તેથી આવી કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં ન આવતા તમામ બિલ્ડિંગો સામે કડક પગલાં ભરવામાં આવે. એવી કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાતમાં ફાયર સેફ્ટી અને BU(Building Use Permission) પરમિશન વગરની ઇમારત અને બાંધકામને લઈને વારંવાર જાનહાનીના કે માનહાનિના સમાચાર સામે આવતા રહેતા હોય છે. આ બાબતને લઈને હવે ફાયરસેફ્ટી વગરની ઇમારતને લઈને ગુજરાત હાઇકોર્ટે એક મોટો હુકમ(Gujarat Highcourt Order) કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે NOC વગરની ઇમારતોની સીલ કરવા માટે પણ AMCને(Ahmedabad Municipal Corporation ) આદેશ આપ્યો છે.

ફાયરસેફ્ટી વગરની ઇમારતોને લઈને કોઈ પગલાં લેવામાં આવતા નથી - આ કેસની વિગતો જોઈએ તો અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટી વગરની ઇમારતોને(Buildings without firesafety) લઈને કોઈ પગલાં લેવામાં આવતા નથી. તેવી અરજી દાખલ કરવામાં આવી હતી. તેને પરિણામે સિટીના અભાવના લીધે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: BU પરમિશનને લઈને ડૉક્ટર્સનું કોર્પોરેશનમાં વિરોધ પ્રદર્શન, ઈમારત જૂની હોય તો વાંક કોનો?

26 કોમર્શિયલ બિલ્ડીંગો પાસે ફાયર NOC જ નથી - અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટી વગરની ઇમારતોને લઈને કોર્ટમાં આંકડા પણ રજૂ કર્યા હતા જેને લઇને હાઈકોર્ટ પણ કોર્ટના આંકડા સાંભળીને આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી. અગાઉ કરેલા આદેશ હોવા છતાં પણ AMC દ્વારા હજુ પણ કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેઓ પણ કોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું. અરજદારે રજૂ કરેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં કુલ 1126 રહેણાંક બિલ્ડિંગ(Residential Building Fire Safety) અને 26 કોમર્શિયલ બિલ્ડીંગો(Commercial Building Fire Safety) પાસે ફાયર NOC જ નથી. એવી રજૂઆત કરવામાં આવી હતી.

ફાયર સેફટી ના હોય તો કડક પગલા લેવા માટે હાઇકોર્ટએ કરી ટકોર - હાઇકોર્ટે અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા ફાયરસેફ્ટી વગરની ઈમારતોના આંકડાને લઇને હાઇકોર્ટે હુકમ કર્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને NOC વગરની ઇમારતોને સીલ કરવા માટે આદેશ કર્યો છે. આ સાથે સાથે ફાયર સેફટીના હોય તેવી ઇમારતો સામે પણ કડક પગલા લેવા માટે હાઇકોર્ટ એ ટકોર કરી છે.

આ પણ વાંચો: મહાનગરપાલિકા ફાયર NOC અને BU પરમિશન ન ધરાવતી હોસ્પિટલ સામે 17 જૂન પછી કરી શકશે કાર્યવાહીઃ ગુજરાત હાઈકોર્ટ

હાઇકોર્ટ દ્વારા એવી પણ ટકોર કરવામાં આવી - કોઈના પણ જીવને જોખમમાં મૂકવાનું આપણને અધિકાર નથી, અને તેથી આવી કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં ન આવતા તમામ બિલ્ડિંગો સામે કડક પગલાં ભરવામાં આવે. એવી કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.